SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આખરે મહાત્માની જીત થાય છે. મહાત્માના શાતિ-રસના પ્રવાહમાં ભુજગને ધ-મળ ધવાય છે. મહાત્મા મહાનું આત્મનાદ તેના આન્તર જીવનને સ્પર્શ કરે છે. ભુજંગનું રુગણ માનસ સ્વસ્થ બને છે. શાન્તિથી શાન્તિ! અને પ્રેમથી પ્રેમ! વિપુલ પ્રેમના પ્રભાવે વૈરીનું વૈર ધોવાઈ જાય છે અને વૈરીને મિત્ર બનાવી શકાય છે. અહિંસાને આ મહાન સિદ્ધાન્ત મહાવીરના જીવનમાં છેલછલ ભર્યો છે અને આજે પણ એને આભાસ જગત જોઈ રહ્યું છે. “સંગમ' દેવ મહાવીરના ઉપર અનહદ મારો ચલાવી રહે છે, બબ અને ખૂબ પ્રહારે વરસાવી ર છે, છતાં તેની ઉપર મહાવીરનું એક રૂંવાડું પણ ક્રોધથી ફડફડતું નથી. ઉલટુ, એ અજ્ઞાનીને માટે એ મહામાના હૃદયમાં દયા છેટે છે. પિતાની પર પડતા માને તે એ મહાત્મા ગણકારતું નથી, પણ જે અજ્ઞાનમાંથી એ દુર્જન ચેષ્ટા વરસી રહી છે તેને માટે તેની ઉપર મહાવીર દયા ખાય છે. એ બીચારાનું શું થશે! ” ની દયાભરી લાગણી મહાવીરની આંખમાં પાણી લાવે છે! હદ થઈ જાય છે શમવૃત્તિની! સમતાની પરાકાષ્ઠા ! ગીતા” ને નાદ છે—“ત્રિાના સાવૃના વિનાશા જ સુતા! પસંસ્થા નાસ્થય x x x”. પણ મહાવીરનો આત્મનાદ એથી ઉચો જાય છે. મહાવીરના આત્મનાદમાં “વિનાશાય કૃતા” ને બદલે ઉતારી સુતા (પાપીઓને નાશ કરવા માટે નહિ, પણ તેમને પણ ઉદ્ધાર કરવા માટે) સંભળાય છે. કેટલે ઉચા આદશ ! કેટલું ઊંચું જીવન ! કેટલે સમભાવ! વિશ્વબધુ જીવન અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે! ઇતિહાસ-પટ પર આ સમભાવ શે જડે તેમ નથી. અહિંસાના ચરમ શિખર પર બિરાજીને મહાવીર જગને આત્મશક્તિના પાઠ સુણાવે છે. એ મહાન જતિના મહાન તપ આગળ જડભાવનાં મેહમય વાદળ વિખરાય છે. પુણ્ય હૃદય તેમના આત્મભાવના પ્રદેશ ઝીલે છે, તેમના ચેતનપ્રેરક બે-રસનાં પાન કરે છે અને આધ્યાત્મિક જીવનના સુન્દર પ્રવાસે ચઢે છે. આજના મહાવીર–ભકતે મહાવીરના આદેશનું કેટલું અનુપાલન કરે છે તે જ્યારે વિચારશે? અહિંસા, સત્ય, સંયમ, પોપકાર, મૈત્રીભાવ અને સમભાવના જે આદર્શે મહાવીરે જગની આગળ પ્રકાશ્યા છે તેની સામે થવામાં, તેથી ઉલટા ચાલવામાં જૈનત્વ હણાઈ તે નથી રહ્યું કે? વિષમભાવ અને સંકુચિત મનોદશા જે આત્માને મહાન રોગ છે, અને જેને નાબૂદ કરવાનું મહાન કાર્યો બજાવવામાં મહાવીરે પિતાનું મહાનું તપ રેડ્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy