SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૭ ૨૪૯ ક્રિયા કરે છે. તે સમયે તેઓ એક એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રો ઉપર ગતિ કરે છે?હે ગૌતમ! તે સમયે તેઓ પર૬પ યોજન ક્ષેત્ર સુધી ગતિ કરે છે. અને ૧૮૨૩ ભાગ સુધી આગળ ગતિ કરતા જ રહે છે. હે ભદત ! જે કાળમાં અભિજિત વગેરે નક્ષત્રો સર્વબાહ્ય મંડળને પ્રાપ્ત કરીને ગતિ ક્રિયા કરે છે. ત્યારે એક-એક મુહૂર્તમાં તેઓ તેઓ કેટલા ક્ષેત્રો સુધી જાય છે ? હે ગૌતમ ! ત્યારે તેઓ પ૩૧૯ યોજન તેમજ ત્રણસો પાંસઠ ભાગ સુધી જાય છે. સર્વબાહ્યમંડળમાં નક્ષત્રની પરિધિ ૩૧૮૩૧૫ છે. આ પરિધિને ૩૬૭ સાથે ગુણિત કરવાથી ૧૧૬૮૨૧૬૦૫ રાશિ આવે છે. આમાં ૨૧૯૬૦ મુહૂર્ત થાય છે. હે ભદંત ! એક-એક મુહૂર્તમાં ચન્દ્ર કેટલા સો ભાગ સુધી જાય છે એટલે કે કેટલા સો ભાગ સુધી ગતિ કરે છે! હે ગૌતમ! જે જે મંડળ પર પહોંચીને ચંદ્ર પોતાની ગતિ ક્રિયા તત્ તત્ મંડળની પરિધિના ૧૭૬૮ ભાગો સુધી દરેક મુહૂર્તમાં તે જાય છે. તેમજ ૧ લાખ ૯૮ હજાર ભાગોને વિભક્ત કરીને પ્રતિમુહૂર્તમાં તે ગતિ કરે હે ભદત! એ ઉપયુક્ત આઠ નક્ષત્રમંડળો કેટલા ચન્દ્રમંડળોમાં અવતરિત હોય છે અન્તભૂત હોય છે? હે ગૌતમ! એ આઠ ચન્દ્ર મંડળોમાં અંતભૂત હોય છે. પ્રથમ ચંદ્રમંડળમાં પ્રથમ નક્ષત્રમંડળ અંતર્ભત થાય છે. તૃતીય ચન્દ્રમંડળમાં દ્વિતીય નક્ષત્રમંડળનો અન્તવિ થાય છે. એ બે નક્ષત્ર મંડળો જંબૂદ્વીપમાં છે. લવણસમુદ્રમાં ભાવી છઠ્ઠા ચન્દ્રમંડળમાં તૃતીય નક્ષત્રમંડળ અન્તત થાય છે. લવણસમુદ્ર ભાવી સપ્તમ ચન્દ્રમંડળમાં ચતુર્થ અન્તભૂત થાય છે. અષ્ટમ ચન્દ્રમંડળમાં પંચમ નક્ષત્રમંડળ અત્તભૂત થાય છે. દશમ ચન્દ્રમંડળમાં ષષ્ઠ નક્ષત્રમંડળ અંતભૂત છે. હે ભદત! એકમુહૂર્તમાં સૂર્યકેટલા સો ભાગ સુધી જાય છે? હે ગૌતમ! સૂર્યજે જે મંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તે તત્ તત્ મંડળ પરિક્ષેપના ૧૮૩૦ ભાગો સુધી ગતિ કરે છે હે ભદંત! નક્ષત્ર એક મુહૂર્તમાં મંડળના કેટલા સો ભાગો સુધી ગતિ કરે છે? હે ગૌતમ ! નક્ષત્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તે તત્ મંડળ પરિક્ષેપના ૧૮૩પ ભાગો સુધી ગતિ કરે છે. અહીં જે એક મંડળના ૧૮૩પ ભાગો કહેવામાં આવેલા છે તે સમસ્ત મંડળોના ૧ લાખ ૯ હજાર ૮ સો ભાગોને વિભક્ત કરીને કહેવામાં આવેલા છે. હે ભદત ! જ્યારે ઉત્તરાર્ધમાં દિવસ હોય છે. ત્યારે શું આ જંબૂદ્વીપ નામક દ્વીપમા, મંદરપર્વતની પૂર્વ-પશ્ચિમદિશામાં રાત્રિ હોય છે ? હાં, ગૌતમ ! જ્યારે જંબૂદ્વીપ નામક દ્વીપમાં દક્ષિણાદ્ધમાં દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાદ્ધમાં દિવસ હોય છે, ત્યારે મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમદિશામાં રાત્રિ હોય છે. હે ભદત ! જંબૂઢીપ નામક દ્વીપમાં સ્થિત મંદરપર્વતની પૂર્વદિશામાં દિવસ હોય છે ત્યારે શું પશ્ચિમદિશામાં પણ દિવસ હોય છે ? જ્યારે પશ્ચિમદિશામાં દિવસ થાય છે ત્યારે શું જમ્બુદ્વીપ નામક દ્વીપમાં મંદરપર્વતની ઉત્તર અને દક્ષિણદિશામાં રાત હોય છે ! હા, ગૌતમ! આ પ્રમાણે જ હોય છે. હે ભદત ! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં દક્ષિણ દિભાવમાં ઉત્કૃષ્ટ રૂપથી ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાદ્ધમાં પણ ઉત્કૃષ્ટ રૂપથી ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે અને દિવસ ૧૮ મુહૂર્તનો થાય છે ત્યારે શું જંબૂઢીપ નામક દ્વીપમાં મંદરપર્વતની પૂર્વપશ્ચિમદિશામાં જઘન્ય ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે? હા, ગૌતમ ! આમ જ થાય છે. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy