SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ B ૧૭૭ ઉદ્દેસો–૮,સૂત્ર–૧૯૨ આજ્ઞા માંગે ત્યારે કદાચ પાડિહારિક સાથે શિષ્યને બોલાચાલી થાય તો સ્થવિર તેને રોકે અને કહે કે તમે કોપ ન કરો. તમે એમની વસ્તિ ગ્રહી રહ્યા છો. કઠોર વચન પણ બોલો છો એમ બંને કરવું યોગ્ય નથી. એ રીતે મીષ્ટ વચનથી બંનેને શાંત કરે. [૧૯૨-૨૦૦]સાધુ ગૃહસ્થને ઘેર આહાર માટે જાય, .. કે બહાર સ્થંડીલ કે સ્વાધ્યાયભૂમિ માં જાય, કે એક ગામથી બીજે ગામ વિચરતા હોય ત્યાં અલ્પ પણ કોઈ ઉપકરણ પડી જાય. તેને કોઈ સાધર્મિક સાધુ જુએ, ગૃહસ્થ થકી તે વસ્તુ ગ્રહણ કરવી કલ્પે. તે વસ્તુ લઈ તે સાધર્મિક પરસ્પર સાધુને એમ કહે કે હે આર્ય ! આ ઉપકરણ કોનું છે તે તમે જાણો છો ? સાધુ કહે કે હા જાણું છું તે મારું ઉપકરણ છે. તો તેને આપે. જો એમ કહે કે અમે જાણતા નથી તો લાવનાર સાધુ પોતે ન ભોગવે- ન બીજાને આપે પણ એકાંત-નિર્દોષ-થંડીલ ભૂમિમાં પરઠવી દે. [૨૦૧]સાધુ-સાધ્વીને વધારાના પાત્ર પરસ્પર માટે ધા૨વા કે ગ્રહણ કરવા કલ્પે. જો તે પાત્ર હું અમુક આપીશ, હું પોતે જ રાખીશ કે બીજા કોઈપણ ને આપશું તો જેને માટે તે લીધેલ હોય તેને પૂછ્યા કે નિમંત્રીત કર્યા સિવાય પરસ્પર દેવા ન કલ્પે, પણ જેને માટે લીધા છે તેને પૂછીને, નિમંત્રીત કરીને આપવા કલ્પે [૨૦૨]કુકડીના ઈંડા પ્રમાણ એવા આઠ કોળીયા એટલે કે આઠ કવલ આહાર જે કરે તે સાધુને અલ્પ-આહારી કહ્યા. બાર કવલ આહારી સાધુ અપાઈ ઉણોદરી કરે છે, સોળ કેવલ આહારી ને અર્ધ ઉણોદરી, ચોવીસ કવલ આહારીને પા ઉણોદરી, ૩૧ કવલ આહારીને કિંચિત્ ઉણોદરી, ૩૨ કવર આહારીને પ્રમાણ પ્રાપ્ત આહારી કહયા એ રીતે એકાદ કવલ પણ ઓછો આહાર કરનારને પ્રકામ ભોજી ન કહ્યા પણ ઉણોદરી કહી. આઠમા ઉદ્દેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. (ઉદ્દેસો - ૯ [૨૦૩-૩૦૬]સાગારિક- શય્યાતરને ત્યાં કોઈ મહેમાન ઘરમાં જમતોહોય, કે બહાર જમતો હોય તેના માટે આહાર-પાણી કર્યા હોય, તે આહાર શય્યાતર તેને આપે, પાડિહારિક-પાછા આપવાની શરતે વધેલ આહાર તે વ્યક્તિ શય્યાતરને આપે તો તેમાંથી સાધુને અપાયેલ આહાર સાધુએ લેવો ન કલ્પે, પણ જો તે આહાર અપાહિારિક હોય તો સાધુ-સાધ્વીને લેવો કલ્પે. [૨૦૭-૨૧૦]સાગારિક-શય્યાતરના દાસ, નોકર, ચાકર, સેવક આદિ કોઈપણ ઘરમાં કે, ..ઘર બહાર જમતાં હોય તેમને માટે બનાવેલ આહાર જમતા વધે અને તે નોકર વગેરે પાછો લેવાની બુદ્ધિએ શય્યાતરને આપે તો તેવો આહાર શય્યાતર આપે ત્યારે સાધુ-સાધ્વીને લેવો ન કલ્પે, પાછો લેવાની બુદ્ધિ રહિત અર્થાત્ અપ્રાતિહારિક હોય તો કલ્પે. .. .. [૨૧૧-૨૧૪]શય્યાતરના નાતીલા હોય, એક જ ઘરમાં, કે ઘર બહાર.. એક જ, .. કે અલગ ચુલાનું પાણી વગેરે લેતા હોય પણ તેના આધારે જીવતા હોય તો તેમનો દીધેલો આહાર સાધુને લેવો ન કલ્પે. 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy