SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ ૧૫૮. નવમે સ કહે છે કે વસ્તુપાળ રાત્રે નિદ્રાધીન થયું હતું. ત્યારે એણે એક મ જોયું. જેને એક જ પગ બાકી રહ્યો હતો એવા દેવતારૂપે ધર્મ તેની પાસે આવ્યો અને બોલ્યો કે “કૃતયુગમાં મારે ચાર પગ હતા, ત્રેતામાં ત્રણ અને દ્વાપરમાં બે હતા; હવે કલિયુગમાં માત્ર એક જ પગ બાકી રહ્યો છે.' વળી ધર્મ આગળ કહે છે કે “મૂળરાજ અને સિદ્ધરાજ જેવા રાજાઓએ સોમનાથની યાત્રા કરીને મને પુષ્ટ કર્યો હતો. સિદ્ધરાજે તો મારા ક્રીડાશલ જેવું રાજવિહાર નામે મન્દિર બાંધ્યું હતું અને મારા તેજની વૃદ્ધિ કરવા માટે શત્રુંજય તીર્થને બાર ગામ દાનમાં આપ્યાં હતાં. એ રાજા ગ; એની માતા મયણલદેવી પણ ગઈ, જેણે બાહુલેદ (ધોળકા પાસેના ભોળાદ) આગળ સોમનાથના યાત્રાળુઓ પાસેથી લેવા કર નાબૂદ કર્યો હતો, અને ઊલટું, એમને અન્નપાન આપવાની વ્યવસ્થા કરી હતી. કુમારપાળે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી હતી તથા ઘણાં મંદિરો બાંધ્યાં હતાં. તેણે સોમેશ્વર અને કેદારનાં મન્દિરના જીર્ણોદ્ધાર કરાવ્યા, જે વૃષરૂપે વર્ણવાયેલા એવા મારાં જાણે કે બે શિંગડાં હતાં. મૂળરાજે મંડલી(માંડલ)માં બાંધેલા મૂલેશ્વર મહાદેવના મન્દિરને પણ કુમારપાળે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પણ એ જૂના સમયની સ્થિતિ હવે પલટાઈ ગઈ છે. વિભિન્ન દર્શનના અનુયાયીઓ હવે ક્યાં જાય ? સમગ્ર આપત્તિનો નાને શો ભાગ જ મેં વર્ણવ્યો છે. તે મંત્રીશ્વર ! મારા મનની પીડા દૂર થાય એવો પ્રયત્ન તું કર.” ધર્મ આમ બોલ્યો તે સમયે વસ્તુપાળ નિદ્રામાંથી જાગી ગયો (૯-૧ થી ૩૪). આ સને બાકીને ભાગ (૯-૩૫ થી ૬૦) વૈતાલિકોનાં સ્તુતિકાવ્યોથી રોકાયેલો છે, જેઓ કાવ્યમય વાણીમાં વસ્તુપાળની પ્રશસ્તિ ગાવા સાથે સૂર્યોદયનું પણ વર્ણન કરે છે. વસ્તુપાળના સ્વપ્નમાં ધર્મનું દર્શન આ કાવ્યનું બહુ નોંધપાત્ર અંગ છે. વૃષરૂપે વર્ણવાયેલ ચતુષ્પાદ ધર્મ, જેને એક જ પાદ કળિયુગમાં બાકી રહ્યો છે એ ઉલ્લેખ જૈન સાહિત્ય અથવા પુરાણકથામાં બીજે કયાંય મળતું નથી. આ પ્રકારનું વર્ણન “ ભાગવત પુરાણ” (સ્કન્ધ ૧, અધ્યાય ૧૬-૧૭) માં છે, જેની અસર બાલચન્દ્ર ઉપર થઈ હોય. કૃતયુગમાં ધર્મને ચાર પગ હવાને ઉલ્લેખ “નૈષધીયચરિત' (૧-૭) પણ કરે છે. અણુહિલવાડ અને ધોળકાના રાજદરબારોમાં બ્રાહ્મણ અને જન વિદ્વાને વચ્ચે ઘનિષ્ટ સાંસ્કારિક સંપર્ક હતું, અને બાલચન્દ્ર કે જેઓ પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ હતા (પૈરા ૧૨૪) તેઓ ‘ભાગવત પુરાણ માંથી સાહિત્યિક પ્રોજન (Motif) લે અને વસ્તુપાળનું જીવન આલેખતાં એને કવિતામાં વિનિગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy