SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ જીયકપ્પો – (૩૦) [૨૯-૩૦]...એ પ્રમાણે પ્રત્યેકને સાધુને ઉપબૃહણા-સંયમની વૃદ્ધિ-પુષ્ટિ આદિ ન કરનારને પુરમઢ આદિ ઉપવાસ પર્યન્ત પ્રાયશ્ચિત્ તપ આવે તેમજ પરિવાર ની સહાય નિમિત્તે, પાસસ્થા-અવસન્ન-કુશીલ આદિ નું મમત્વ કરનારને, શ્રાવક આદિની પરિપાલના કરનારને અથવાતો વાત્સલ્ય રાખનાર ને નિવિપુરિમઢ આદિ પ્રાયશ્ચિત્ તપ આવે. અહીં આ સાધર્મિક ને સંયમી કરવો કે કુલસંઘ-ગણ આદિ ની ચિંતા કે તૃપ્તિ કરે એવી બુદ્ધિએ સર્વ રીતે નિર્દોષ પણે મમત્ત્વ આદિ આલંબન હોવું જોઈએ. ૨૧૬ [૩૧]એકેન્દ્રિય જીવોને સંઘટ્ટન કરતા નીવિતપ, આ જીવો ને પરિતાપ ઉપજાવવો કે ગાઢતર સંચાલન થકી ઉપદ્રવ કરવો તે અણાગાઢ અને આગાઢ બે ભેદે કહ્યું અણાગાઢ કારણે આમ કરતા પુરિમઢ તપ અને આગાઢ કારણે એકાસણું તપ પ્રાયશ્ચિત્ આવે. [૩૨]અનંતકાય વનસ્પતિ, બે-ત્રણ ચારઈન્દ્રિયવાળા જીવોને સંઘટ્ટન પરિતાપ કે ઉપદ્રવ કરવાથી પુરિમઢ થી ઉપવાસ પર્યન્ત અને પંચેન્દ્રિય નું સંઘટ્ટન કરતા એકાસણું, અણાગાઢ પરિતાપથી આયંબિલ, આગાઢ પરિતાપથી ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ આવે ઉપદ્રવ કરતા એક કલ્યાણક તપ પ્રાયશ્ચિત્ આવે. [૩૩] મૃષાવાદ, અદત્ત, પરિગ્રહ આ ત્રણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ કે ભાવથી સેવતા જઘન્યથી એકાસણું, મધ્યમથી આયંબિલ, ઉત્કૃષ્ટથી એક ઉપવાસ પ્રાયશ્ચિત્ આવે. [૩૪] વસ્ત્ર, પાત્ર, પાત્રબંધ વગેરે ખરડ્યા રહે, તેલ-ઘી આદિના લેપવાળા રહે તો એક ઉપવાસ, સુંઠ-હરડે- ઔષધાદિની સંનિધિથી એક ઉપવાસ, ગોળ-ઘીતેલ વગેરેની સંનિધિ એ છઠ્ઠ, બાકીની સંનિધિએ ત્રણ ઉપવાસ તપ પ્રાયશ્ચિત્ [૩૫-૪૩]આ નવ ગાથા ની “જીત કલ્પ ચૂર્ણી” આધારે કરેલ ગુર્જર-છાયા અત્રે નોંધેલ છે. ઔધેસિક ના બે ભેદ ઓઘ-સામાન્યથી અને વિભાગથી. સામાન્યથી પરિમિત ભિક્ષાદાન રૂપ દોષમાં પુરમઢ અને વિભાગથી ત્રણે ભેદ ઉદ્દેસો- કૃત અને કર્મ ઉદ્દેસો માટે પુરમ, કૃતદોષ માટે એકાસણું ને કર્મ દોષ માટે આયંબિલ તથા ઉપવાસ તપ પ્રાયશ્ચિત્. પૂતિ દોષના બે ભેદ સૂક્ષ્મ અને બાદર. ધૂમ અંગાર વગેરે સૂક્ષ્મ દોષ ઉપકરણ તથા ભોજન-પાન તે બાદર દોષ જેમાં ઉપકરણપૂતિ દોષ માટે પૂરિમઢ અને ભોજન-પાનપૂતિ દોષ માટે એકાસણું તપ પ્રાયશ્ચિત્ મીશ્રજાત દોષ બે રીતે- જાવંતિય અને પાખંડ જાવંતિયમિશ્ર જાત માટે આયંબિલ અને પાખંડમિશ્ર માટે ઉપવાસ, સ્થાપના દોષ બે રીતે-અલ્પ કાલીન માટે નીવિ અને દીર્ઘકાલીન માટે પુરિમઢ, પ્રાકૃતિક દોષ બે પ્રકારે-સૂક્ષ્મ માટે નીવિ, બાદર માટે ઉપવાસ પ્રકૃષ્ટકરણ દોષ બે પ્રકારે અપ્રકટ હોયતો પુરમઢ અને પ્રગટવ્યક્ત રૂપે આયંબિલ, ડ્રીત દોષ માટે આયંબિલ, પ્રામિત્ય દોષ અને પરિવર્તીત દોષ બે પ્રકારે-લૌકિક હોય તો આયંબિલ, લોકોત્તર હોય તો પુરિમઢ, આદ્ભુત દોષ બે પ્રકારે- પોતાના ગામથી હોય તો પુરિમઢ, બીજા ગામથી હોય તો આયંબિલ. ઉભિન્ન દોષ બે પ્રકારે- દાદરો હોય તો પુરિમઢ અને બંધ કમાડ-કબાટ ઉઘાડે તો આયંબિલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy