SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ બલવપત્નત્તિ- ૭૨૭૭ ભદત ! જ્યારે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં ઉત્કૃષ્ટ ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે પશ્ચિમદિશામાં પણ ૧૮ મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમદિશામાં ૧૮ મુહૂર્તનો ઉત્કૃષ્ટ દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં સ્થિત સુમેરુપર્વતની ઉત્તર અને દક્ષિણદિશામાં ૧૨ મુહૂર્ત પ્રમાણવાળી જઘન્ય રાત્રિ હોય છે. હા તેમજ હોય છે. હે ભદત ! જ્યારે જંબૂદીપ નામક આ દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં કંઈક કમ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે ત્યારે મંદરપર્વતની પશ્ચિમદિશામાં પણ કિંઈક કમ ૧૮ મુહૂર્તનો દિવસ થાય છે. ત્યારે આ જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તરદિશામાં અને દક્ષિણ દિશામાં કંઈક અધિક ૧૨ મુહૂર્ત જેટલી રાત્રિ હોય છે કેમકે જેટલા જેટલા ભાગથી હીન દિવસ થવા માંડે છે તેટલા-તેટલા ભાગથી અધિક રાત્રિ થતી જાય છે. કેમકે અહોરાતનું પ્રમાણ તો ૩૦ મુહૂર્ત જેટલું જ છે. જ્યારે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની દક્ષિણદિશામાં કંઈક અધિક ૧૨ મૂહૂર્ત જેટલી રાત્રી થવા લાગે છે ત્યારે દિનમાનમાં હ્રસ્વતા આવવા માંડે છે. અને રાત્રિ માનમાં વૃદ્ધિ થવા માંડે છે.જ્યારે સવન્જિંતરમંડળથી અનંત મંડળને લઈને ૩૧ મા મંડલાદ્ધમાં સૂર્ય હોય છે તે સમયે ૧૭ મુહૂર્તનો દિવસ હોય છે. ૧૩ મુહૂર્તની રાત્રિ હોય છે.? આ પ્રમાણે દિવસ-રાતનું પ્રમાણ ૩૦ મુહૂર્ત ઉચિત રૂપમાં સિદ્ધ થઈ જાય છે. હા, ગૌતમ ! આમ જ થાય છે એટલે કે જ્યારે આ જંબદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વદિશામાં જઘન્યથી ૧૨ મહુર્તનો દિવસ હોય છે. તે વખતે જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર અને દક્ષિણ દિશામાં ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે. જ્યારે જબૂદ્વીપ નામક દ્વીપમાં, મંદરપર્વતના દક્ષિણ ભાગમાં વષકાળનો પ્રથમ સમય હોય છે ત્યારે ઉત્તરભાગમાં પણ વષકાળનો પ્રથમ ભાગ હોય છે અને જ્યારે ઉત્તરભાગમાં વષકાળનો પ્રથમ સમય હોય છે ત્યારે મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં અનંતર પુરસ્કૃત સમયમાંઅવ્યવહિત રૂપથી આગળ આવનારા ભવિષ્યત્કાળમાં વષકાળનો પ્રથમ સમય હોય છે. જ્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની વષકાળનો પ્રથમ સમય હોય છે. ત્યારે જબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પશ્ચિમ દિશામાં પણ વષકાળનો પ્રથમ સમય હોય છે. અને જ્યારે પશ્ચિમદિશમાં વષકાળનો પ્રથમ સમય હોય છે. ત્યારે યાવતુ મંદરપર્વતની ઉત્તર-દક્ષિણદિશામાં અનંતર પશ્ચાતકૃત સમયમાં અવ્યવહિત રૂપથી વ્યતીત થયેલા સમયમાં વષકાળનો પ્રથમ સમય હોય છે? હે ગૌતમ! જે પ્રમાણે તમે પ્રશ્ન કર્યો છે, તે પ્રમાણે જ ત્યાં હોય છે. હે ભદત ! જ્યારે જંબૂદીપ નામક દ્વીપમાં મંદરપર્વતના દક્ષિણાર્ધમાં પ્રથમ ઉત્સ પિણી હોય છે. ત્યારે મંદરપર્વતના ઉત્તરાર્ધમાં પણ પ્રથમ ઉત્સર્પિણી હોય છે અને તે ભદત ! જ્યારે મંદર પર્વતની ઉત્તરદિશામાં પ્રથમ ઉત્સર્પિણી હોય છે ત્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં શું પ્રથમ અવસર્પિણી હોય છે ? હે ગૌતમ! જંબૂદ્વીપના મંદરપર્વતની પૂર્વદિશામાં અને પશ્ચિમદિશામાં ન ઉત્સર્પિણી હોય છે અને ન અવસર્પિણી હોય છે. કેમકે ત્યાં કાળ અવસ્થિત કહેવામાં આવેલો છે. હે ભદત ! જેબૂદ્વીપ નામક દ્વીપમાં જે બે ચન્દ્રમાઓ કહેવામાં આવેલા છે, તેઓ ઇશાન કોણમાં ઉદિત થઇને તે પછી શું આગ્નેયકોણમાં આવે આ પ્રમાણે સૂર્ય વક્તવ્ય તાની જેમ આગ્નેયકોણમાં ઉદિત થઈને શું દક્ષિણ પશ્ચિમ કોણમાં આવે છે? દક્ષિણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy