SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ નિરયાવલિયાણ- ૧/૧૭ સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને આ પ્રમાણે ઝુંટવી લેવાની ઈચ્છા કરે છે, ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે અને ખેંચી લેવા ઈચ્છે છે, તો તે કૃણિકરાજ મારા સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને એ જ પ્રમાણે યાવતુ ન ખેંચી લે તેટલામાં મારે સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને ગ્રહણ કરી અંતઃ પુરના પરિવાર તથા ભાંડ, પાત્ર, ઉપકરણ વિગેરે સહિત લઈને) ચંપાનગરીથી બહાર નીકળીને વૈશાલી નગરીમાં આયક ચેટક રાજા પાસે જઈને રહેવું યોગ્ય છે. એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને કૂણિકરાજાના અંતરને જોતો રહ્યો. ત્યારપછી તે વિહલ્લકુમારે એકદા કદાચિત કુણિ કરાજાનું આંતરું જાણયું, તે સેચનક ગંધહસ્તીને અને અઢારસરના હારને ગ્રહણ કરી અંતઃપુરના પરિવારથી પરિવરી ભાંડ, પાત્ર, ઉપકરણ વિગેરે સહિત ચંપાનગરીથી નીકળ્યો, નીકળીને જ્યાં વૈશાલી નગરી હતી ત્યાં આવ્યો. આવીને વૈશાલીનગરીમાં આર્મક ચેટક રાજા પાસે જઈને રહ્યો. ત્યારપછી તે કૂણિકરાજાએ આ વાત જાણી વિચાર કર્યો કે-“આ પ્રમાણે નિશ્ચ વિહલ્લકુમાર મારા જાણવામાં ન આવે તેમ સેચનક ગંધ હસ્તીને અને અઢાર સરના હારને લઇને અંતઃપુરના પરિવારથી પરિવરી યાવતુ આર્યક ચેટકરાજા પાસે જઈને રહ્યો છે, તેથી નિચે મારે સેચનક ગંધહસ્તી અને અઢાર સરના હારને માટે દૂતને મોકલવો શ્રેયકારક છે.” તેણે દૂતને બોલાવીને કહ્યું- તું વૈશાલી નગરીમાં જા. ત્યાં આર્યક ચેટકરાજાને બે હાથ જોડી વધાવીને આ પ્રમાણે કહે કેનિએ હે સ્વામી! કણિકરાજા વિજ્ઞપ્તિ કરે છે કે આ વિહલ્લકુમાર કૂણિકરાજાને જણાવ્યા વિના સેચનક ગંધહસ્તીને અને અઢાર સરના હારને લઇને શીધ્ર અહીં આવ્યો છે. તેથી હે સ્વામી! તમે કૃણિક રાજા ઉપર અને ગ્રહ કરી સેચનક ગંધહસ્તી અને અઢારસરો હાર કૂણિક રાજાને આપો અને વિહલ્લ કુમારને પણ પાછો મોકલો.” ત્યારપછી તે ચેટકરાજાએ તે દૂતને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! જેમ કણિકરાજા શ્રેણિકરાજાનો પુત્ર, ચેલણાદેવીનો આત્મજ અને મારો દોહિત છે, તેમ જ વિહલ્લકુમાર પણ શ્રેણિકરાજાનો પુત્ર, ચેલણા દેવીનો આત્મજ અને મારો લૈહિત. છે. શ્રેણિકરાજાએ જીવતાં જ વિહલ્લકુમારને સેચનક ગંધહસ્તી અને અઢારસરનો હાર પ્રથમથી જ આપ્યો છે. તેથી જો કૃણિકરાજા વિહલ્લકુમારને રાજ્ય વિગેરેનો અર્ધ ભાગ આપે તો હું સેચનક હાથી અને અઢાર સરનો હાર કૃણિકરાજાને અપાવું અને વિહલ્લકુમારને મોકલું.” આ પ્રમાણે કહીને દૂતનો સત્કાર કર્યો. સન્માન કર્યું અને વિદાય કર્યો. ત્યારપછી તે દૂત કૃણિક રાજાની આ આજ્ઞાને બે હાથ જોડી યાવતુ અંગીકાર કરી જ્યાં પોતાનું ઘર હતું ત્યાં આવ્યો. આવીને ચિત્ર દૂતની જેમ યાવતું (ચેટક રાજા પાસે જઈ તેને વધાવીને આ પ્રમાણે બોલ્યો- “નિશે હે સ્વામી ! કૂણિકરાજા વિજ્ઞપ્તિ કરે છે કે- આ વિહલ્લકુમાર મને જણાવ્યા વિના અહીં આવ્યો છે વિગેરે તે જ પ્રમાણે (ઉપર પ્રમાણે) કહેવું યાવત્ (ગંધહસ્તી ને હાર આપો અને)વિહલ્લકુમારને પાછો મોકલો.” ત્યારપછી તે દૂત ચેટકરાજાએ વિદાય કર્યો. જ્યાં ચતુર્ઘટ એટલે ચાર દિશા માં ચાર ઘંટાઓ જે રથને બાંધેલી છે એવો અશ્વરથ હતો ત્યાં આવ્યો. આવીને ચતુર્ઘટ અશ્વ રથ ઉપર આરૂઢ થયો. વૈશાલીનગરી ના મધ્ય મધ્ય ભાગે કરીને નીકળ્યો. નીકળીને . માર્ગ માં શુભ વસતિ વડે અને પ્રાતરાશ વડે યાવતું વધાવીને આ પ્રમાણે બોલ્યો- “આ. પ્રમાણે નિશે હે સ્વામી! ચેટકરાજા આજ્ઞા કરે છે કે-જેમ કૂકિરાજા શ્રેણિક રાજાનો પુત્ર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy