SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શૂન્ય એટલે ધરા યા નિઃસ્વભાવતા. કઈ ધમ યા ધર્મમાં, તેમજ આ કે તે પક્ષમાં બંધાવું એ મધ્યમમાર્ગ નથી. જે પારમાર્થિક તત્ત્વ છે તે ચતુર્કેટિવિનિમુક્ત અને માત્ર પ્રજ્ઞાગમ્ય છે. એટલે તેણે શૂન્યવાદ નિરૂપીને પણ બુદ્ધની મધ્યમપ્રતિપદા તેમજ પુનર્જન્મ યા આધ્યાત્મિક ઉત્કાન્તિવાદની રક્ષા તે કરી જ. આ પછી છેવટે ગાચાર આવે છે. તેને એમ લાગ્યું તેવું જોઈએ કે શૂન્યવાદ એ કોઈ તત્ત્વનું ભાવિ યા વિધિરૂપે નિરૂપણ નથી કરતે, એટલે બુદ્ધનું વિજ્ઞાનકેન્દ્રિત “નામ”તત્વ પણ લોકોની દષ્ટિમાં શૂન્યવત્ બની જાય છે. કદાચ આવા કોઈ વિચારે જ યુગાચારવાદીઓને વિજ્ઞાનવાદ તરફ પ્રેર્યા. એમણે નામ, ચિત્ત, ચેતના યા આત્મા, જે કહે તેને માત્ર વિજ્ઞપ્તિરૂપે સ્થાપ્યું. એમણે પહેલાંના વાદે કરતાં વિશેષ એ સ્થાપ્યું કે પહેલાંના બદ્ધવાદીઓ વિજ્ઞાનબાહ્ય રૂપ-ઈન્દ્રિયગ્રાહી ભૂત-ભૌતિક તત્ત્વ-નું વાસ્તવિક અસ્તિત્વ સ્વીકારીને વિચાર કરતા, ત્યારે પ્રાચીન અને નવીન બધા જ વિજ્ઞાનવાદીઓએ એવા બાહ્ય રૂપનું પૃથક અસ્તિત્વ ન સ્વીકાર્યું; અને કહ્યું કે જેને બૌદ્ધો અને ઇતર વાદીઓ “રૂપ” કહે છે તે મૂર્ત તત્વ માત્ર વિજ્ઞાનનું એક સ્વરૂપ જ છે, પણ અવિદ્યા, વાસના યા સંવૃતિને કારણે તે વિજ્ઞાનથી જુદું હોય એમ ભાસે છે. આ રીતે બૌદ્ધ પરંપરા આત્મસ્વરૂપ પરત્વે અનેક તબકકામાંથી પસાર થતાં થતાં છેવટે ગાચારસંમત વિજ્ઞપ્તિમાત્રતાવાદમાં પ્રતિષ્ઠા પામે છે અને ધર્મ કીર્તિ, શાન્તરક્ષિત અને કમલશીલ જેવા એને બુદ્ધિગ્રાહ્ય બનાવવાને સમર્થ પ્રયત્ન કરે છે.' બૌદ્ધ પરંપરાની કઈ પણ શાખા કેમ ન હોય, તે દરેકને દેહભેદે સ્વસંમત ચિત્તસંતાન યા જીવને વાસ્તવિક ભેદ ઈષ્ટ છે. વિજ્ઞાનાતવાદી જેવા, જેઓ વિજ્ઞાનબાહ્ય કશું જ વાસ્તવિક નથી માનતા, તેઓ પણ વિજ્ઞાન સંતતિએને પરસ્પર વાસ્તવિક ભેદ માની, દેહભેદે છવભેદની માન્યતા, જે શ્રમણ પરંપરાનું એક સામાન્ય લક્ષણ છે, તેનું જ અનુસરણ કરે છે. બૌદ્ધ પરંપરા ચિત્ત, વિજ્ઞાન સંતતિયા જીવના પરિમાણ વિષે કઈ ખાસ વિચાર રજૂ નથી કરતી, જેથી ચક્કસપણે એમ કહી શકાય કે તે અણુવાદી છે કે દેહપરિમાણ વાદી છે. છતાં બૌદ્ધ ગ્રન્થમાં જ્યાં ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે ચિત્ત યા વિજ્ઞાનને આશ્રય હદયવલ્થ છે. તેથી સામાન્ય રીતે એમ કહી શકાય કે બૌદ્ધો પરિમાણની દષ્ટિએ ચિત્ત યા જીવતત્ત્વને ખાસ વિચાર કરતા નહિ હોય તેય તેઓ હદયવલ્થનિશ્રિત વિજ્ઞાનની સુખ-દુઃખાદિ વેદનારૂપ અસર દેહવ્યાપી ઘટાવતા જ હશે. ૧. પ્રમાણવાર્તિક, ૨.૩૨૭ આદિ; તત્ત્વસંગ્રહની બહિરર્થપરીક્ષા, પૃ. ૫૫૦-૫૮૨. ૨. આ વસ્તુને સિદ્ધ કરવા જ ધર્મકાતિએ સન્તાનાન્તરસિદ્ધિ ગ્રન્થ લખ્યો છે. ૩, વિશુદ્ધિમગ, ૧૪.૬૦; ૧૭.૧૬૩ આદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy