SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન સર્વની સંમતિથી માતાપિતાએ તે બાલકનું કુરિક એવું નામ પાડ્યું ત્યાર પછી અનુ ક્રમે તે કૂકિની સ્થિતિપતિતા એટલે કુલકમથી આવેલ પુત્રજન્મની સર્વ ક્રિયા મેધકુમાં રની જેમ કહેવી, યાવતુ તે શ્રેષ્ઠ પ્રાસાદ ઉપર રહી વિચરવા લાગ્યો. અહીં આઠ આઠનો દાયો જાણવો એટલે કે તેને આઠ કન્યાઓ પરણાવી વિગેરે. [14] ત્યારપછી તે કણિકકુમારને એક મધ્યરાત્રિએ યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે- આ પ્રમાણે નિચે શ્રેણીકરાજાના વ્યાધાતને લીધે હું પોતાની મેળે રાજ્ય લક્ષ્મીને કરતો અને પાળતો વિચારવાને શક્તિમાન નથી, તેથી મારેશ્રેણીકરાજાને બેડીનું બંધન કરીને પોતાને મોટા મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરાવવો શ્રેયકારક છે.” એ પ્રમાણે વિચાર કરીને તે શ્રેણીકરાજાના આંતરાને એટલે અવસરને, અલ્પ પરિવારાદિક છિદ્રને અને વિરહને શોધવા લાગ્યો. ત્યારપછી તે કૂણિકકુમાર શ્રેણીકરાજાનું આંતરું યાવતું મર્મ નહીં પામ વાથી એકદા કાલ વિગેરે દશ કુમારોને પોતાને ઘેર બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું નિશે હે દેવાનુપ્રિયો ! આપણે શ્રેણીકરાજાના વ્યાધાતને લીધે પોતે જ રાજ્ય લક્ષ્મીને કરતા અને પાળતા વિચરવાને શક્તિમાન નથી, તેથી હે દેવાનુપ્રિયો ! આપણે શ્રેણીક રાજાને બેડીનું બંધન કરીને, રાજ્ય, રાષ્ટ્ર, સૈન્ય, વાહન, કોશ. કોઠાર અને દેશ, એ સર્વના અગ્યાર ભાગ કરીને આપણે પોતે જ રાજ્યલક્ષ્મીને કરતા અને પાળતા વિચારી એ તે કલ્યાણકારી છે.” તે કાલાદિક દશ કુમારોએ શિકકુમારના આ અર્થને વિનયવડે અંગીકાર કર્યો. તે કૂણીકકુમારે એકદા શ્રેણીક રાજાનું આંતરું જામ્યું. જાણીને શ્રેણીક રાજાને બેડીનું બંધન કર્યું કરીને પોતાને મોટા મોટારાજ્યાભિષેકવડે અભિષેક કરાવ્યો. ત્યારપછી તે કુણિકકુમાર મોટા હિમવંત પર્વત જેવો યાવતું રાજા થયો. ત્યારપછી તે કણિકરાજા એકદા કદાચિત સ્નાન કરી યાવત્ સર્વ અલંકારવડેવિભૂષિત થઈ ચેલણા દેવીના પાને વંદન કરવા શીધ્રપણે ગયો. [15] ત્યારપછી તે કૂણિકરાજાએ ચેલણાદેવીને હણાયેલા મનના સંકલ્પવાળી યાવત ધ્યાન કરતી જોઈ. જઈને ચેલણાદેવીના પાદ ગ્રહણ કર્યા કરીને ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું "હે માતા! કેમ તમને તુષ્ટિ નથી? કેમ ઉત્સવ નથી? કેમ હર્ષ નથી? અથવા કેમ આનંદ નથી આવતો? કે જેથી હું પોતે જ રાજ્યલક્ષ્મીને ભોગવતો યાવતું વિચરું છું.” ત્યારપછી તે ચેલણાદેવીએ કૃષિકરાજાને આ પ્રમાણે કહ્યું-“હે પુત્ર! કેમ મને તુષ્ટિ, ઉત્સવ. હર્ષ કે આનંદ થાય? કે જેથી તે તારા પિતા દેવ સમાન, ગુરુજન સમાન અને તારા પર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત એવા શ્રેણીકરાને બેડીનું બંધન કરીને તે પોતાને મોટા રાજ્યાભિષેકવડે અભિષેક કરાવ્યો છે ?" ત્યારપછી તે કુણિક રાજાએ ચેલણાદેલીને આ પ્રમાણે કહ્યું "હે માતા ! શ્રેણીકરા માર વાત કરવાની ઈચ્છાવાળા હતા. એ જ પ્રમાણે હે માતા! મને મારવાની, બાંધવાની અને નિષ્ણુભા કરવાની ઈચ્છા, વાળા હતા. તો હે માતા! શ્રેણીકરાજ કેવી રીતે મારાપર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત હોય?” ત્યારપછી તે ચેલણાદેવીએ કૂણિકકુમારને આ પ્રમાણે કહ્યું “નિશ્ચે હે પુત્રી તું મારા ગર્ભમાં આવ્યું ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે મને આ આવા પ્રકારનો દોહલો ઉત્પન્ન થયો હતો કે તે માતાઓને ધન્ય છે યાવતુ જ્યારે તું વેદનાવડ પરાભવ પામી મોટોથી રોતો હતો ત્યારે તે તારી આંગલી મોઢામાં રાખતા હતા એટલે તે રોતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy