SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૪ ૨૦૭ આટલો જ એમનો પ્રવેશ છે. એ દ્વારા શ્વેત વર્ણવાળાં છે. એમના જે શિખરો છે તે સંદર સુવર્ણ નિર્મિત છે. તે ભૂમીભાગના ઠીક મધ્ય ભાગમાં એક વિશાળ મણિપીઠિકા આવેલી છે. તેનો આયામ-વિખંભ આઠ યોજન જેટલો છે. એનો બાહલ્ય એટલે કે મોટાઈ ચાર યોજન જેટલી છે. આ સર્વાત્મના રત્નમયી છે, અને આકાશ તેમજ સ્ફટિક મણિવત્ નિર્મળ છે. મણિપીઠિકાની ઉપર એક દેવચ્છન્દ એટલે કે દેવોને બેસવા માટેનું આસન છે તે આસનનો આયામ-વિખંભ આઠ યોજન જેટલો છે અને તેની ઊંચાઈ પણ કિંઈક વધારે આઠ યોજન જેટલી છે. યાવતું ત્યાં જિન પ્રતિમાઓ છે. અહીં જિન પ્રતિમા ઓથી અરિહંત પ્રતિમાજ સમજાવી આ દેવચ્છેદ સવત્મિના રત્નમય છે. યાવતુ અહીં ૧૦૮ ધૂપ કટાહો છે. મંદર પર્વતની દક્ષિણ દિશામાં ભદ્રશાલ વનમાં ૫૦ યોજન આગળ જવાથી ઉપર ભદ્રશાલવનમાં પ૦ યોજન પ્રવિષ્ટ થયા પછી મન્દર પર્વતની ચોમેર, ભદ્રશાલ વનમાં ચાર સિદ્ધાયતનો આવેલા છે. મન્દર પર્વતના ઈશાન કોણમાં ભદ્રશાલવનને ૫૦ યોજન વટાવી જઈએ ત્યારબાદ જે સ્થાન આવે છે ત્યાં નન્દા નામક ચાર શાશ્વત પુષ્કરિણીઓ છે તેમના નામો આ પ્રમાણે છે પદ્મા, પપ્રભ, કુમુદા અને કુમુદપ્રભા. પુષ્કરિણીઓ આયામની અપેક્ષાએ ૫૦ યોજન જેટલી છે. અને વિખંભની અપેક્ષાએ ૨૫ યોજન જેટલી છે. તેમજ એમની ગંભીરતા ૧૦ યોજન-જેટલી છે. ચારે દિશાઓમાં તોરણ-બહિદ્ધર છે. પુષ્કરણીના મધ્ય ભાગમાં આવેલ પ્રાસાદાવતંસક ઊંચાઈમાં ૫ યોજન જેટલો છે. ૨પ૦ યોજન જેટલો એનો વિખંભક છે. આ પ્રમાણે જ મન્દર મેરના ભદ્રશાલવનની અંદર પ૦ યોજના ગયા પછી આગ્નેય કોણમાં ચાર પુષ્કરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે છે. ઉત્પલગુલ્મા-૧, નલિના-૨, ઉત્પલા-૩, અને ઉત્પલોજ્જ વલા ૪. એ પુષ્કરિણીઓના પણ ઠીક મધ્યભાગમાં એક પ્રાસાદાવતંસક છે. એનું પ્રમાણ પણ ઈશાન કોણગત પ્રાસાદાવતંસક જેટલું જ છે. આ પ્રાસાદાવંતસક દેવેન્દ્ર દેવરાજનો છે. અહીં શક્રેન્દ્ર પોતાના પરિવાર સાથે રહે છે. આ પ્રમાણે નૈઋત્ય કોણમાં પણ ચાર પુષ્પરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે છે મૂંગા-૧, ભૃગનિભા-૨, અંજના ૩, અને અંજનપ્રભા ૪. આ પુષ્કરિણીઓના ઠીક મધ્યભાગમાં પ્રાસાદાવંતસક છે. આ પ્રાસાદાવંતસક પણ શક્રેન્દ્ર વડે અધિષ્ઠિત છે. આ પ્રમાણે વાયવ્ય કોણમાં પણ પુષ્કરિણીઓ છે. તેમના નામો આ પ્રમાણે શ્રી કાન્તા, શ્રી ચન્દ્રા, શ્રી મહિતા અને શ્રી નિલયા. એમના મધ્ય ભાગમાં પણ પ્રાસાદાવતંસક આવેલા છે. એ પ્રાસાદાવંતસક ઈશાનેન્દ્રનો છે. આ મંદર પર્વતવર્તી ભદ્રશાલ વનમાં કેટલા દિહ તિ કૂટો આવેલા છે એ કૂટો ઈશાન વગેરે વિદિશાઓમાં તેમજ પૂવદિ દિશાઓમાં હોય છે. અને આકાર એમનો હસ્તિક જેવો હોય છે. એથી જ એ હસ્તિકૂટ કહેવામાં આવેલ છે. તે આ પ્રમાણે છે- પઢો ત્તર-૧, નીલવાનુ-૨, સુહસ્તિ ૩, અંજનગિરિ-૪, કુમુદ-૫, પલાશ-૬, વંતસ-૭, અને રોચનાગિરિ કે રોહણાગિરિ. મંદર પર્વત ઉપર વર્તમાન ભદ્રશાલવનમાં પડ્યોત્તર નામક દિહતિ કૂટ ક્યા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! મંદર પર્વતની ઉત્તર દિશા અને પૂર્વ દિશાના અંતરાલમાં તેમજ પૂર્વ દિશ્વર્તી શીતા મહા નદીની ઉત્તર દિશામાં પદ્મોત્તર નામક દિહતિ ફૂટ આવેલ છે આ કૂટ પાંચસો યોજન જેટલી ઊંચાઈવાળો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy