SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ અધ્યયન-૪ સુવાડવાવડે યાવતુ તેમના મૂત્રવડે યાવત દુષ્ટ પ્રસૂતિવડે યાવતુ મલિન શરીરવાળી થયેલી હોવાથી ભોગ ભોગવવા સમર્થ થતી નથી. તેથી હે આયઓ! તમારી પાસે હું ધર્મ સાંભળવા ઈચ્છું છું. ત્યારપછી તે આયઓ સોમા બ્રાહ્મણીને વિચિત્ર પ્રકારનો યાવતુ કેવળી ભગ વાને પ્રરૂપેલો ધર્મ કહેશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે આયઓની પાસે ધર્મ સાં ભળી હદયમાં ઘારી હૃષ્ટ તુષ્ટ યાવતુ હૃદયમાં આનંદ પામી તે આયઓને વંદના કરશે, નમસ્કાર કરશે. વંદના નમસ્કાર કરી તે આ પ્રમાણે બોલશે- “હે આયઓિ ! તે એમ જ છે યાવતું જે આ ધર્મ તમે કહો છો તે તેમ જ છે. વિશેષ એ કે હે આયઓ! હું રાષ્ટ્રકૂટની રજા લઉં. ત્યારપછી હું દેવાનુપ્રિય એવી તમારી પાસે મુંડિત થઈને યાવતું પ્રવ્રજિત થાઉં. આયઓિ કહેશે કે હે દેવાનુપ્રિયા ! તને જેમ સુખ ઉપજે તેમ કર. આ ધર્મના કાર્યમાં પ્રતિ બંધ ન કર. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી તે આયઓિને વંદના કરશે, નમસ્કાર કરશે, ત્યારપછી તે સોમા બ્રાહ્મણી જ્યાં રાષ્ટ્રકૂટ હશે ત્યાં આવશે. તેને બે હાથ જોડી આ પ્રમાણે કહેશે આ પ્રમાણે નિશે હે દેવાનુપ્રિય ! મેં આયઓની પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઈષ્ટ છે યાવત્ રુચે છે. તેથી હું હે દેવાનુપ્રિય! તમોએ આજ્ઞા આપી સતી સુવ્રતા આયની સમીપે પ્રવ્રજિત થવાને-દીક્ષા લેવાને ઈચ્છું છું. ત્યારપછી તે રાષ્ટ્રકૂટ સોમા બ્રાહ્મણીને આ પ્રમાણે કહેશે-હે દેવાનુપ્રિય! તું હમણાં મુંડ થઈને યાવત્ વ્રજ્યા ગ્રહણ ન કર. હાલ તો પ્રથમ હે દેવાનુપ્રિયા ! મારી સાથે વિસ્તાર વાળા કામભોગને ભોગવે. ત્યારપછી ભોગ ભોગવીને સુવ્રતા આની પાસે મુંડ થઈને યાવતુ પ્રવ્રજ્યા લેજે. ત્યાર પછી તે સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટના આ અર્થને અંગીકાર કરશે. ત્યારપછી તે સોમાં બ્રાહ્મણી સ્નાન કરી યાવત્ શરીરની વિભૂષા કરી દાસી ઓના સમૂહથી પરિવરી સતી પોતાના ઘરથી નીકળશે. નીકળીને વિભેલ ગામની મધ્યે થઈને જ્યાં સુવ્રતા આયનો ઉપાશ્રય હશે ત્યાં આવશે. આવીને સુવ્રતા આયને વંદના કરશે, નમસ્કાર કરશે, તેમની પર્યાપાસના-સેવા કરશે. ત્યારપછી તે સુવ્રતા આઈ સોમા બ્રાહ્મણીને વિચિત્ર પ્રકારનો કેવલી ભગવાને પ્રરુપેલો ધર્મ કહેશે કે જે પ્રકારે જીવો કમને બાંધે છે વિગેરે. ત્યારપછી તે સોમાં બ્રાહ્મણી સુવ્રતા આ પાસે યાવતું બાર પ્રકારના શ્રાવક ધર્મ અંગીકાર કરશે. સુવ્રતા આયનેિ વંદન નમસ્કાર કરીને પોતાને ઘેર જશે. ત્યાર પછીને સોમા બ્રાહ્મણી શ્રાવિકા થઈ જીવાજીવના સ્વરૂપને જાણીને યાવતુ પોતાના આત્માને ભાવિત કરતી વિચરશે. ત્યારપછી તે સુવ્રતા એકદા કદાચિત્ અનુક્રમે વિહાર કરતી સતી ફરીથી યાવત્ વિભેલ ગામમાં આવશે. ત્યારપછી તે સોમા બ્રાહ્મણી આ કથાનો અર્થ પામી સતી હુષ્ટ તુષ્ટ થઈ સ્નાન કરી યાવતુ તે જ પ્રમાણે નીકળશે. યાવતુ તેને વંદના કરશે નમસ્કાર કરશે. વાંદી નમસ્કાર કરી ધર્મ સાંભળી યાવતું કે હું રાષ્ટ્રકૂટની રજા લઉં. પછી તમારી પાસે પ્રવજ્યા ગ્રહણ કરું. ત્યારે આ કહેશે કે-જેમ સુખ ઉપજે તેમ કર. ત્યારપછી તે સોમાં બ્રાહ્મણી સુવ્રતા આયને વંદના કરશે નમસ્કાર કરશે. નીકળીને જ્યાં પોતાનું ઘર હશે અને રાષ્ટ્રકૂટ હશે ત્યાં આવશે. આવીને બે હાથ જોડી તે જ પ્રમાણે રજા માગશે યાવતુ હું પ્રવ્રજ્યા લેવા ઈચ્છું છું એમ કહેશે. તે સાંભળી રાષ્ટ્રકૂટ કહેશે કે હે દેવાનુપ્રિયા! જેમ તને સુખ ઉપજે તેમ કર. વિલંબ ન કર. ત્યાર પછી તે રાષ્ટ્રકૂટ વિસ્તારવાળું અશન તે જ પ્રકારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy