SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૪૫ પડાવી લે છે. આથી સુરથે વનમાં આશ્રય લીધે. ત્યાં એને એક મુનિને પરિચય થયો, અને મુનિને તેણે પોતાના સંકટની વાત કરી. તપશ્ચર્યા વડે ભવાનીને પ્રસન્ન કરવાની સલાહ મુનિએ સુરથને આપી, અને ભવાનીનાં પરાક્રમો એની આગળ વર્ણવ્યાં. શુંભ અને નિશુંભ એ બે દેએ બ્રહ્મદેવ પાસેથી વરદાન મેળવ્યું હતું કે સ્ત્રી સિવાય બીજા કોઈને હસ્તે એમનું મૃત્યુ ન થાય. આ વરદાનને કારણે તેઓ બહુ પ્રબળ બની ગયા હતા અને બધાં પ્રાણીઓને પીડા કરતા હતા. આ પછી દેવો બ્રહ્મદેવ પાસે ગયા અને પિતાની ફરિયાદ એમની આગળ રજૂ કરી. બ્રહ્માએ પોતાના વરદાનને પ્રકાર દેવને સમજાવ્યો; તેમણે દેવોને ભવાની પાસે જઈને શુંભનો વધ કરવા માટે એને વિનંતિ કરવા માટે સૂચવ્યું. અહીં ત્રીજે સર્ગ પૂરો થાય છે. ૧૭૦, “દેવો પછી હિમાલયમાં ગયા. સાહિત્યશાસ્ત્રની પરિપાટી મુજબનું હિમાલયનું વર્ણન ચોથા સર્ગમાં આવે છે. એ સમયે સમકાલે ઉપસ્થિત થયેલ ઋતુઓનું શેભાનું વર્ણન પાંચમા સગમાં અને ચંદ્રોદયનું વર્ણન છટ્ટા સર્ગમાં આવે છે. સૂર્યોદયના વર્ણન સાથે સામે સર્ગ શરૂ થાય છે, અને ભવાની પુષ્પાવય માટે જાય છે. એ પછી સ્નાન માટે દેવી ગંગાતટે જાય છે, અને રત્નાન કરીને એ પાછી ફરે છે ત્યારે દેવો દૂરથી એને જોઇને એની સ્તુતિ કરે છે. પછી દેવો પિતાની ફરિયાદ કહે છે, અને શુંભ દૈત્યને વધ કરવા માટે દેવીને વિનંતિ કરે છે. દેવી એમને ભય દૂર કરે છે અને દૈત્યને વધ કરવાનું વચન આપે છે. આઠમા સર્ગમાં ભવાની એક અત્યંત સુન્દર સ્ત્રીનું રૂપ ધારણ કરે છે અને હિમાલયના એક શિખર ઉપર વાસ કરે છે. હિમાલયમાં એક સુન્દરી આવી છે એવી વાત ફેલાય છે, અને શુંભને સાંભળવામાં પણ એ વાત આવે છે. પછી પોતાની સાથે લગ્ન કરવા માટે સંદેશે એ સુન્દરીને શુભ મોકલે છે. એ સંદેશ લાવનાર દૂતને ભવાની કહે છે કે “મારું એવું વ્રત છે કે હું સિંહ ઉપર સવારી કરતી હોઉં ત્યારે મારી સાથે જે પુરુષ યુદ્ધ કરશે એની સાથે જ હું લગ્ન કરીશ.” દૂત આ સમાચાર શુંભને આપે છે, આથી આશ્ચર્ય પામીને એ વિચિત્ર પ્રતિજ્ઞા છેડી દેવાને સમજાવવા માટે ધૂલેચન દૈત્યને શુંભ દેવી પાસે મેલે છે, અને એ જે પિતાની જક છોડે નહિ તે એને બળપૂર્વક ઉપાડી લાવવા કહે છે. ધૂમ્રલોચન ભવાની પાસે જાય છે અને શુંભના હુકમને અમલ કરવાનો પ્રયત્ન કરે છે એટલામાં તો દેવીના પ્રભાવથી તે બળીને ભસ્મ થાય છે. નવમા સર્ગમાં મોટા સૈન્ય સાથે ઉમાની સાથે યુદ્ધ કરવા માટે શુંભ જાય છે; દસમા સર્ગમાં એમની વચ્ચે યુદ્ધ થાય છે, અને અગિયારમાં સર્ગમાં શુંભને વધુ વણવા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy