SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ જૈન, સાંખ્ય, યોગ આદિ પિતપોતાની રીતે જન્માક્તર ઘટાવવા એક સ્થાનથી સ્થાનાન્તરમાં સંચરે એવું સૂક્ષમ શરીર માને છે, તેમ બૌદ્ધો પણ પહેલેથી માનતા આવ્યા હોય એમ લાગે છે. દીઘનિકોયમાં “ગન્ધર્વ પદ આવે છે. તેને અર્થ એમ કરવામાં આવ્યો છે કે કોઈ મૃત્યુ પામી અન્યત્ર જન્મ લેવાનું હોય ત્યારે, એ ગન્ધર્વ સાત દિવસ સુધી અનુકૂળ તકની પ્રતીક્ષા કરે છે. આ ગન્ધર્વની કલ્પનાને આધારે કથાવસ્થ જેવા ગ્રન્થમાં અન્તરાભવ શરીરની ચર્ચા થઈ છે. આગળ જતાં વસુબધુ જેવા વૈભાષિકો અને બીજાઓએ પણ અન્તરાભવ શરીર માની તેનું સમર્થન કર્યું છે. માત્ર અપવાદ છે ઘેરવાદી બુદ્ધષનો. એણે એવું કેઈ અન્તરાભવ શરીર માન્યા વિના જ પ્રતિનિધની ઉપપત્તિ કેટલાંક દષ્ટાન્ડે આપી કરી છે. જવસ્વરૂપ વિષે ઔપનિષદ વિચારધારા - હવે જીવના સ્વરૂપ પરત્વે ઔપનિષદ વિચારધારા લઈ કહેવું પ્રાપ્ત છે. જુદા જુદાં પ્રાચીન ઉપનિષદોમાં અને કેટલીકવાર એક જ ઉપનિષદના જુદા જુદા ભાગોમાં જીવ અને બ્રહ્મના સ્વરૂપ પરત્વે કલ્પનભેદ તેમજ વિચારભેદ દેખાય છે. તેથી એમ કહી શકાય કે સમગ્ર ઉપનિષદને સૂર એક જ પ્રકારને નથી. આને લીધે જ ઉપનિષદ ઉપર આધાર રાખતા ચિન્તકોમાં પહેલેથી જ જીવના સ્વરૂપ પર અનેક વિચારપ્રસ્થાને ચાલતાં. એ પ્રસ્થાનેમાંથી પોતાને અભિપ્રેત એવા મન્તવ્યની સ્થાપના માટે બાદરાયણે બ્રહ્મસૂત્ર રચ્યું, અને તેમાં કેટલાક પૂર્વ પ્રચલિત મતાન્તરે ઉલ્લેખ કર્યો. ઉપનિષદોની પેઠે બ્રહ્મસૂત્રની પણ બહુ પ્રતિષ્ઠા બંધાઈ તેથી એના ઉપર અનેક વ્યાખ્યાઓ રચાવા લાગી; અને જે વિચારપ્રસ્થાને પ્રથમથી અસ્તિત્વમાં હતાં, તે બ્રહ્મસૂત્રની વ્યાખ્યારૂપે પાછાં વિકસ્યાં. પરંતુ એ પ્રાચીન વ્યાખ્યાઓ આજે જેમની તેમ ઉપલબ્ધ નથી. આચાર્ય શંકરે બ્રહ્મસૂત્ર આદિ ગ્રન્થ ઉપર ભાષ્ય લખ્યાં અને માયાવાદ સ્થાપ્યો કે તરત જ પાછી પ્રતિક્રિયા શરૂ થઈ. જે વિચારપ્રસ્થાનને માયાવાદ માન્ય ન હતું, તેમણે કઈ ને કઈ પૂર્વવત આચાર્યોના માર્ગનું અનુસરણ કરી બ્રહ્મસૂત્ર ઉપર માયાવાદ વિરુદ્ધ વ્યાખ્યાઓ કરી. આમાં ભાસ્કર, રામાનુજ, નિમ્બાર્ક આદિ આચાર્યો જાણીતા છે. એ આચાર્યોની વિચારણામાં પરસ્પર ડેઘણે મતભેદ છે, કાંઈક પરિભાષા અને દષ્ટા તેના ઉપયોગમાં પણ ભેદ છે, છતાં એક બાબતમાં એ ૧. જુઓ, અભિધર્મદીપ, પૃ.૧૪૨ ટિપ્પણ સાથે; તથા The Tibetan Book of the Dead by Y. W. Evans-Wentiz; Published by Oxford Uni versity Press. ૨. વિશુદ્ધિમગ, ૧૭.૧૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy