SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ કરતે એક પ્રશસ્તિશ્લેક (નરી રજવતા ચિ૦) કહ્યો હતો, ૧૪ અને તેથી પ્રસન્ન થઈને વસ્તુપાળે બાલચન્દ્રની આચાર્યપદસ્થાપનાના સમારંભમાં હજારે દ્રશ્ન ખર્ચા હતા. બાલચન્દ્રની સાહિત્યકૃતિઓ ૧૨૫, બાલચન્દ્રની મુખ્ય કૃતિ એ એમનું વસન્તવિલાસ” મહાકાવ્ય છે. વસન્તપાલ અથવા વસ્તુપાળના જીવનનું એમાં આલેખન છે. વસન્તપાલ નામ વસ્તુપાળને એના કવિ મિત્રોએ આપ્યું હતું (પેરા ૬૩). 'વસન્તવિલાસ” કાવ્ય વસ્તુપાળના પુત્ર જૈત્રસિંહની વિનંતિથી રચાયું હતું. કર્તાએ રચનાવર્ષ આપ્યું નથી, પણ ઈ. સ. ૧૨૪૦ (સં. ૧૨૯૬)માં વસ્તુપાળના અવસાનને એ ઉલ્લેખ કરે છે, એટલે ત્યારપછી એ રચાયું હશે. “કરુણાવાયુધ” એ બાલચન્દ્રનું એકાંકી નાટક છે. એની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે તે પ્રમાણે, વસ્તુપાળની એક સંધયાત્રા પ્રસંગે યાત્રિકના પરિતોષ અથે શત્રુંજય ઉપર આદિનાથના મન્દિરમાં તે ભજવાયું હતું. કેટલાક વિદ્વાને માને છે કે એ ઈ. સ. ૧૨૨૧ની પ્રસિદ્ધ સંઘયાત્રા હતી.૧૪૫ ઉપર જેનો નિર્દેશ કર્યો છે તે શ્રીમાળી જ્ઞાતિના આસડકૃત પ્રાકૃત પ્રકરણગ્રન્થ “વિવેકમંજરી’ અને ‘ઉપદેશકન્ડલી” ઉપરની સંસ્કૃત ટીકાઓ એ બાલચન્દ્રની બીજી બે રચનાઓ છે. બન્ને ટીકાઓની પ્રશસ્તિઓમાં કહ્યું છે તેમ, ચૌલુક્ય રાજાના દરબારીઓએ આસડને “કવિસભાગાર'નું બિરુદ આપ્યું હતું. વિવેકમંજરી” ટીકાનું સંશોધન નાગેન્દ્ર ગ૭ના વિજયસેનસૂરિ અને બૃહદ્વરછના પ્રદ્યુમ્નસૂરિએ કર્યું હતું. એમાં રચનાવર્ષ નથી, પરંતુ ઈ. સ. ૧૨૪૫માં વિજયસેનસૂરિનું અવસાન થયું (પેરા ૧૧૪) ત્યાર પહેલાં એની રચના થઈ હોવી જોઈએ. “ઉપદેશકન્ડલી” ટીકામાં પણ રાવર્ષ નથી, પણ પાટણ ભંડારમાંની એની એક તાડપત્રીય પ્રતિ સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૦)માં લખાઈ છે, ૧૬ ૬ એટલે ત્યાર પહેલાં એ રચાયેલી છે. મૂળ ગ્રન્થના કર્તા આસડના નાના પુત્ર જૈત્રસિંહની વિનંતિથી બાલચન્દ્ર આ બને ટીકાઓની રચના કરી હતી. બન્નેની પ્રશસ્તિઓમાંથી એ જાણવા મળે છે કે જેસિંહનું કુટુંબ ચન્દ્રગચ્છનું અનુયાયી હાઈ બાલચન્દ્ર એને કુલગુરુ હતા. ૧૬૪. પ્રચિ, પૃ. ૧૦૩; વચ, છ,૧૧૮-૨૦; ઉત, પૃ. ૭૩. આ જ લેક છેડા ફેરફાર સાથે, વસ્તુપાળના પુત્ર જેત્રસિંહની પ્રશંસારૂપે બાલચ ‘વસંતવિલાસના ત્રીજા સર્ગના અંતે આપે છે. ૧૬૫. જૈસાઇ, પૃ. ૩૮૪ ૧૬૬, પાબંન્ન, પૃ. ૩૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy