SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાપન-૧ ૨૭૭. ળીને વારંવાર ગંગા નામની મોટી નદીમાં સ્નાન કરવા ઉતરતો હતો. ત્યાર પછી તે સેચનક ગંધહસ્તી તેની રાણીઓને પોતાની સૂંઢવડે ગ્રહણ કરતો હતો. ગ્રહણ કરીને કેટલીકને પોતાની પુંઠે સ્થાપના કરતો હતો, કેટલીકને ખાંધ ઉપર સ્થાપના કરતો હતો, એ જ પ્રમાણે કેટલીકને કુંભસ્થલ ઉપર સ્થાપના કરતો હતો, કેટલીકને દતમુશળ ઉપર સ્થાપના કરતો હતો, કેટલીકને સૂંઢવડે ગ્રહણ કરીને ઉંચે આકાશમાં ઉછાળતો હતો, કેટલીકને સુંઢમાં રાખીને હીંચકા ખવરાવતો હતો, કેટલીકને દાંતની વચ્ચે થઈને કાઢતો. હતો, કેટલીકને સુંઢમાં પાણી ભરીને તે વડે સ્નાન કરાવતો હતો અને કેટલીકને અનેક પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરાવતો હતો. ત્યારપછી ચંપાનગરીને વિષે શીંગોડાના આકાર વાળા માર્ગમાં, ત્રિક-ત્રણ રસ્તા ભેગા થાય એવા માર્ગમાં, ચતુષ્કચાર રસ્તા ભેગા થાય એવા માર્ગમાં, ચત્વરચૌટામાં અને મોટા માર્ગ વિગેરે દરકે માર્ગમાં ધણા લોકો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા યાવતું પ્રરુપણા કરવા લાગ્યા-“આ પ્રમાણે નિચે હે દેવાનું પ્રિયો ! વિહલ્લકુમાર સેચનક નામના ગંધહસ્તી પર અંતઃપુર સહિત થઈને નીકળે છે એ સર્વ ઉપર પ્રમાણે કહેવું યાવતુ અનેક પ્રકારની ક્રીડાઓ વડે ક્રીડા કરાવે છે. તેથી આ વિહલકુમાર જ રાજ્યલક્ષ્મીના ફળને અનુભવતો વિચરે છે, પણ કૃણિકરાના અનુભવતો નથી.” ત્યાર પછી તે પદ્માવતી દેવી (રાણી) ને આ વાત સાંભળી ત્યારે આવા પ્રકારનો યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે-“આ પ્રમાણે નિશ્ચ વિહલ્લકુમાર સેચનક નામના ગંધહસ્તી ઉપર અંતઃપુર સહિત આરુઢ થઈને નીકળે છે, યાવતુ અનેક પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરાવે છે, તેથી આ વિહલ્લકુમાર જ રાજ્યલક્ષ્મીના ફળને અનુભવતા વિચરે છે, કૂણિકરાજા અનુભ વતા નથી, તો અમારે આ રાજ્યવડે યાવતુ જનપદવડે કરીને પણ શું વિશેષ છે? જો અમારે સેચનક ગંધહસ્તી નથી?તેથી કરીને મારે આ અર્થ કૂણિકરાજાને જણાવવો શ્રેયસ્કર છે.” આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં કૂણિકરાજા હતા ત્યાં તે આવી, આવીને બે હાથ મસ્તકે જોડી યાવતુ આ પ્રમાણે બોલી-“આ પ્રમાણે નિત્યે હે સ્વામી ! વિહલ્લકુમાર સેચનક હાથીપર અંતાપુર સહિત આરુઢ થઈને નીકળે છે યાવતુ અનેક પ્રકારની ક્રીડાવડે ક્રીડા કરાવે છે. તો હે સ્વામી ! જે આપણી પાસે સેચનક ગંધહસ્તી નથી તો પછી આપણા રાજ્યવડે યાવતુ જનપદવડે કરીને પણ શું?”ત્યારપછી કુણિક રાજાએ પદ્માવતી દેવીના આ અર્થનો આદર કર્યો નહીં, મનમાં પણ સારો માન્યો નહીં. મૌન જ રહ્યો. ત્યારપછી તે પદ્માવતીદેવીએ વારંવાર કણિકરાજાને આ અર્થ જણાવ્યા કર્યો. ત્યાર પછી તે કૂણિકરાજાને પદ્માવતીદેવીએ વાંરવાર આ અર્થની વિનંતિ કરી ત્યારે એકદા કદાચિત તેણે વિહલ્લકમારને બોલાવ્યો, બોલાવીને સેચનક નામના ગંધહસ્તી ની અને અઢાર સરના હારની માગણી કરી. ત્યારે તે વિહલ્લકુમારે કૂણિકરાજાને આ પ્રમાણે કહ્યું કે “આ પ્રમાણે નિશે હે સ્વામી ! શ્રેણિકરાજાએ જીવતાં જ મને સેચનક નામનો ગંધહસ્તી અને અઢાર સરનો હાર આપ્યો છે, તેથી તે સ્વામી! જો તમે મને રાજ્યનો અધ ભાગ આપો તો હું તમને સેચનક હાથી અને અઢાર સરનો હાર આપું. ત્યારપછી તે કૃણિકરાજાએ વિહલકુમારના આ અર્થનો આદર ન કર્યો, તેને મનમાં જાણ્યો પણ નહીં ત્યારપછી તે વિહલ્લકુમારને વિચાર થયો કે) કૂકિરાજા વારંવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy