SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ ઉત્સવ, રથયાત્રા અને સંઘયાત્રા વિશે વાત કરે છે તથા સંધયાત્રામાં પાળવા જોઈતા નિયમો કહે છે (૧-૪૮ થી ૧૦૬). ૧૬૪. એ પછી પરોપકાર, બ્રહ્મચર્ય, દયા આદિ સદ્ગુણોથી પ્રાપ્ત થતાં પુણ્ય વિશેની કેટલીક ધર્મકથાઓ વસ્તુપાળને ગુરુ કહે છે. ૨ થી ૧૪ સુધીના સર્ગો આ પ્રકારની ધર્મકથાઓથી રોકાયેલા છે. ૨ થી ૬ સુધીના સગે પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથનું અને એમના પુત્રો ભરત અને બાહુબલિનું જીવન તથા છેવટે ભરતનું નિર્વાણ વર્ણવે છે. છઠ્ઠા સર્ગમાં શત્રુંજયના રક્ષક દેવતા યક્ષ કપદીને વૃત્તાન્ત આવે છે તથા શત્રુંજય ઉપર પ્રથમ ભરતે બાંધેલા અને પછી સગર ચક્રવર્તી, રામચન્દ્ર, જાવડ, શીલાદિત્ય તથા સિદ્ધરાજના મંત્રી આશુક અને કુમારપાળના મંત્રી બાહડ જેવા ભૂતકાળના મહાપુરુષોએ જીર્ણોદ્ધાર કરાવેલા મન્દિરનું માહાસ્ય વર્ણવાયું છે (૬-૬૭ થી ૮૭). આ વૃત્તાન્ત વિષયાન્તર જેવો હોવા છતાં શત્રુંજયની સંઘયાત્રા વર્ણવવાના ઉદ્દેશથી રચાયેલા ગ્રન્થમાં અસંગત નથી. લગ્નની પ્રથમ રાત્રે જ આઠ સૌન્દર્યવતી પત્નીઓને ત્યાગ કરીને દીક્ષા લેનાર જંબુસ્વામીની કથા આઠમા સર્ગમાં છે, અને નવમા સર્ગમાં તપનું માહાત્મ્ય વર્ણવતી રાજકુમાર યુગબાહુની કથા છે. દશથી ચૌદ સુધીના સર્ગોમાં બાવીસમા તીર્થંકર નેમિનાથનું, એમના પૂર્વ જન્મોથી માંડી નિર્વાણ સુધીનું જીવન વિસ્તારપૂર્વક આપ્યું છે, અને આ પાંચ સર્ગનું પ્રસ્થાઝ ૨૧૪૨ શ્લેક છે (જુઓ પેરા ૧૧૬). પંદરમા સર્ગમાં ફરી પાછી આપણે કર્તાના સમકાલીન ઇતિહાસ ઉપર આવીએ છીએ. વિજયસેનસૂરિના આ ઉપદેશની પ્રેરણાથી થયેલી શત્રુંજયની સંઘયાત્રા એ સર્ગ વર્ણવે છે. શત્રુંજય ઉપરથી સંઘ પાછો ફરે છે એમાં એવા બે મુકામનો ઉલ્લેખ છે જેના વિશે અગાઉ વાત કરી નથી અથવા કોઈ ઐતિહાસિક કાવ્યમાં નથી; એ મુકામ તે અજાહરનગર૧૭ અને કેટિનગર અથવા કોડીનાર (૧૫–૧૩). એ જ સર્ગના શ્લેક ૨૫-૩૧ માં વસ્તુપાળનાં બાંધકામની એક યાદી આપી છે, જેને બીજાં સમકાલીન લખાણનું અનુમોદન મળે છે. ગ્રન્થને અંતે પ્રશસ્તિમાં કર્તા પિતાના ગચ્છના-નાગેન્દ્ર ગચ્છના આચાર્યોની પટ્ટાવલિ, બીજી વિગતો ઉપરાંત, આપે છે (પૈરા ૧૧૧). ૧૬પ, દરેક સર્ગના અંતિમ લેકમાં આવતા “લક્ષ્મી' શબ્દથી આ કાવ્ય અંકિત થયેલું હોઈ પુપિકાઓમાં એને “લયંક' કહેવામાં આવ્યું ૧૭. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઊના પાસેનું અજાહર તથા અજારા. અત્યારે તે નાનું ગામડું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy