SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ જીયકપ્પો – (૮) અશુદ્ધ કે અતિયાર યુક્ત ગણાય અને આલોચના કરતા શુદ્ધ કે નિરતિચાર બને. [૮]સ્વગણકે પરગણ અર્થાત્ સમાન સમાચારી વાળા કે અસમાન સમાચારી વાળા સાથે કા૨ણે બહાર નિર્ગમન થાય તો આલોચના થકી શુદ્ધિ થાય. જો સમાન સમાચારી વાળા કે અન્ય સાથે ઉપસંપદા પૂર્વક વિહાર કરે તો નિરતિચાર હોય તો પણ (ગીતાર્થ આચાર્ય મળે ત્યારે) આલોચના થી જ શુદ્ધિ થાય. (હવે ૯થી ૧૨ ગાથામાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ કહે છે.) [૯-૧૨]ત્રણ પ્રકારની ગુપ્તિ કે પાંચ પ્રકારની સમિતિ વિશે પ્રમાદ કરવો, ગુરુની કોઈ રીતે આશાતના કરવી, વિનય નો ભંગ કરવો, ઈચ્છાકાર વગેરે દશ સમાચારીનું પાલન ન કરવું, અલ્પ પણ મૃષાવાદ, ચોરી કે મમત્વ હોવું...અવિધિએ અર્થાત્ મુહપત્તી રાખ્યા વિના છીંક ખાવી-વાયુનું ઉર્ધ્વગમન કરવું, સામાન્યથી છેદન-ભેદન-પીલણ-આદિ અસંકિલષ્ટ કર્મોનું સેવન કરવું, હાસ્ય-કુચેષ્ટા કરવી, વિકથા કરવી, ક્રોધ આદિ ચાર કષાયો સેવવા, શબ્દ આદિ પાંચે વિષયોનું સેવન કરવું, .. દર્શન જ્ઞાન-ચારિત્ર કે તપ આદિમાં સ્ખલના થવી, જયણાયુક્ત થઈને હિંસા ન કરતો હોવા છતાં પણ સહસાકાર કે અનુપયોગદશા થી અતિચાર સેવે તો મિથ્યા દુષ્કૃત રૂપ પ્રતિક્રમણથી શુદ્ધ થાય, .. જો ઉપયોગ કે સાવધાની પૂર્વક પણ અલ્પ માત્ર સ્નેહ સંબંધ, ભય, શોક, શરીરાદિનું ધોવું વગેરે તથા કુચેષ્ટા-હાસ્ય-વિકથાદિ ને માટે પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ જાણવું. અર્થાત્ આ સર્વેમાં પ્રતિક્રમણ યોગ્ય પ્રાયશ્ચિત્ આવે. (હવેની ગાથા ૧૩ થી ૧૫ તદુ ભય પ્રાયશ્ચિત્ જણાવે છે.) [૧૩-૧૫] સંભ્રમ, ભય, દુઃખ આપત્તિ ને લીધે સહસાત્ અસાવધાની ને લીધે કે પરાધીનતાથી વ્રત સંબંધિ જે કોઈ અતિચારનું સેવન કરે તો તદુર્ભય અર્થાત્ આલોચના અને પ્રતિક્રમણ બંને પ્રાયશ્ચિત્ આવે, .. દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભાષણ, દુષ્ટ ચેષ્ટિત અર્થાત્ મન-વચન કે કાયાથી સંયમ વિરોધી પ્રવૃત્તિનું વારંવાર પ્રવર્તન. તે ઉપયોગ પરિણત સાધુ પણ આ બધાંને દૈસિક આદિ અતિચાર રૂપે ન જાણે, તો તેમજ - - સર્વે પણ ઉત્સર્ગ અને અપવાદ થી દર્શન-જ્ઞાન-ચારિત્ર નો જે અતિચાર તેનું કારણે કે સહસાત્ સેવન થયું હોય તો તદુભય પ્રાયશ્ચિત્ આવે. (ગાથા ૧૬-૧૭ “વિવેક” યોગ્ય પ્રાયશ્ચિત્ જણાવે છે.) [૧૬-૧૭] અશન આદિ રૂપ પિંડ, ઉપધિ, શય્યા વગેરેને ગીતાર્થ સૂત્રાનુસાર ઉપયોગથી ગ્રહણ કરે તે આ અશુદ્ધ નથી એમ જાણે કે નિરતિચાર-શુદ્ધ વિધિપૂર્વક પરઠવે, કાળથી અસઠપણે પહેલી પોરિસીએ લાવી ચોથી સુધિ રાખે, ક્ષેત્રથી અડધા યોજન દૂરથી લાવેલું રાખે, સૂર્ય ઉગ્યા પહેલા કે આથમ્યા પછી ગ્રહણ કરે. અર્થાત્ ગ્રહણ કર્યા પછી સૂર્ય નથી ઉગ્યો કે આથમ્યો છે તે જાણે, ગ્લાન-બાળ આદિના કારણે અશનાદિ ગ્રહણ કરેલ હોય, વિધિપૂર્વક પરિષ્ઠાપન કર્યુ હોય તો આ સર્વેમાં વિવેક-યોગ્ય’ પ્રાયશ્ચિત્ આવે. (હવે કાઉસ્સગ્ગ- પ્રાયશ્ચિત્ ને જણાવે છે.) [૧૮]ગમન, આગમન, વિહાર, સૂત્રના ઉદ્દેશાદિ, સાવદ્ય કે નિરવઘ સ્વપ્ન આદિ, નાવ- નિર્દ થી જળમાર્ગ પાર કરવો એ સર્વેમાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્, [૧૯]ભોજન,પાન, શયન, આસન, ચૈત્ય, શ્રમણ વસતિ, મળ-મૂત્ર ગમન માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy