SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ ૭૭ ગુજરાતમાં “નૈષધીયચરિત”ને અભ્યાસ અને પ્રચાર ૮૨. “પ્રબન્ધકાશમાં આપેલે ઉપર્યુક્ત વૃત્તાન્ત એની વિગતમાં પૂરેપૂરા તવાળો છે કે કેમ એ કહી શકાય નહિ, પણ ડે. મૂલરે કહ્યું છે તે પ્રમાણે,૪૫ વૃદ્ધપરંપરા દ્વારા સૂચવાયેલ ઐતિહાસિક અનુકૃતિઓને આધારે જૈન પ્રબન્ધ રચાયેલા છે, અને “પ્રબન્ધકોશ માં અપાયેલે વૃત્તાન્ત એકંદર સાચે હોવાનો પૂરો સંભવ છે. રાજદરબારો કે જ્યાં કવિપંડિતે એકત્ર થતા હતા તથા રાજા કે મંત્રીને પ્રસન્ન કરવા માટે પરસ્પર સાથે સ્પર્ધા કરતા હતા એને વાતાવરણ ઉપર પણ તે કેટલેક પ્રકાશ પાડે છે. “નૈષધીયચરિતની ગુજરાતમાં પ્રથમ પ્રતિ હરિહર લાવ્યો હતો અને ગુજરાતના વિદ્વાનમાં એ કાવ્યને પ્રચાર, ઉપર બતાવ્યું તેમ, વસ્તુપાળ દ્વારા થયો હતો એમાં શંકા નથી, કેમકે એની પ્રાચીનતમ હસ્તપ્રતો ગુજરાતમાંથી મળેલી છે. પાટણના જૈન ગ્રન્થભંડારમાં “નૈષધીયચરિત ની સં. ૧૩૦૪ (ઈ. સ. ૧૨૪૮) અને સં. ૧૩૯૫ (ઈ. સ. ૧૩૩૯) જેટલી જૂની બે તાડપત્રીય પ્રતો સયવાયેલી છે.૪૬ સં. ૧૩૭૮ (ઈ. સ. ૧૩૨૨)માં નકલ થયેલી એની બીજી એક તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં છે,૪૭ તથા પાટણ અને જેસલમેર એ બન્ને સ્થળે લેખનસંવત વિનાની કેટલીક તાડપત્રીય પ્રતો છે.૪૮ રાજા વિસલદેવના ભારતીભાંડાગાર અથવા પુસ્તકાલયમાં “નૈષધીયચરિત 'ની નકલ મકાઈ હતી એ બતાવવામાં આવ્યું છે;૪૯ આ નકલ હરિહરની મૂળ પ્રતને આધારે અથવા તે ઉપરથી વસ્તુપાળે કરાવેલી નકલ કે નકલને આધારે થઈ હશે એમ માનવું વધારે પડતું નથી. આ સુપ્રસિદ્ધ કાવ્યની બે સૌથી જૂની ટીકાઓ ગુજરાતની જ છે–એક વિદ્યાધરકૃત સાહિત્યવિદ્યાધરી” નામે ટીકા અને બીજી ધોળકાના વિદ્વાન ચંડ પંડિતે રચેલી ટીકા. વિદ્યાધરની ટીકા ઘણું કરીને વિસલદેવના રાજ્યકાળ (ઈ. સ. ૧૨૩૮–૧૨૬૧)માં રચાઈ હશે, વિસલદેવના પુસ્તકાલયમાંની પ્રતિ અનુસારના પાઠની એ ટીકા છે.૫૦ ચંડ પંડિતની ટીકા, એના પિતાના જ કથન મુજબ, સં. ૧૩પ૩ (ઈ. સ. ૧૨૯૭) ૪૫. લાઈફ ઓફ હેમચંદ્ર પૃ. ૪ ૪૬. પાભંસૂ, પૃ. ૬૪ અને ૧૧૩ ૪૭. જેભંસૂપૃ. ૧૪ ૪૮. એ જ, પૃ. ૧૩, ૧૬, ૧૭; પાર્ભગ્ન, પૃ. ૧૭૦ ૪૯. સંદિઈ, “નૈષધીયચરિત'નું અંગ્રેજી ભાષાન્તર, પ્રસ્તાવના, પૃ. ૯ ૫૦. સાંડેસરા, ભાવિ, પુ. ૩, પૃ. ૨૬, “ગુજરાતમાં ઔષધીયચરિતને પ્રચાર તથા તે ઉપર લખાયેલી ટીકાઓ” એ લેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy