SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વ પિતાનું નામ અને રૂપસ્વરૂપે વ્યાકૃત કરે છે. બુદ્ધ એવું કંઈ જુદું મૂળ તત્ત્વ નથી માનતા કે જેમાંથી નામનું વ્યાકરણ થાય, પણ તે તે રૂપની પેઠે નામને જે સ્વતંત્ર તત્ત્વ માને છે, અને એ તત્ત્વ પણ ઉપર સૂચિત સંઘાતરૂપ હોઈ, સંતતિબદ્ધ હોવાને કારણે, અનાદિનિધન છે. પિટકની આ સ્થાપનામાં આપણે એ જોઈ શકીએ છીએ કે સંસારમાં વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનની સંઘાતધારા અનવરત વહ્યા કરે છે. તે ધારાની નથી કેઈ આદિ કે નથી કેઈ અન્ત. આ વિજ્ઞાન કેન્દ્રિત ધારામાં ચેતન યા પુગલદ્રવ્યના સ્થાયી વ્યક્તિત્વનું કેઈ સ્થાન ન હોવાથી તે માન્યતા યુગલનરામ્યવાદ તરીકે ઓળખાય છે. પરંતુ બુદ્ધસંઘની ચારે તરફ શાશ્વત આત્મવાદીઓનાં અનેક મંડળે હતાં. જ્યારે તેમના તરફથી નિરાત્મવાદના આક્ષેપે શરૂ થયા હશે, અને કેટલાક શાશ્વતવાદી સંસ્કાર ધરાવનાર બુદ્ધસંઘમાં દાખલ થયા હશે, ત્યારે તેમણે પોતાની રીતે પાછો પુદગલવાદ સ્થાપે. કથાવ અને તત્ત્વસંગ્રહ આદિમાં આ વાદ એકદેશીય બૌદ્ધના પૂર્વ પક્ષ તરીકે આવ્યું છે. એ સમ્મિતીય યા વાત્સીપુત્રીય પુગલવાદીઓએ કહ્યું કે પુદ્ગલ યા જીવદ્રવ્ય ખરા અર્થ માં છે, પણ જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેનું અસ્તિત્વ “રૂપ” જેવું છે, ત્યારે તેમણે તેની ના પાડી. આમ બૌદ્ધસંઘમાં પુદગલાસ્તિત્વવાદ આ ખરે, પણ બુદ્ધના મૂળ દષ્ટિબિન્દુ સાથે એ સંગત થઈ શક્યો નહિ અને છેવટે નામશેષ થઈ ગયે. પુદગલનરામ્યવાદ અનેક રીતે વિકસતું જ હતું. તેને મુખ્ય ચિન્તા તે એ હતી કે તે શાશ્વત આત્મવાદીઓ સામે કેમ ટકી શકે અને એ પણ ચિન્તા હતી કે બીજાના આક્ષેપને જવાબ આપવા ઉપરાંત તેણે કઈ રીતે પુનર્જન્મ અને બંધ-મક્ષ આદિની વ્યવસ્થા વિશેષ બુદ્ધિગ્રાહ્ય રીતે ગોઠવવી અથવા કરવી ? આ ચિતામાંથી સર્વાસ્તિવાદ અસ્તિત્વમાં આવ્યો. તેણે એ નામતત્ત્વને ચિત્તપદથી પણ વ્યવહાર્યું અને એ ચિત્તને યા વેદના, સંજ્ઞા, સંસ્કાર અને વિજ્ઞાનના સંઘાતને અનેક સહજાત અને આંગતુક, સાધારણ અને અસાધારણ અંશોમાં યા ધર્મોમાં વિભક્ત કરી નિરૂપ્યું. ૧. તદું તર્ણવ્યાઝ તમારીI તરામપામ્યામેવ. વ્યાચિત ા –રાખ્યોવનદ્. ૧.૪.૭. ૨. વર પુનરત્ર સંકુચતે ?............(પૃ. ૨૧૪) ....પૌલૂઝિક્રસ્થાપિ વ્યાવસુવાહિનઃ પુરોપિ વચ્ચતોડતીતિ (. ૨૫૮) .નાનારણે પ્રક્ષેતવ્યા (g. ૨૫૬). –અભિધર્મદીપ અને તેની નોટો પૃ. ૨૫૪થી. એમાં બૌદ્ધસંમત અનાત્મવાદની પ્રક્રિયાનું અનેક ગ્રંથને આધારે સંકલન છે. જુઓ, તત્ત્વસંગ્રહ, કા. ૩૩૬થી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy