SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ નિરયાવલિયાણું - ૧/૧૭ તત્કાલ ક્રોધ પામી યાવત્ ભૃકુટિ ચડાવી આ પ્રમાણે કહ્યું-“ કૂણક રાજાને સેચનક ગંધહસ્તી અને અઢાર સરનો હાર હું નહીં આપું, તેમ જ વિહલ્લકુમારને નહીં મોકલું. આ હું યુદ્ધ કરવા સજ્જ થઈને રહ્યો છું. ” એમ કહી તે દૂતને સત્કાર કર્યા વિના સન્માન કર્યા વિના પાછળના દ્વાર માર્ગે કાઢી મૂકાવ્યો. "" [૧૮] ત્યારપછી તે કૂશિકરાજાએ તે દૂતની પાસે આ અર્થ સાંભળી હૃદયમાં ધારી તત્કાલક્રોધપામી કાલાર્દિક દશ કુમારોને બોલાવ્યા,બોલાવીને આ પ્રમાણે કહ્યું-“ નિશ્ચે હે દેવાનુપ્રિયો!વિહલ્લકુમાર મારા અજાણતાં જ સેચનક ગંધહસ્તી, અઢાર સરનો હાર,અંતઃપુરનોપરિવા૨અને ભાંડ પાત્ર વિગેરે ઉપકરણ લઈને ચંપાનગરીથી નીકળ્યો. નીકળીને વૈશાલી નગરીમાં આર્યક ચેટકરાજા પાસે યાવત્ જઈને રહ્યો છે. ત્યારપછી તે સેચનક ગંધહસ્તી અને અઢાર સરના હાર માટે બે દૂતો મોકલ્યા. તેમનો ચેટકરાજાએ આ કારણે કરીને નિષેધ કર્યો. ત્યારપછી મેં ત્રીજો દૂત મોકલ્યો. તેને સત્કાર સન્માન કર્યા વિના પાછલા દ્વારવડે કાઢી મૂક્યો. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે ચેટકરાજાની યાત્રા ગ્રહણ કરવી-એની પાસે જવું તે શ્રેયકા૨ક છે. અર્થાત્ તેની સાથે યુદ્ધ કરવું તે જ કલ્યાણકારક છે.” ત્યારપછી કાલાદિક દશ કુમારોએ કૂણિકરાજાના આ અર્થને વિનય વડે અંગી કાર કર્યો.ત્યારપછી તે કૃણિકરાજાએ કાલાદિક દશ કુમારોને આ પ્રમાણેકહ્યું-“હે દેવાનુ પ્રિયો ! તમે પોતપોતાના રાજ્યમાં જાઓ. અને સ્નાન વિગેરે યાવત્ પ્રાય શ્ચિત કરી શ્રેષ્ઠ હસ્તીના સ્કંધપર આરુઢ થઈ તમે દરેક દરેક ત્રણ હજાર હાથી, ત્રણ હજાર ૨૦, ત્રણ હજાર અશ્વ અને ત્રણ કરોડ મનુષ્ય સાથે પરિવર્યા સતા સર્વ સમૃદ્ધિવડે યાવત્ વાજિત્ર ના શબ્દવડે પોતપોતાના નગરમાંથી નીકળો, નીકળીને મારી પાસે પ્રગટ થાઓ-આવો. ત્યારપછી તે કાલાદિક દશ કુમારો કૂણિકરાજાના આ અર્થને સાંભળી પોત પોતાના રાજ્યને વિષે જઈ તે દરેકે દરેકે સ્નાનવિગેરે કર્યું યાવતુ ત્રણ કોટિ મનુષ્યની સાથે પરિવર્યા સતા સર્વ સમૃદ્ધિવડે યાવત્ વાજિત્રના શબ્દવડે પોતપોતાના નગરો માંથી નીકળ્યા.નીકળીને જ્યાં અંગદેશ હતો,જ્યાં ચંપાનગરી હતીઅને જ્યાંકૂણિક રાજા હતો, ત્યાં આવ્યા, અને બે હાથ મસ્તકે જોડી કૂણિકરાજાને વધાવ્યો. ત્યારપછી તે કૂણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીનેઆપ્રમાણેકહ્યું-“હે દેવાનુપ્રિયો ! શીધ પણે અભિષેક કરાયેલા હસ્તીરત્નને લાવો. અશ્વ, હાથી અને રથ વિગેરે ચતુરંગી સેના ને તૈયા૨ કરો. કરીને આ મારી આજ્ઞાને પાછી સોંપો.” તે સાંભળી તેમણે તેમ કર્યું યાવત્ તેની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી તે કૃશિકરાજા જ્યાં સ્નાન ક૨વાનું ધર હતું ત્યાં આવ્યો. યાવત્ ત્યાંથી નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાળા હતી ત્યાં આવી યાવત્ તે રાજા હસ્તીરત્ન ઉપર આરુઢ થયો. ત્યારપછી તે કૂણીકરાજા ત્રણ હજાર હાથી ઓ સહિત યાવત્ વાજિત્રના શબ્દસહિત ચંપાનગરીના મધ્યભાગે કરીને નીકળ્યો, નીકળીને જ્યાં કાલાદિક દશકુમારો હતા ત્યાં આવ્યો, આવીને કાલાદિક દશ કુમારોની સાથે એકત્ર મળ્યો. ત્યાર પછી તે કૂણિકરાજા તેત્રીશ હજાર હાથી, તેત્રીશ હજાર અશ્વ, તેત્રીશ હજાર રથઅને તેત્રીશ કોટિ મનુષ્યની સાથે પરિવર્ષે સતો સર્વ સમૃદ્ધિવ યાવત્ વાજિત્રના શબ્દવડે સહિત શુભ એવા નિવાસસ્થાન અને ભોજન કરીને તેમ જ દુઃખ ઉપજે તેવા મોટા પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy