SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧ ૨૭૦ ચેલણાદેવીનો આત્મજ અને મારો દૌહિત્ર છે, તે જ પ્રમાણે વિહલ્લકુમાર પણ છે વિગેરે સર્વ કહેવું યાવત્ વિહલ્લકુમારને હું મોકલું. તો હે સ્વામી ! ચેટકરાજા સેચનક ગંધહસ્તી ને અને અઢાર સ૨ના હારને આપતા નથી તથા વિહલ્લકુમારને મોક લતા નથી. અહીં વસતિ એટલે માર્ગમાં વિશ્રાંતિ લેવાનું સ્થાન અને પ્રાતરાશ એટલે સૂર્યોદયથી આરંભી ને બે પહોર સુધીમાં ભોજન કરવાનો સમય, સુખકારક આ બે વડે (વિશ્રાંતિ લેતો ને ભોજન કરતો ચંપા) નગરીમાં આવ્યો, કૂણિકરાજાને જોયો, તેને જય અને વિજયવડે વધાવી તે દૂત જે બોલ્યો, તે બતાવે છે આ પ્રમાણે નિશ્ચે હે સ્વામી ! વિગેરે પૂર્વવત્ ત્યારપછી તે કૂણિકરાજાએ બીજા દૂતને બોલાવી આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુ પ્રિય ! તું વૈશાલીનગરીએ જા. ત્યાં તું મારા માતામહ ચેટકરાજાને યાવત્ આ પ્રમાણે કહેજે કેનિશ્ચે હે સ્વામી ! કૂણિકરાજા આપને વિજ્ઞપ્તિ કરે છે કે-જે કોઇ રત્નો ઉત્પન્ન થાય તે સર્વ રાજકુળમાં જ રહેનારાં હોય છે, તો શ્રેણિકરાજા રાજ્યલક્ષ્મીને કરતા અને પાળતા હતા ત્યારે તેને બે રત્ન ઉત્પન્ન થયાં હતાં, તે આ પ્રમાણે-સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર. તો હે સ્વામી ! તમે રાજકુલની પરંપરાથી ચાલી આવતી સ્થિતિનો લોપ કર્યા વિના સેચનક ગંધહસ્તી અને અઢાર સ૨નો હાર કૂણિક રાજાને પાછો સોંપો અને વિહલ્લકુમારને મોકલો. ત્યા૨પછી તે દૂત કૂણિક રાજાની આજ્ઞાથી તે જ પ્રમાણે જઈ યાવત્ વધાવીને આ પ્રમાણે બોલ્યો“નિશ્ચે હે સ્વામી ! કૂણિક રાજા વિજ્ઞપ્તિ કરે છે કે-જે કોઈ રત્નો યાવત્ વિહલ્લકુમારને મોકલો.”ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિય ! જેમ કૂણિકરાજા શ્રેણિકરાજાનો પુત્ર અને ચેલણાદેવીનો આત્મજ(તેમ જ વિહલ્લકુમાર પણ) છે વિગેરે પ્રથમની જેમ કહેવું. ત્યારપછી તે કૃણિક રાજા તે દૂતની પાસે આ અર્થ સાંભળીને હૃદયમાં ધારીને તત્કાળ ક્રોધ પામ્યો. યાવત્ ક્રોધની જ્વાળાવડે દેદીપ્યમાન થઈ તેણે ત્રીજા દૂતને બોલા વ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! તું વૈશાલી નગરીમાં જા. ત્યાં ડાબા પગવડે ચેટકરાજાના પાદપીઠ ને આક્રમણ કર, ભાલાના અગ્રભાગ વડે લેખને આપજે. આપીને તત્કાળ ક્રોધ પામી યાવત્ ક્રોધની જ્વાળાવડે દેદીપ્યમાન થઈ ત્રણ વળીયાવાળી ભૃકુટિને કપાળમાં ચડાવી ચેટકરાજાને આ પ્રમાણે કહેજેન્ડે ચેટકરાજા ! મૃત્યુની પ્રાર્થના કરનાર ! ખરાબ લક્ષણવાલા ! યાવત્ લજ્જા રહિત ! આ કૂણિકરાજા આજ્ઞા કરે છે કે - કૃણિકરાજાને સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપ અને વિહલ્લકુમારને મોકલ.અથવા યુદ્ધ કરવા તૈયાર થઈને રહે. આ કૂણિકરાજા સૈન્ય સહિત, વાહન સહિત અને સ્કંધાવાર સહિત યુદ્ધમાં સજ્જા થઈ અહીં શીધ્રપણે આવે છે. ત્યારપછી તે દૂત બે હાથ જોડી તે જ પ્રકારે યાવત્ જ્યાં ચેટકરાજા હતા ત્યાં આવ્યો. આવીને બે હાથ જોડી યાવત્ વધાવ્યા. વધાવીને આ પ્રમાણે બોલ્યો-“હે સ્વામી ! આ મારી વિનયની પ્રતિ પત્તિ છે. હવે કૂણિકરાજાની આજ્ઞા પ્રમાણે કરું છું.” એમ કહીં ડાબા પગ વડે ચેટક રાજાના પાદપીઠને દબાવ્યું, દબાવીને તત્કાલ ક્રોધ પામી ભાલાના અગ્રભાગવડે લેખ આપ્યો. અને તે જ પ્રમાણે કહ્યું યાવત્ કૂણિકરાજા બલ, બાહન અને સ્કંધાવાર સહિત અહીં શીધ્ર આવે છે. ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતની પાસેથી આ અર્થ સાંભળીને હ્યદયમાં ધારીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy