SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ રક રિયાવલિયા- 15 બંધ થઈને ચુપ રહેતો હતો. આ પ્રમાણે નિશે હે પુત્ર! શ્રેણીકરાજા તારા પર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત હતા. ત્યારપછી તે કૂણીકરાજાએ ચેલણા દેવીની પાસે આ અર્થ સાંભળીને હૃદયમાં ધારીને ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું- હે માતા ! દેવ સમાન, ગુરુજન સમાન અને અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત એવા મારા પિતા શ્રેણીકરાજાને બેડીનું બંધન કરવાથી મેં ધણું દુષ્ટ કામ કર્યું છે, તેથી હું જાઉં છું અને હું પોતે જ શ્રેણીકરાજાની બેડીને છેદી નાંખું છું " આ પ્રમાણે કહીને હાથમાં કુહાડો લઈને જ્યાં કેદખાનું હતું ત્યાં શીધ્ર જવા નિીકળ્યો. શ્રેણીકરાજાએ કૂણીક કુમારને હાથમાં કુહાડો લઈ આવતો જોયો. જોઈને આ પ્રમાણે બોલ્યા- “આ કણિકકુમાર અપ્રાર્થિતની પ્રાર્થના કરનાર યાવતુ લક્ષ્મી અને લજ્જાએ કરીને રહિત થયેલો હાથમાં કહાડો લઈ અહીં શીધ્રપણે આવે છે તો હું નથી જાણતો કે તે મને કેવા ખરાબ મારવડે મારશે?” એમ વિચારી ભય પામેલા એવા તેણે તાલપુટ નામનું વિષ પોતાના મુખમાં નાંખ્યું. ત્યારપછી તે શ્રેણીકરાજા તાલપુટવિષ એક મુહૂર્તમાં પરિણમવાથી પ્રાણ રહિત, ચે રહિત અને જીવ રહિત થઈ પૃથ્વી પર પડી ગયા. ત્યારપછી તે કૂણીકકુમાર જ્યાં કેદખાનું હતું ત્યાં આવ્યો. આવીને શ્રેણીકરાજાને પ્રાણ રહિત, ચેષ્ટા રહિત અને જીવ રહિત થઈ પૃથ્વી પર પડેલા જોયા. જોઈને પિતાસંબંધી મોટા શોકે કરીને વ્યાપ્ત થઈ કુકાવાથી કાપેલા શ્રેષ્ઠ ચંપક વૃક્ષની જેમ ધસ દઈને પૃથ્વીતલને વિષે સર્વ અંગોવડે પડી ગયો. ત્યારપછી તે કૂણીક કુમાર મુહૂર્ત પછી સાવધાન થયો રુદન કરતો, આઠંદ કરતો, શોક કરતો અને વિલાપ કરતો આ પ્રમાણે બોલવા લાગ્યો-“અહો ! હું અધન્ય છું, અપૂણ્ય છે, પૂર્વ જન્મમાં મેં સારું કર્મ કર્યું નથી, મેં ધણું દૂષ્ટ કામ કર્યું કે જે મેં મારા પિતા, દેવ સમાન, ગુરુસમાન, મારાપર અત્યંત સ્નેહ અને અનુરાગવડે રક્ત એવા શ્રેણીક રાજાને બેડીનું બંધન કર્યું. મારા નિમિત્તે જ શ્રેણીકા કાલધર્મ પામ્યા.” આ પ્રમાણે, કહી ઈશ્વર, તલવર યાવતુ સંધિપાલની સાથે પરિવરેલા તેણે. રુદન કરતો, આજંદ કરતાં, શોક કરતાં અને વિલાપ કરતાં મોટી સદ્ધિ અને સત્કારના સમુદાયવડે શ્રેણીકરાજાનું નીહરણ કર્યું. તથા ધણાં લૌકિક મૃતકાર્ય કર્યું ત્યારપછી તે કૃણિકકુમાર મનમાં ઉત્પન્ન થયેલા. તથા વચનવડે પ્રકાશ નહીં કરવાથી મનમાં જ વતતા દુઃખ વડ પરાભવ પામી એકદા કદાચિત્ અંતઃપુરના પરિવાર સહિત, ભાંડોપકરણ વસ્ત્ર પાત્રાદિક સહિત રાજ ગૃહનગરમાંથી નીકળ્યો. નીકળીને જ્યાં ચંપાનગરી હતી ત્યાં આવ્યો. ત્યાં પણ વિપુલ ભોગના સમૂહને પામી કેટલેક કાલે શોક રહિત થયો. [16] ત્યારપછી તે કૂણિક રાજાએ એક કૉંચિત્ કાલાદિક દશ કુમારોને બોલાવ્યા. બોલાવીને રાજ્યના પાવતુ જનપદના અગ્યાર ભાગ કરી વહેંચી આપ્યા. વહેંચી આપીને પોતે જ રાજ્યલક્ષ્મીને કરતો અને પાળતો રહેવા લાગ્યો. [૧૭]તે ચંપાનગરીમાં શ્રેણીકરાજાનો પુત્ર અને ચેલણાદેવીનો આત્મજ કૃણિક રાજાનો સહોદર નાનો ભાઈ વિહલ્લ નામનો કુમાર હતો. તે કોમલ યાવત્ સુપ હતો. હવે તે વિહલ કુમાર ને શ્રેણિકરાજાએ જીવતાં જ સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર પ્રથમ દીધા હતા, તેથી તે વિહલ્લકુમાર સેચનક નામના ગંધહસ્તી ઉપર બેસીને અંતઃપુરના પરિવારસહિત ચંપાનગરીના મધ્ય ભાગે થઈને નીકળતો હતો, નીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005079
Book TitleAgam Deep 19 Nirayavaliyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 19, & agam_nirayavalika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy