SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ જંબુદ્વીપનત્તિ-૪૨૦૦ સુધી લાંબી છે. અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તૃત છે. એના પંચ શત યોજન પ્રમાણ આયામાદિ પ્રમાણ વિશે પૂર્વોક્ત અભિલાપ મુજબ સમજી લેવું જોઈએ. યાવતુ તેના બહુ મધ્યદેશમાં એક સિંહાસન છે, આ સિંહાસન આયામ અને વિખંભની અપેક્ષાએ ૫૦૦ ધનુષ જેટલું છે, તથા ૨૫૦ ધનુષ જેટલી એની મોટાઈ છે. સિંહાસનની ઉપર ભરતક્ષેત્ર સંબંધી તીર્થકરને સ્થાપિત કરીને અનેક ભવનપતિ, વાનયંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓ તેમનો જન્માભિષેક કરે છે. આ શિલા દક્ષિણ દિશાભિમુખ વાળી છે. આ તરફ જ ભરતક્ષેત્ર છે. ભરત ક્ષેત્રમાં એક કાળમાં એક જ તીર્થંકર ઉત્પન્ન થાય છે. તે એક તીર્થકરના જન્માભિષેક માટે એક જ સિંહાસન પયપ્તિ છે. રક્ત શિલા નામે આ તૃતીય શિલા મંદર ચૂલિકાની પશ્ચિમ દિશામાં અને પંડકવનની પશ્ચિમ દિશાની અંતિમ સીમાના અંતમાં પંડક વનમાં આવેલી છે. આ શિલા સવર્માના સુવર્ણમયી છે અને આકાશ તેમજ સ્ફટિક મણિ જેવી નિર્મળ છે. આ ઉત્તરથી દક્ષિણ સુધી લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તીર્ણ છે યાવતું એનું પ્રમાણ પણ આ પ્રમાણે છે કે પ00 યોજન જેટલી એની લંબાઈ છે અને ૨૫૦ યોજન જેટલી એની પહોળાઈ છે તેમજ અનો આકાર અર્ધ ચન્દ્રમા જેવો છે. એની મોટાઈ ચાર યોજન જેટલી છે. આ શિલા સવત્મિના તપનીય સુવર્ણમયી છે અને આકાશ તેમજ સ્ફટિક જેવી નિર્મળ છે. આ શિલાની ઉત્તર દક્ષિણ દિશામાં બે સિંહાસનો આવેલા છે. એમાં જે દક્ષિણ દિશ્વર્તી સિંહાસન છે તેની ઉપર દેવ-દેવીઓ પ્રભુનો જન્માભિ ષેક કરે છે. એટલે કે પશ્ચિમ મહાવિદેહ નામક જે ક્ષેત્ર છે કે જેના શિહોદા મહાનદી વડે દક્ષિણ અને ઉત્તર ભાગ રૂપ બે ભાગો થઈ ગયા છે અને જેના દરેક ભાગમાં એક-એક જિનેન્દ્રની એકી સાથે ઉત્પત્તિ થાય છે. તેના દક્ષિણ ભાગમાં આઠ પહ્માદિ વિજયો આવેલ છે. ઉત્તર ભાગનાં આઠ વપ્રાદિ વિજયો આવેલા છે. એમાં દક્ષિણ ભાગ ગત આઠ પહ્માદિ વિજયોમાં ઉત્પન્ન થયેલા તીર્થંકરનો જન્માભિષેક તો દક્ષિણ દિભાવર્તી સિંહાસન ઉપર હોય છે. જે ઉત્તર દિશ્વર્તી સિંહાસન છે તેની ઉપર આઠ વપ્રાદિ વિજય ગત તીર્થંકરનો જન્માભિષેક હોય છે. મંદર ચૂલિકાની ઉત્તર દિશામાં તેમજ પંડક વનની ઉત્તર સીમાના અંતમાં પડક વનમાં રક્ત કંબલ શિલા નામે શિલા આવેલી છે. આ શિલા પૂર્વથી પશ્ચિમ સુધી લાંબી છે અને ઉત્તર-દક્ષિણમાં વિસ્તીર્ણ છે. આ શિલા સવત્મિના તપ્ત સુવર્ણમયી છે. આકાશ તેમજ સ્ફટિક મણિ જેવી નિર્મળ છે. એના મધ્ય ભાગમાં એક સિંહાસન આવેલું છે. એની ઉપર ઐરાવત ક્ષેત્રની અંદર ઉત્પન્ન થયેલા તીર્થકરનો જન્માભિષેક કરવામાં આવે છે. ઐરાવત ક્ષેત્રમાં પણ એક કાલમાં એક જ તીર્થંકરનો જન્મ થાય છે. એથી તેમના અભિષેક માટે આ શિલાનો ઉપયોગ થાય છે. [૨૦૧-૨૦૮] હે ભદત ! મંદર પર્વતના કેટલા કાંડો-વિભાગો આવેલા છે ? ૧ અધતનકાંડ, ૨ મધ્યકાંડ ઉપરિતનકાંડ. હે ગૌતમ ! અધસ્તન કાંડ ચાર પ્રકારનો કહેવામાં આવેલ છે. જેમકે એક પૃથ્વી રૂપ, બીજો ઉપલ રૂ૫. ત્રીજો વજ રૂપ ને ચોથો શર્કરા એટલે કે કાંકરા રૂપ. મધ્યમ કાંડ ચાર પ્રકારના કહેવામાં આવેલ છે. અંક રત્ન રૂપ, સ્ફટિક રૂપ, જાત રૂપ અને સુવર્ણ રૂપ. એ ઉપરિતન કાંડ એક જ પ્રકારનો કહેવામાં આવેલ છે. અને આ સવર્માના જંબૂનમય-રક્ત સુવર્ણમય છે. અધસ્તન કાંડની ઊંચાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy