SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જંબુદ્વિવપન્નત્તિ- ૭ર૬૨ હે ભદત! જે કાળમાં સૂર્ય અત્યંતરમંડળ પછી દ્વિતીયમંડળ પર પહોંચીને ગતિ કરે છેત્યારે તે સૂર્ય વડે કેટલા ક્ષેત્રો વ્યાપ્ત થાય છે એટલે કે તે વખતે કેટલો લાંબો દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે? હે ગૌતમ! ત્યારે ૧૮ મુહૂર્તમાંથી ૧ મુહૂર્તના ૬૧ ભાગો માંથી ૨ ભાગ કમ દિવસ થાય છે. આ પ્રમાણે આ દિવસ પૂરા ૧૮ મુહૂર્તનો થતો નથી પણ એક મુહૂર્તના ૬૧ ભાગમાંથી ૨ ભાગ કમનો હોય છે. તેમજ તે સમયે જે રાત હોય છે તેનું પ્રમાણ ૧૨-૨૬૧ મુહૂર્ત જેટલું થાય છે. જે ૬૧ ભાગોમાંથી ૨ ભાગ દિન પ્રમાણ માં કમ થયા છે તેઓ અહીં રાત્રિમાં આવી જાય છે. એથી રાત્રિનું પ્રમાણ ૧૨ મુહૂર્ત કરતાં અધિક પ્રકટ કરવામાં આવેલ છે. હે ભદેત ! દ્વિતીયમંડળથી નીકળતો સૂર્ય જ્યારે અત્યંતર તૃતીયમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે તે વખતે કેટલો લાંબો દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે? પ્રભુ કહે છે હે ગૌતમ! જે કાળમાં સવવ્યંતર તૃતીયમંડની અપેક્ષાએ સૂર્ય ગતિ કરે છે, તે કાળમાં ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે પરંતુ એક મુહૂર્તના કત ૬૧ ભાગોમાંથી ૪ ભાગ કમ હોય છે. તથા ૪/૬૧ ભાગો કરતાં અધિક ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. દિવસ અને રાત્રિની હાનિ તેમજ વૃદ્ધિનું કથન કરવા માટે પ્રદર્શિત પદ્ધતિ મુજબ પ્રતિમંડળ પર દિવસ તેમજ રાત્રિ સંબંધી ૨૬૧ ભાગદ્વયથી કે જે એક સ્થાને દિવસમાં હાનિરૂપ છે અને રાત્રિમાં વૃદ્ધિરૂપ છે, આ પ્રમાણે હાનિ-વૃદ્ધિ કરતો દક્ષિણ તરફ ગમન કરે છે. ત્યાં દિવસનું પ્રમાણ ૨/૬૧ ભાગ ૨/૬૧ ભાગ રૂપ કરતાં અલ્પ-અલ્પ દરેક મંડળ પર થઈ જાય છે. તેમજ પ્રતિમંડળમાં રાત્રિનું પ્રમાણ ૨/૬૧ ભાગ ૨/૬૧ ભાગ વધી જાય છે, આ પ્રમાણે સૂર્યઆત્યંતરમાંથી નીકળતો સર્વબાહ્યમંડળોપરપહોંચીને પોતાની ગતિ કરે છે. જ્યારે સૂર્ય સભ્યતર મંડળમાંથી સર્વબાહ્ય મંડળ પર આવીને ગતિ કરે છે. તે વખતે તે સવભિંતર મંડળની મયદા બનાવીને ત્યાર બાદ દ્વિતીય મંડળની મર્યાદા કરીને ૧૮૩ રાત-દિવસોના ૩૬૬ મુહૂર્ત ૨/૬૧ ભાગ વગેરે થાય છે. હે ભદત! જે સમયે સૂર્ય સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે તે વખતે કેટલો લાંબો દિવસ હોય છે અને કેટલી લાંબી રાત હોય છે ? હે ગૌતમ ! તે વખતે સૌથી વધારે પ્રમાણવાળી જેનાથી વધારે પ્રમાણવાળી બીજી કોઈ રાત હોતી નથી એવી રાત્રિ ૧૮ મુહૂર્તની હોય છે. રાત અને દિવસનું-બન્નેનું કાલપ્રમાણ ૩૦ મુહુર્ત જેટલું હોય છે. તો દિવસનું પ્રમાણ જઘન્ય થાય છે. એટલે કે ૧૨ મૂહૂર્તનો જ્યારે દક્ષિણાયનકાળમાં દિવસ હોય છે. આ. દિવસ રાત દક્ષિણાયનનો અંતિમ હોય છે. એજ વાત આ દક્ષિણાયનના પ્રથમ ૬ માસ છે. અને અહીં પ્રથમ ૬ માસનું પર્યવસાન થાય છે. ત્યાર પછી બીજા મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય જ્યારે દ્વિતીય ૬ માસ પર પહોંચી જાય છે તો પ્રથમ અહોરાતમાં દ્વિતીય સર્વ બાહ્યમંડળને પ્રાપ્ત કરીને તે પોતાની ગતિ કરે છે. હે ભદત ! જ્યારે સૂર્ય દ્વિતીય બાહ્યમંડળને પ્રાપ્ત કરીને પોતાની ગતિ કરે છે તો તે સમયે દિવસ અને રાતનું કેટલું પ્રમાણ હોય છે ? હે ગૌતમ ! તે સમયે ૧૮મૂહુર્તની રાત હોય છે પરંતુ એક મુહૂર્તના ૬૧ ભાગોમાંથી ૨ ભાગ કમ જેટલી આ હોય છે. તેમજ ૨૬૧ ભાગ અધિક ૧૨ મુહૂર્તનો દિવસ થાય છે. હે ભદત ! દ્વિતીય અહોરાત્રમાં પ્રવિષ્ટ થતો સૂર્ય બાહ્ય તૃતીયમંડળને પ્રાપ્ત કરીને જ્યારે ગતિ કરે છે. ત્યારે દિવસ કેટલો લાંબો હોય છે. રાત કેટલી લાંબી હોય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy