SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ આ જ સર્વાસ્તિવાદ છે. આ વાદે ચિત્ત અને તેની વિવિધ અવસ્થાએ યા ચૈતસિકનું સૂક્ષ્મ-અતિસૂક્ષ્મ નિરૂપણ કર્યું", પણ તેણે પોતાના મૌલિક ક્ષણિકવાદને વળગી રહેવા છતાં અનાગત અને અતીત અધ્વાને સ્વીકાર કરી પ્રત્યેક ક્ષણિક ચિત્ત અને ચૈતસિકની પોતાની રીતે વૈકાલિકતા સ્થાપી.૧ આની સામે પાછે વિરોધ શરૂ થયા : યુદ્ધ માત્ર ક્ષણવાદી છે અને વત માનવાદી છે તે વૈકાલિકતા એ સાથે કેમ સ`ગત થઈ શકે ? ત્રૈકાલિકતા એ તે પાછલા દ્વારમાંથી શાશ્વતવાદને પ્રવેશ છે. એ વિચારમાંથી સૌત્રાન્તિકમત અસ્તિત્વમાં આવ્યા. તેણે ધર્મોનું એટલે ચિત્ત-ચૈતસિકેાનું વિકસિત ખાખું સ્વીકારી લીધું, પણ તે ધર્માને વૈકાલિક અસ્તિત્વથી સર્વથા મુક્ત કર્યા અને માત્ર વા માનિક સ્થાપ્યા. આ રીતે પરસ્પર પક્ષ-પ્રતિપક્ષની પ્રબળ ચર્ચાઓ, વાદગાછી ચાલતી. કેાઈ સતનું સ્થાપન કરે તે ખીજે તદ્દન વિરુદ્ધ અસત્ પક્ષ સ્થાપે; કેાઈ સદસત્તુભય તે કેાઈ અનુભય; એ જ રીતે નિત્ય, અનિત્ય, ઉભય, અનુભય; અને એક, અનેક, ઉભય, અનુભય આદિની અનેક ચતુષ્કાટીએ ચાલતી. નાગાર્જુન જેવાને લાગ્યું કે આ કાટીઓમાં પડવુ' એ તે બુદ્ધના મધ્યમમાગ સાથે સંગત નથી. એ વિચારે તેને ચતુષ્કોટીવિનિમુ ક્ત તત્ત્વની દિશામાં પ્રેર્યાં અને તેમાંથી તેણે શૂન્યવાદ સ્થાપ્યા. ૧. તત્ત્વસંગ્રહ. ત્રૈકાલ્યપરીક્ષા, કા. ૧૭૮ ૬થી, પૃ. ૫૦૩થી; અભિધર્મદીપ કા. ૨૯૯, પૃ. ૨૫૦ ટિપ્પણુ સહિત, એમાં બૌદ્ધ શાસનમાં રહેલ ચાર વાદીએનુ વર્ણન કરતાં સર્વાસ્તિવાદનું વર્ણન છે, જેઓ કાલયને સ્વીકારી ધું ઘટાવે છે. ૨. માધ્યમિકવૃત્તિ. પૃ. ૧૬, ૨૬, ૧૦૮; પૃ. ૩૭૫ કા, ૫.૭; ચાઢારમંગરી, વા. ૧૭, तस्मान्न भावो नाभावो न लक्ष्यं नापि लक्षणम् । आकाशं आकाशसमा धातवः पञ्च ये परे ॥ ७ ॥ अस्तित्वं ये तु पश्यन्ति नास्तित्वं चाल्पबुद्धयः । भावानां ते न पश्यन्ति द्रष्टव्योपशमं शिवम् ॥ ८ ॥ यथोक्तमार्यरत्नावल्याम् नास्तिको दुर्गतिं याति सुगतिं यात्यनास्तिकः । यथाभूतपरिज्ञानान्मोक्षमद्वयनिः श्रितः ॥ आर्यसमाधिराजे चोक्तं भगवता - अस्तीति नास्तीति उभेsपि अन्ता शुद्धी अशुद्धीति इमेsपि अन्ता | तस्मादुभे अन्त विवर्जयित्वा मध्येऽपि स्थानं न करोति पण्डितः ॥ अस्तीति नास्तीति विवाद एषः शुद्धी अशुद्धीति अयं विवादः । विवादप्राप्त्या न दुःखं प्रशाम्यते अविवादप्राप्त्या च दुःखं निरुध्यते ॥ Jain Education International -મધ્યમારિકા, ક.૭,૮, —માધ્યમિજ વૃત્તિ, પૃ. ૧૨-૧૨૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy