SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ માં રચાયેલી છે.૫૧ “નૈષધીયચરિત' ની રચના પછી એક સૈકામાં જ ગુજરાતના વિદ્વાનોમાં એનો પ્રચાર હરિહરના ગુજરાતમાં થયેલા આગમનને તથા વસ્તુપાળ અને એના સાહિત્યમંડળની વિદ્યાપ્રવૃત્તિને આભારી છે. ગૌડદેશીય હરિહરની ગુજરાતની મુલાકાત દૂર કાશ્મીરથી આવેલા કાશ્મીરી કવિ બિહલણનું સમરણ કરાવે છે, જેણે સિદ્ધરાજના પિતા કઈ સોલંકીના સમયમાં અણહિલવાડમાં “કર્ણસુન્દરી” નાટિકા રચી હતી (પેરા ૩૮). હરિહરનાં સુભાષિત ૮૩. સેમેશ્વરકૃત “કીર્તિકૌમુદી'ના કથન પ્રમાણે, હરિહર એક વિશિષ્ટ કવિ હતો, પણ હરિહરે જે કઈ સ્વતંત્ર સાહિત્યકૃતિઓ રચી હોય તે તે સચવાઈ રહી નથી; પરન્તુ હરિહરને નામે ચડેલા સંખ્યાબંધ શ્લોકે. પ્રબન્ધામાં મળે છે. વિરધવલ અને વરતુપાળ હરિહરનું સ્વાગત કરવા માટે આવ્યા ત્યારે વિરધવલની પ્રશંસાના હરિહરે ઉચ્ચારેલા શ્લોકો પર પોતાની તાબેદારીની ચિહનરૂપે એક પરદેશી રાજાએ વરધવલને ભેટ મોકલેલે સુવર્ણદંડ વસ્તુપાળે યાચકને આપી દીધો ત્યારે હરિહરે કરેલી મંત્રીની સ્તુતિ,૫૩ અને વસ્તુપાળની સંધયાત્રા પ્રસંગે તેણે કહેલા શ્લેકેપ૪–ખાસ રસપ્રદ છે. “સૂતિમુક્તાવલિ” અને “શાર્ડગધરપદ્ધતિ'માં હરિહરના કેટલાક શ્લોકે છે, પણ એને કર્તા આપણે હરિહર છે કે એ નામને બીજો કોઈ કવિ છે એ નક્કી થઈ શકે એમ નથી. ૮૪. હરિહર ગુજરાતમાં કેટલું રહ્યો હશે એ આપણે નિશ્ચિતપણે જાણતા નથી, પણ પ્રબન્ધમાં આપેલ વૃત્તાન્ત જોતાં તે ધોળકામાં થોડોક વર્ષ તે રહ્યો હશે એમ લાગે છે. પ્રબન્ધ કહે છે કે ભગવાન સોમેશ્વર અથવા સોમનાથનું દર્શન કરવા માટે હરિહર પ્રભાસે ગયો હતો. ત્યાં બન્નેના નામસામને કારણે તેને એકાએક કવિ સોમેશ્વરનું તથા તેણે પિતા પ્રત્યે બતાવેલા માત્સર્યનું સ્મરણ થયું, અને તેણે તુરત જ બે શ્લોકો ઉચ્ચાર્યા. એમને એક શ્લોક નીચે પ્રમાણે છે અને તેમાં એના કર્તા હરિહરનું નામ પણ છે– क्व यातु क्वायातु क्व वदतु समं के न पठतु क्व काव्यान्यव्याज रचयतु सदः कस्य विशतु । ૫૧. એ જ. પર. રામુર્માનવનિ, દરતન રાશન પ્ર, પૃ. ૫૮ ૫૩. મ: ! સામે ન સદ્દામહે એ જ, પૃ. ૬૧ ૫૪, ધરઃ વધવ, માનના િવશીતા, વય, ૬ . ૭૯, ૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy