SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૭ ૨૪૫ તે અત થયેલા ઈન્દ્રના સ્થાનની પૂતિ કરે છે. પછી ત્યાં કોઈ બીજો ઇન્દ્ર ઉત્પન્ન થઈ જાય છે. હે ગૌતમ ! ઈન્દ્રનું સ્થાન ઇન્દ્રના ઉત્પાદનથી ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે ૬ માસ સુધી રિક્ત રહે છે. એના પછી તો ચોક્કસ બીજો ઇન્દ્ર ત્યાં ઉત્પન્ન થઈ જાય છે. હે ગૌતમ ! માનુષોત્તર પર્વતની બહારના જે જ્યોતિષી દેવો છે તેઓ ઉધ્ધપન્નક નથી તથા કલ્પોપપત્નક પણ નથી પરંતુ વિમાનોપ પન્નક છે. એ ચારોપપપન્નક પણ નથી પરંતુ ચારસ્થિતિક છે, ગતિવર્જીત છે એથી એઓ ગતિરતિક પણ નથી અને ગતિસમાપન્નક પણ નથી. એ જ્યોતિષ્ક દેવો પક્વ ઈટ જેવા સંસ્થાનવાળા, એવા એક લાખ યોજન પ્રમિત તાપક્ષેત્ર નેઅવભાસિત કરે છે. પક્વ ઈટનું સંસ્થાન આયામની અપે ક્ષાએ સ્તોક-કમ-હોય છે, તેમજ ચતુષ્કોણમાં યુક્ત હોય છે. આ પ્રમાણે મનુષ્ય ક્ષેત્ર વર્તી ચન્દ્ર સૂર્યના તાપક્ષેત્ર આયામની અપેક્ષાએ અનેક યોજન લક્ષ પ્રમાણ દીર્ઘ હોય છે અને વિખંભની અપેક્ષાએ તેઓ એક લાખ યોજન જેટલા પ્રમાણવાળા હોય છે. પર સ્પરમાં મિલિત પ્રકાશવાળા એ ચન્દ્ર અને સૂર્યકૂટ પર્વતાગ્રંસ્થિત શિખરોની જેમ સર્વદા એકત્ર પોત-પોતાના સ્થાન ઉપર સ્થિત છે. એટલે કે ચલન ક્રિયાથી રહિત છે. ચન્દ્ર અને સૂર્યોનો પ્રકાશ એકલાખ યોજન સુધી વિસ્તૃત વિસ્તારવાળો કહેવામાં આવેલો છે. હે ભદન્ત ! મનુષ્ય ક્ષેત્ર બહિવર્તી એ જ્યોતિષ્ક દેવોનો ઈન્દ્ર જ્યારે પોત-પોતાના સ્થાન પરથી ચુત થાય છે. પોતાના સ્થાન પરથી પરિભ્રષ્ટ થાય છે. તો તે જ્યોતિષી દેવો ઇન્દ્રાદિકના અભાવમાં પોતાની વ્યવસ્થા કેવી રીતે કરે છે? હે ગૌતમ! તે સમયે ચાર કે પાંચ સામાનિક દેવો તે સ્થાન પર ઉપસ્થિત રહીને ત્યાંની વ્યવસ્થા કરે છે. ઈન્દ્રવિરહિત. ઈન્દ્રનું સ્થાન ઓછામાં ઓછું એક સમય સુધી રહે છે અને વધારેમાં વધારે ૬ માસ સુધી રહે છે. ૨૬૯-૨૭૫ હે ભદંત! ચન્દ્રમંડળ કેટલા કહેવામાં આવેલા છે? હે ગૌતમ! ૧૫ ચમંડળો કહેવામાં આવેલા છે. હે ગૌતમ ! આ જંબૂદ્વીપમાં ૧૮૦ યોજન ક્ષેત્રને અવગાહિત કરીને પાંચ ચન્દ્રમંડળો કહેવામાં આવ્યા છે. હે ગૌતમ ! લવણસમુદ્રમાં ૩૩૦ યોજન અવગાહિત કરીને આગતા સ્થાન પર દશ ચંદ્રમંડળો કહેવામાં આવેલો છે. આ પ્રમાણે બધા ચંદ્રમંડળો મળીને ૧૫ થઈ જાય છે. એવો આદેશ શ્રી આદિનાથ તીર્થંકરથી માંડીને મારા સુધી અનંત કેવળીઓનો છે. હે ગૌતમ! સવસ્વિંતર ચંદ્રમંડળ થી સર્વ બાહ્ય ચન્દ્રમંડળ પ૧૦ યોજન જેટલે દૂર આવેલ છે. હે ગૌતમ! ૩૫, ૩પ યોજનના તથા એક યોજનના ૬૧ ભાગોમાંથી ૩પ ભાગ પ્રમાણ અંતર કહેવામાં આવેલ છે. એક ચંદ્રમંડળનું બીજા ચંદ્રમંડળથી અંતર કથન સ્પષ્ટ થઈ જાય છે. આનો સમુદિતાથે આ પ્રમાણે થઇ જાય છે કે એક ચંદ્રમંડળનો બીજા ચંદ્રમંડળથી ૩પ-૩પ/૬૧ યોજનનો અને ૬૧ યોજન ભાગોમાંથી ૧ ભાગના ૭ ભાગો કરવાથી ૪ ભાગ પ્રમાણ અંતર છે. હે ગૌતમ! એક યોજનના ૬૧ ભાગો કરવાથી જે તેના એક-એક ભાગ પ્રમાણ આવે છે, તેટલા પદ ભાગ પ્રમાણ એનો આયામ અને વિસ્તાર છે. એ પ૬ ભાગોને ત્રણગણા કરવાથી જે પ્રમાણ આવે છે, તે પ્રમાણ કરતાં કંઈક વધારે પ્રમાણ જેટલી આની પરિધિ છે. હે ભદત ! જંબૂઢીપ નામક દ્વીપમાં સર્વ દ્વીપ મધ્યગત જંબૂદ્વીપમાં સ્થિત જે સુમેરુપર્વત છે તેનાથી કેટલે દૂર સવભિંતર ચન્દ્રમંડળ કહેવામાં આવેલ છે? હે ગૌતમ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy