SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ મહાનિસીહ-૫-૭૮૮ મુનિ અપરાધ કરનાર ઉપર પણ કોપાયમાન ન થાય તે ગચ્છ. [૭૮૯-૭૯૦] હે ગૌતમ ! જે ગચ્છમાં પાંચ વધસ્થાનો (ઘંટી-સાંબેલું-ચુલોપાણીયારું-સાવરણી] પૈકી એક પણ હોય તે ગચ્છને ત્રિવિધે વોસિરાવીને બીજા ગચ્છમાં ચાલ્યા જવું વધસ્થાન અને આરંભથી પ્રવૃત્ત એવા ઉજ્વલ વેષવાળા ગચ્છમાં વાસ ન કરવો, ચારિત્ર ગુણોથી ઉજ્જવલ એવા ગચ્છમાં વાસ કરવો. [૭૧] દુર્જય આઠ કર્મરૂપી મલ્લને જીતનાર પ્રતિમલ્લ અને તીર્થંકર સરખા આચાર્યની આજ્ઞાનું જેઓ ઉલ્લંઘન કરે છે તેઓ કાપુરુષ છે, પણ સત્પરુષ નથી. ૭િ૯૨-૭૯૩ ભ્રષ્ટાચાર કરનાર, ભ્રષ્ટાચારની ઉપેક્ષા કરનાર અને ઉન્માર્ગમાં રહેલ આચાર્યએ ત્રણે પણ માર્ગનો નાશ કરનાર છે. જો આચાર્ય ખોટા માર્ગમાં રહેલા હોય, ઉન્માર્ગની પ્રરૂપણા કરતા હોયતો નક્કી ભવ્ય જીવોનો સમૂહ તે ખોટા માર્ગને અનુસરનાર થાય છે, માટે ઉન્માર્ગે આચાર્યનો પડછાયો પણ ન લેવો. [૭૯૪-૭૯૫] આ સંસારમાં દુઃખ ભોગવતા એક પ્રાણીને પ્રતિબોધ કરીને. તેને માર્ગ વિષે સ્થાપન કરે છે, તેણે દેવો અને અસુરોવાળા જગતમાં અમારી પડતની ઉદ્દઘોષણા કરાવી છે એમ સમજવું. ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં એવા કેટલાક મહાપુરુષો હતા, છે અને થશે કે જેમના ચરણયુગલ જગતના જીવોને વંદન કરવા યોગ્ય છે, તેમજ પરહિત કરવા માટે એકાન્ત પ્રયત્ન કરવામાં જેમનો કાલ પસાર થાય છે તે ગૌતમ ! અનાદિકાળથી ભૂતકાળમાં થયા છે. ભવિષ્યકાળમાં થશે કે જેમના નામ કરણ કરવાથી પણ નક્કી પ્રાયશ્ચિત લાગે. [૭૯૭-૭૯૯]. આ પ્રકારની ગચ્છની વ્યવસ્થા દુષ્પસહ સૂરિ સુધી ચાલવાની પણ તેમાં વચલા કાળમાં જે કોઈ તેનું ખંડન કરશે તો હે ગૌતમ! તે ગણીને નિશ્ચયથી અનંત સંસારી જાણવો. સમગ્ર જગતના જીવોના મંગલ અને એક કલ્યાણ સ્વરૂપ ઉત્તમ નિરૂપદ્રવ સિદ્ધિપદ વિચ્છેદ કરનારને જે પ્રાયશ્ચિત લાગે તે પ્રાયશ્ચિત ગચ્છવ્યવસ્થા ખંડન કરનારને લાગે. માટે શત્રુ અને મિત્ર પક્ષમાં સમાન મનવાળા, પરહિત કરવામાં તત્પર કલ્યાણની ઈચ્છાવાળાએ અને પોતે આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. | [૮૦૦-૮૦૩] ત્રણ ગારવમાં આસક્ત થએલા એવા અનેક આચાર્યો ગચ્છની વ્યવસ્થાનું ઉલ્લંઘન કરીને હજુ આજે પણ બોધિ-સાચો માર્ગ પામી શકતા નથી. બીજા પણ અનંત વખત ચારે ગતિ સ્વરૂપ ભવમાં અને સંસારમાં પરિભ્રમણ કરશે પણ બોધિની પ્રાપ્તિ નહિ કરશે. અને લાંબા કાળ સુધી અતિશય દુઃખ પૂર્ણ સંસારમાં રહેશે. હે ગૌતમ! ચૌદરાજ પ્રમાણ લોકનેવિષે વાળની અણીના ખૂણા જેટલો પણ એવો પ્રદેશ નથી કે જ્યાં આ જીવે અનંતા મરણો પ્રાપ્ત ન કર્યા હોય. ચોરાશી લાખ જીવને ઉત્પન્ન થવાના સ્થાનો છે, તેમાં તેવી એક પણ યોનિ નથી કે હે ગૌતમ! જેમાં અનંતી વખત સર્વ જીવો ઉત્પન્ન ન થયા હોય. ૮િ૦૪-૮૦૬ તપાવેલી લાલવર્ણવાળા અગ્નિ સરખી સોયો નજીક નજીક શરીરમાં ખોસવામાં આવે અને જે પ્રકારનું વેદનાનું દુઃખ થાય તેના કરતાં ગર્ભમાં આઠ ગણું દુઃખ થાય. ગર્ભમાંથી જ્યારે જન્મ થાય અને બહાર નીકળે ત્યારે યોનિયંત્રમાં પિલાવાથી જે દુખ થાય તેનાથી) ક્રોડ કે ક્રોડાકોડ ગણું પણ દુઃખ થાય જન્મ થતો હોય અને મરણ પામતો હોય તે સમયનું જે દુઃખ તે સમયે તો તેના દુઃખાનુભવમાં પોતાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy