SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આમાં “બાયડી” ની જગ્યાએ “ભાયડે” પણ મૂકી શકાય. બાયડી બગડતાં ભાયડાને ભવ બગડે તે ભાયડો બગડતાં બાયડીને ભવ બગડે. વિવાહનું ફળ બતાવતાં આચાર્ય મહારાજ આગળ વધી જણાવે છે કે - “તત્કલ તુ સુજાતસુતસન્નતિ, અનાબાધચિત્તનિવૃત્તિ, ગૃહત્યસુવિહિતત્વમ, આભિજાત્યાચારવિશુદ્ધત્વમ, દેવાતિથિબાન્ધવસત્કારાનવઘત્વ ચ.” અથ–વિવાહનું ફળ ઉત્તમ સન્તતિને લાભ, ચિત્તની નિરાબાધ શાન્તિ, ઘરના કામકાજની સુવ્યવસ્થા, સંકુલાચાર-વ્યવહારની શુદ્ધિ અને દેવ, અતિથિ અને બાન્ધના સત્કાર-સન્માનને શુભ લાભ. સ્ત્રી-પુરૂષ મગની બે ફાડ છે. એ સમાજરૂપી કે ધર્મરૂપી રથનાં બે પિડાં છે. બે પૈડાં બરાબર હોય તે રથની કે શકટની પ્રગતિ થઈ શકે, તેમ સ્ત્રી-પુરૂષ, દમ્પતિ પરસ્પર એગ્ય ગુણસમ્પન્ન હોય તે તેઓ પિતાને ઉત્કર્ષ સાધી શકે, ગૃહસ્થાશ્રમને શોભાવી શકે અને તેમનાથી સમાજ અને ધમની ઉન્નતિ પણ થાય. પણ ખેદની વાત છે કે, સ્ત્રી-વગ માટે ઘણુ હલકા શબ્દ વપરાતા આવ્યા છે. કેઈએ કહ્યું કે – आपदामाकरो नारी, नारी नरकवर्तनी। विनाशकारणं नारी, नारी प्रत्यक्षराक्षसी । પણ આની સામે નારી-વગ ધારે તે એજ જવાબ આપી पुरुषो विपदा खानिः, पुमान् नरकपद्धतिः । पुरुषः पाप्मनां मूलं पुमान् प्रत्यक्षराक्षसः ॥ પણ આમ એક-બીજાને ભાંડવાથી શું? નથી સ્ત્રી નરકની ખાણ અને નથી પુરૂષ નરકની ખાણ. નરકની ખાણ છે એક માત્ર પિતાની મલિન ભાવના અને પા૫ વાસના. પુરૂષને સ્ત્રી પર વૈરાગ્ય થાય એટલા માટે જે સ્ત્રોને માટે હલકા શબ્દ વપરાયા હેય, તે સ્ત્રીને પુરૂષ પર વૈરાગ્ય થાય એટલા માટે પુરૂષ માટે પણ હલકા શબ્દો નહિ વપરાય છે ? માટે ખરી વાત તે એ છે કે, પા૫ વાસનાને ખંખેરી નાંખી આત્મશુદ્ધિ કરવામાં જીવનનું શ્રેય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy