SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મના ખરા તત્વને કઈ પણ અંશ તમારા દિલમાં ન ઉતરે તે ધિક્કાર છે તમારા જીવનને સમજો. જૈનધમ ક્ષત્રિયોને ધમ છે. બહાદૂરને ધમ છે. એ કાયરનો ધમ નથી. અહં ક્યાં પેદા થાય? વીર કયાં પેદા થાય ? એ તે બળવાનું અને બહાદૂરના ઘેર પેદા થાય. ખરે જન કે હોય ? આ ભયંકર પ્રસંગ બને અને તમારા પેટનું પાણી પણ ન હાલે તે ખરે જ તમે ભીરૂ અને માયકાંગલા છે. જેઓ આવા પ્રસંગે બૈરાં-છોકરાંનું રક્ષણ કરવાને બદલે નાસતા ફરે અને છુપાઈ જાય તે હું કહીશ કે તેવાઓ સાચા જૈનજ નથી. જૈન હોય તે નમાલ ન હોય, માયકાંગલે ન હિચ. ખરા જૈનમાં સાચું ક્ષત્રિયત્ન હોય. ખરા જૈનના હાથમાં તલવાર દેશ, ધર્મ અને તીર્થની રક્ષા માટે જ હોય. તેના હાથમાં તલવાર દેશના ઉદ્ધાર માટે હોય. આગલા ઇતિહાસ નપાસે તે આ વસ્તુ સાચા જૈનેમાંથી મળી આવશે. પૂર્વ કાળના જૈને એવું જીવન ભેગવી ગયા છે કે જેને વાંચતાં આપણું માંચ ઉદ્દલસિત થાય છે. વસ્તુપાલનું ચરિત્ર સેમેશ્વર નામના મહાવિદ્વાન બ્રાહ્મણે લખ્યું છે. તેમાં વસ્તુપાળના ગુનું વાન કર્યું છે. તેમાં જણાવ્યું છે કે વસ્તુપાળ રણના મેદાનમાં શત્રુઓને ઘઘરાવતા હતા. તે એક મહાનું ન હતા. તેમના શુરાતન પર તેમનું જૈનત્વ પ્રકાશમાન થતું હતું. તેવા વીરેના દાખલા દયાનમાં છે અને તમારામાં શાતનના ઝરા વહેવડાવે. દુઃખદ સ્થિતિ. આગલા ઇતિહાસને ભૂલીને તમને નબળાઈના પાઠે જેણે ભણાવ્યા હિય તે જૈન ધર્મના દુશ્મન ગણાય. અત્યારની જૈનોની સ્થિતિ દુઃખદ છે. તમે તમારી સ્થિતિ નિહાળે. જ્યાં તમારી સ્થિતિ જોખમાઈ રહી હોય ત્યાં તમારા દેરાસરનું, તીર્થનું અને ધર્મનું કોણ રક્ષણ કરવાનું? તમે આંખો મીંચીને કયાં સુધી ચાલશે ? કંઈ ધ્યાનમાં લેવાની જરૂર છે. તમારી ફરજ શું છે, તમારે કયે ભાગ લેવાનું છે તે હું સમજાવવા માગું છું. શક્તિવર્ધક સંસ્થાઓની જરૂર. - તમારૂ જીવન પુનર્રચના માંગે છે. તમારી ઉછરતી ઓલાદ માટે શક્તિવર્ધક સંસ્થાની જરૂર છે. શક્તિને કેઈએ ઈજા લીધે નથી. તમારી પ્રજાને તમે શક્તિશાલી નહિ બનાવે તે પછી દેરાસર અને તીર્થોને ભવિષ્યમાં કેણ સંભાળશે? ધમને કેણ રક્ષશે? ધર્મ કણ પાળશે? સમાજ એ ધમનું મન્દિર છે. તે મન્દિર આજે પડું પડું થઈ રહ્યું છે. તે મન્દિર ટકાવી રાખવા માટે ધમને ટકાવી રાખવા માટે શક્તિવર્ધક સંસ્થાઓની સખ્ત જરૂર છે. જીવનનું મૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy