SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જંબુદ્વિવપનત્તિ-૪/૧૯૬ તેમજ જમીનની અંદર પણ પાંચસો ગાઉ સુધી નીચે ગયેલો છે. મૂલમાં એનો વિખંભ પ૦૦ યોજન જેટલો છે. મધ્યમાં એનો વિસ્તાર ૩૭પ યોજન જેટલો છે અને ઉપર એનો વિસ્તાર ૨૫0 યોજન જેટલો છે અને પરિક્ષેપ ૧૫૮૧ યોજન જેટલો છે. મધ્યમાં એનો પરિક્ષેપ કંઇક કમ ૧૧૮૬ યોજનનો છે, અને ઉપર તેનો પરિક્ષેપ ૭૯૧ જેટલો છે. આ પક્વોત્તર દિગહસ્તિ કૂટનો અધિપતિ પદ્ધોત્તર નામક દેવ છે. એની રાજધાની ઇશાન કોણમાં આવેલી છે. આ પ્રમાણે જ નીલવન્ત દિહતિ કૂટ મન્દર પર્વતના અગ્નિ કોણમાં તેમજ પૂર્વ દિગ્દર્તી સીતા મહાનદીની દક્ષિણ દિશામાં આવેલ છે. આ નીલવત્ત નામક દિહતિ કૂટનો અધિપતિ એ જ નામનો છે. એની રાજધાની આ દિહતિ કૂટના આગ્નેય કોણમાં આવેલી સુહસ્તિ નામક દિહતિ કૂટ પણ મંદર પર્વતની આગ્નેય વિદિશામાં આવેલ છે તથા દક્ષિણ દિગ્ગત સીતોદા નદીની પૂર્વ દિશામાં આવેલ છે. આ કૂટનો અધિપતિ પણ સુહસ્તી નામક દેવ છે અને એની રાજધાની આગ્નેય કોણમાં આવેલી છે. અંજનગિરિ નામે જે દિહતિ કૂટ છે. તે મન્દર પર્વતની નૈઋત્ય દિશામાં છે તથા દક્ષિણ દિશા તરફ પ્રવાહિત થતી સીતાદા નામની મહાનદીની પશ્ચિમ દિશામાં છે એ કૂટ ઉપર એજ નામનો દેવ રહે છે એની રાજધાની એજ કૂટના નૈઋત્ય કોણમાં આવેલી છે. કુમુદ નામે જે દિહતિ કૂટ છે તે મન્દર પર્વતના નૈઋત્ય કોણમાં આવેલ છે તથા પશ્ચિમ દિશા-તરફ પ્રવાહિત થતી શીતોદા મહાનદીની દક્ષિણ દિશામાં આવેલ છે. આ કૂટનાઅધિપતિનું નામ કુમુદ છે.એની રાજધાની આકૂટના નૈઋત્ય રૂપ દિશામાં આવેલી આ પ્રમાણે પલાશ નામક દિહતિ કૂટ છે, આ કૂટ પણ મન્દર પર્વતની વાયવ્યકોણ રૂપ વિદિશામાં આવેલ છે. તેમજ પશ્ચિમ દિશા તરફ પ્રવાહિત થતી શીતોદા મહાનદીની ઉત્તર દિશામાં આવેલ છે. આ કૂટનો દેવ પલાશ નામથી જ સુપ્રસિદ્ધ છે અને એની રાજધાની વાયવ્ય કોણમાં આવેલી છે. વર્તમાનામક જે દિહતિ કૂટ છે તે મંદર પર્વતની વાયવ્યવિદિશામાં આવેલ છે તેમજ ઉત્તર દિશા તરફ પ્રવાહિત થતી સીતા મહાનદીની પશ્ચિમ દિશામાં છે. આ કૂટના અધિપતિ દેવનું નામ વતંત્ર છે. એની રાજધાની વાયવ્ય કોણમાં આવેલી છે. રોચનાગિરિ નામક જે દિહતિ કૂટ છે, તે મન્દર પર્વતની ઈશાન વિદિશામાં આવેલ છે તથા ઉત્તર દિશા તરફ પ્રવાહિત થતી સીતા નદીની પૂર્વ દિશામાં આવેલ છે. કૂટના અધિપતિનું નામ રોચનાગિરિ છે. એની રાજધાની ઈશાન કોણમાં આવેલી છે. [૧૯૭] હે ભદત! મંદર પર્વતમાં નંદન વન નામે વન કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! ભદ્રશાલ વનના બહુસમરમણીય ભૂમિ ભાગથી પાંચસો યોજન ઉપર જવા બાદ જે સ્થાન આવે છે, ઠીક તે સ્થાન ઉપર મંદર પર્વતની ઉપર નંદનવન નામક વન આવે છે. આ વન ચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ પાંચસો યોજન જેટલું છે. વૃત્ત છે, આ નંદનવન સુમેરુ પર્વતથી ચોમેર આવૃત છે. સુમેરુ પર્વતનો બાહ્ય વિખંભ ૯૯૫૪-૬/૧૧ યોજન છે. આ ગિરિનો બાહ્ય પરિક્ષેપ કંઈક અધિક ૩૧૪૧૯ યોજન જેટલો છે અને ભીતરી વિસ્તાર એનો ૮૯૫૪-૬/૧૧ યોજન છે. તેમજ આ ગિરિનો અંદરનો પરિક્ષેપ ૨૮૩૧૬-૮/૧૧ યોજન છે. આ નન્દન વન એક પદ્મવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેર આવૃત છે. આ મંદર પર્વતની પૂર્વ દિશામાં એક વિશાળ સિદ્ધાયતન આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy