SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ સંસ્કૃત સાહિત્યમાં ફાળા [ ૧૨૫ કશું નથી. હું કે જે એમના સ્વામીની સ્ત્રી છું એની પણ તે કામના કરે છે. સુધરૂપી કવચથી જેણે મારું રક્ષણ કર્યું હતું એ પુરાહિત આમશર્મા વિદ્યમાન નથી. જેણે પોતાની મંત્રશક્તિથી વિરાધી ક્ષત્રિયાને વશ કર્યા હતા એ મુંજાલના પુત્ર પણ નથી. શત્રુએના હસ્તીઓની ગંધ પણુ જે સહન કરી શકતા નહાતા એ રાષ્ટ્રકૂટવશને પ્રતાપમલ્લ પણ નથી. મારા પેાતાના માણસોએ જ મારી હલકી દશા કરી છે; એક માત્ર જગદ્દેવને જ કારણે ગુરપુરીમાં શત્રુએ પેસી શકયા નથી. ગુર્જર દેશની રાજધાનીમાં રાત્રે દીવા પણ થતા નથી, રાત્રે કરતાં હાથનગારાંથી જે પુરી ગાજી રહેતી તેમાં શિયાળવાં શબ્દ કરે છે. વૃક્ષેા ભાંગી પડવાથી આ નગરી જાણે ક મુંડિત અને કિલ્લા પડી જવાથી જાણે કે કુડલવિહીન થઈ ગઈ છે. તારા પુત્ર વીરધવલ સહિત તું મારું રક્ષણ કરે. આમ ખેલીને એ દેવીએ શ્વેત માળા મારા કદમાં પહેરાવી અને મારી નિદ્રાની સાથે તે પણ ક્યાંક ચાલી ગઈ. હવે કહા કે આના અર્થશા. '' લવણુપ્રસાદની આ વાત સાંભળીને સામેશ્વરે કહ્યું કે “ રાજા ! તમને ધન્ય છે. શ્રી પોતે જ તમને વરવા માટે આવી છે, માટે એના વીકાર કરો અને ઉત્તમ મ`ત્રીઓની નિમણૂક કરે.. " "" ૧૪૨. આ રૂપકપ્રધાન વન એમ સૂચવે છે કે દુર્વ્યયસ્થા દૂર કરવા માટે તથા રાજાનું રક્ષણ કરવા માટે અણુહિલવાડના રાજકારે ખારની લગામ લવણુપ્રસાદે પોતાના હાથમાં લીધી હતી. આજ રૂપક ઘેાડા ફેરફાર, અલંકરણા અને ઉમેરા સાથે ‘સુકૃતસંકીર્તન' અને ‘વસન્તવિલાસ' જેવાં ખીજા” સમકાલીન કાવ્વામાં તથા ‘પ્રબન્ધકાશ’ અને ‘વસ્તુપાલચરિત' જેવા પછીના સમયના પ્રબન્ધાત્મક ગ્રન્થામાં નજરે પડે છે. ખરી વસ્તુ એ હાઈ શકે ... ભીમદેવના શત્રુઓને નાશ કરવા માટે લવણુપ્રસાદ અને વીરધવલે કૂટનીતિ સમેત અનેક ઉપાયો અજમાવ્યા હો, એથી ગુર્જર રાજલક્ષ્મીના હિતમાં આ બધા ઉપાયાને ન્યાય્ય ઠરાવવાના પ્રયત્ન સામેશ્વર અને ખીજા સમકાલીન કવિએએ કર્યો હશે, જેને પાછળના લેખકે પણ અનુસર્યા જણાય છે. ૧૪૩. ત્રીજા સર્ગ માં ચડપથી માંડીને વસ્તુપાળના પૂર્વ પુરુષાના વૃત્તાન્ત કવિ આપે છે અને વસ્તુપાળના પુત્ર ચૈત્રસિંહના તથા તેજપાળના પુત્ર લાવણ્યસિંહના ઉલ્લેખ કરીને એ વશાવળી પૂરી કરે છે (શ્લાક ૧-૫૦). લવણુપ્રસાદ કાર્ય કુશળ મંત્રીઓની નિમણૂક કરવા ઇચ્છતા હતા, અને તેણે વસ્તુપાળ–તેજપાળને તેડાવ્યા અને એમને મંત્રી તરીકે નીમવાની પેાતાની ઇચ્છા જણાવી. વસ્તુપાળે આ ઇચ્છાને સ્વીકાર કર્યો અને લવણુપ્રસાદે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy