SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ ચોાવીર કવિ અને સાહિત્યને આશ્રયદાતા ૯૨. પ્રબન્ધામાં ટાંકવામાં આવેલાં પદ્યો ઉપરથી જણાય છે કે યશેાવીર સંસ્કૃત ભાષાના એક સારે। કવિ હતા. ‘ કીર્ત્તિ કૌમુદી ’એ કાલિદાસ, માધ અને અભિનન્દ સાથે એની તુલના કરી છે તેથી એ વાતને અનુમેાદન મળે છે.૭૬ પરન્તુ યશેાવીરની કાઈ સળંગ કૃતિ હજી સુધી જાણવામાં આવી નથી. એક ઉચ્ચ આધ્ધા ધરાવતા હાઈ યશે!વીર સાહિત્યના આશ્રયદાતા પણ હતા. પાટણમાં સંધવીના પાડાના ભંડારમાંની, એક સંસ્કૃત સુભાષિત સંગ્રહની તાડપત્રીય પેાથીમાં ( અપૂર્ણ વિભાગ, નં. પર ) ‘ સજ્જનપ્રશંસા ’ ખંડમાં મ`ત્રી યશેાવીરની પ્રશંસાના કેટલાક શ્લેાકા મે જોયા હતા. આ પેાથી સાવ તૂટક સ્થિતિમાં છે, એટલે કૃતિનું નામ, એના સંકલનકારનું નામ, રચનાવ કે લેખનવ કશું જાણી શકાતું નથી; પરન્તુ કવિએ યશેાવીરને કેવું માન આતા એ બતાવવા ઉપર્યુકત શ્લોકા પૂરતા થઈ પડે છે. જાલેારમાં યશેાવીરે બધાવેલા ચંદનવસતિ નામે મન્દિરમાં મહાવીરની મૂર્ત્તિના પ્રતિષ્ઠામહાત્સવ પ્રસંગે વાદી દેવસૂરિના પ્રશિષ્ય અને રાજસ્થાનમાં સૂંધાની પહાડી ઉપરની ચાચિગદેવની પ્રશસ્તિના કર્તા જયમગલસૂરિએ નીચેના શ્લેાક કહ્યો હતા— यत्त्वयोपार्जितं वित्तं यशोवीर प्रतिष्ठया । तल्लक्षगुणितां नीतं यशो वीरप्रतिष्ठया ॥७७ કાવ્યપ્રકાશ–સંકેત 'ના કર્તા આલંકારિક માણિક્યચન્દ્રે (જુએ પૅરા ૧૨૯-૩૦ ) એક પ્રસંગે યશેાવીરની આ પ્રમાણે સ્તુતિ કરી હતી— ratara लिखत्याख्यां यावच्चन्द्रे विधिस्तव । न माति भुवने तावदाद्यमप्यक्षरद्वयम् ||७८ [ ૮૫ ૯૩. ચારણામાં પણ યશેાવીર પ્રસિદ્ધ હતા, કેમકે ચારાને તેણે ઘણાં દાન આપ્યાં હતાં. યોાવીરની સ્મૃતિરૂપે ચારણેાએ કહેલા સંખ્યાબધ દૂહા ચાદી પ્રકા, પૃ. ૧૨૪માં છે. આ ક્ષતિ મૂળે સાદ્યન્ત યોાવીરે જ બતાવેલી હશે એમ આપણે નિશ્ચયપૂર્વક કહી ન શકીએ. પરન્તુ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ તેણે મન્દિરના સ્થાપત્યની ટીકા કરી હશે અને માત્ર કલા કે કારીગરીની જ નહિ, પણ લાકપ્રચલિત માન્યતાએ કે વહેમેાને પિરણામે દોષરૂપ ગણાતી ક્ષતિ તરફ પણ ધ્યાન ખેંચ્યું હશે. ૭૬. કીકૌ, ૧-૨૬ ૭૭. પુપ્રસ', પૃ. ૫૦ ૭૮. એ જ, પૃ. ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy