SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૪ નિરયાવલિયાનં-૧/૧૨ [૧૨]ત્યારપછી તે ચેલણાદેવીએ નવ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે યાવતું સુકો. મલ અને સુપ બાળકને જન્મ આપ્યો. ત્યારપછી તે ચેલણાદેવને આ આવા પ્રકારને થાવતુ વિચાર ઉત્પન્ન થયો કે-“ જો પ્રથમ આ બાલકે ગર્ભમાં રહીને જ પોતાના પિતાના ઉદરનું માંસ ખાધું, તો હું નથી જાણતી કે આ બાલક વૃદ્ધિ પામીને અમારા કુલનો અંત કરનાર થશે, તેથી આ બાલકને એકાંતે ઉકરડામાંત્યાગ કરવો એ જ કલ્યાણ કારક છે.” આ પ્રમાણે તેણીએ વિચાર કર્યો. દાસીને બોલાવી, આ પ્રમાણે કહ્યું " કે દેવાનુપ્રિયા 1 આ બાલકને એકાંતે ઉકરડામાં ત્યાગ કર.” ત્યાર પછી તે દાસીએ ચેલણાદેવીના આ પ્રમાણે કહેવાથી બે હાથ જોડી ચાવતું મસ્તકે અંજલિ કરી ચેલણાદેવીના આ અર્થને વિનયવડે અંગીકાર કર્યો. અંગીકાર કરીને તે બાલકને હસ્તતલના પુટવડે ગ્રહણ કર્યો. જ્યાં અશોકવન હતું ત્યાં આવી. આવીને તે બાલકનો એકાંતે ઉકરડામાં ત્યાગ કર્યો. ત્યારપછી તે શ્રેણી કરાજાએ આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે તે જ્યાં અશોક વનિકા હતી ત્યાં આવ્યા. આવીને તે બાળકને એકાંતે ઉકરડામાં ત્યાગ કરેલો જોયો. જોઈને તે તત્કાલ ક્રોધ પામ્યા, યાવતું ક્રોધની જવાલાવડે દેદીપ્યમાન થઈ તે બાલકને હસ્ત તલના પુટવડે ગ્રહણ કર્યો. જ્યાં ચેલણાદેવી હતી, ત્યાં આવ્યા. આવીને ચેલણા દેવીને ઊંચા નીચા આક્રોશ વડે આક્રોશ કર્યો, ઉંચી નીચી નિર્ભત્મનાવડે નિર્ભસૂના કરી, ઉંચી નીચી ઉદ્ધNણાવો ઉદ્ધષણા કરી, ઉદ્ધષણા કરીને આ પ્રમાણે કહ્યું " તેં મારા પુત્રને એકાંતે ઉકરડામાં કેમત્યાગકરાવ્યો?"આ પ્રમાણે કહી ચલણા દેવીને ઉંચા નીચા શપથ -સોગન આપ્યા. સોગન આપીને આ પ્રમાણે કહ્યું " હે દેવાનુપ્રિયા ! તું આ બાળક ને અનુક્રમે રક્ષણ કરતી અને ગોપાવતી વૃદ્ધિ પમાડ. ત્યારપછી તે ચેલણાદેવી શ્રેણીક રાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે લજ્જા પામી, શરમાઈ ગઈ બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી શ્રેણીકરાજાના આ. અર્થને વિનયવડે અંગીકાર કર્યો. અંગીકાર કરી તે બાળકને અનુક્રમે રક્ષણ કરતી અને ગોપવતી વૃદ્ધિ પમાડવા લાગી. * [૧૩]ત્યારપછી તે બાલકને ઉકરડામાં ત્યાગ કર્યો હતો. તે વખતે તેની અંગુલિ નો અગ્રભાગ કુકડાના પીંછાથી દુભાયો હતો અને તેમાંથી વારંવાર પરુ અને લોહી નીક ળતું હતું, તેથી તે બાલક વેદનાથી પીડા પામતો મોટા મોઢ શબ્દવડે રુદન કરતો હતો. ત્યારપછી શ્રેણીકરાજાતે બાલકનારદનના શબ્દને સાંભળી હૃદયમાં ધારી જ્યાં તે બાલક હતો, ત્યાં આવ્યા.આવીને તે બાલકને હસ્તકલના પુટવડે ગ્રહણ કર્યો. ગ્રહણ કરી ને તે અંગુલિના અગ્રભાગને પોતાના મુખમાં નાંખ્યો. નાખીને તેનું પરુ અને લોહીને પોતાના મુખવડે ચૂસી લીધું. ત્યારપછી તે બાલક સમાધિ પામ્યો, વેદના રહિત થયો અને ચૂપ થઈને રહ્યો. પછી જ્યારે તે બાલક વેદનાએ પરાભવ પામી મોટા મોટા શબ્દવડે રોતો હતો, ત્યારે પણ શ્રેણીકરાજા આવીને તે બાલકને બે હાથ વડે ગ્રહણ કરતા હતા અને તે જ પ્રમાણે પરુ ને અધિર ચૂસી લેતા હતા. એ રીતે કરવાથી યાવત્ તે વેદનારહિત થઈને ચૂપ રહેતો હતો. છે ત્યારપછી તે બાળકને તેના માતા-પિતાએ ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન કરાવ્યું યાવતું બારમો દિવસ પ્રાપ્ત થયો ત્યારે આ આવા પ્રકારનું ગુણથી પ્રાપ્ત થયેલું નામ પાડ્યું કે આ અમારા બાલકને એકાંતે ઉકરડામાં ત્યાગ કર્યો હતો તે વખતે તેની આંગલી કુકડાના પીંછાથી વિંધાણી હતી, તેથી આ અમારા બાળકનું નામ મૂર્ષિક છે. એમ કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy