SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ---- - વીતરાગ પરમાત્માની મૂર્તિ પર અંગ અશોભન ઘટે ? - -- Try મુંબઈ-કોટના વ્યાખ્યાન-પીઠ પરથી ન્યાયવિશારદ– ન્યાયતી શ્રીમદ્ ન્યાયવિજયજી મહારાજે આપેલું ભાષણ પરમાત્મા પરમેશ્વર વીતરાગ છે. રાગદ્વેષાદિ સકલ થી રહિતપણું એ જ ઈશ્વરત્વનું લક્ષણ છે. એ દેવની સ્થાપનાનું ધામ તે દેવાલય. ત્યાં આપણે શું કામ જઈએ છીએ ? દર્શન કરવાનું કંઈ કારણ? કારણ એક માત્ર આત્મશક્તિ મેળવવી એ છે. રાગ-દ્વેષરૂપ સંસાર-દાવાનલના પ્રચંડ તાપથી બન્યા-ઝળ્યા જેને વીતરાગ પરમાત્માનાં શરણ સિવાય બીજું કઈ શાન્તિનું સાધન નથી. હૃદયની શુદ્ધિ માટે, આત્માની શાન્તિ માટે, ઈન્દ્રિના વશીકરણ માટે અને કષાયને પરાજય કરવા માટે આપણે દેવદર્શને જઈએ છીએ. અન્દરને મેલ જોવા માટે, અન્દરના રેગને નાબૂદ કરવા માટે. રાગને ખંખેરવા માટે, સત્યના પાઠ શિખવા માટે, અહિંસાને બેધ લેવા માટે, આત્મશક્તિના નાદ સુણવા માટે દેવાલયે જઈએ છીએ. અનન્ત ગુણ મહાપ્રભુના મહાન જીવનમાંથી જીવનના મહાન પઠે વિચારવા માટે, ગ્રહણ કરવા માટે ત્યાં જઈએ છીએ. દેવદર્શનને આ મુખ્ય હેતુ ખાસ ધ્યાનમાં લેવા જોગ છે. આપણે આપણા આત્મજીવનને વિકાસ કરવા સારૂ દેવાલય જઈએ છીએ. ત્યાં જઈને પરમેવલ વિધિપ્રભુના ગુણોનું ચિન્તન કરી તેમાંના કંઇક અંશે આપણે પિતાના જીવનમાં ઉતારવા પ્રયાસ કરવાનું છે. જીવનમાં ઘુસેલા દોષોનું પ્રક્ષાલન અને સદ્ગણોનું પ્રદુષ્કરણ કરવાને ઉદ્દેશ દેવદર્શન દ્વારા સાધવાને છે. પરમાત્માની સાચી ઉપસ્તિ જીવનની શુદ્ધિ કરવામાં છે. આ ઉપરથી એ સ્પષ્ટ જણાઈ આવે છે કે, દેવાલય એ શાન્તિનાં . ને છે. પણ જ્યારે તેમાં ધમાલ અને ખેડાનાં દૂષિત તો ઘુસે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy