SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વારો-૪ ૨૦૯ મેરુ પર્વતની પૂર્વ દિશામાં જેવું સિદ્ધાયતન કહેવામાં આવેલ છે. આ પ્રમાણે પૂર્વ વગેરે ચારેચાર દિશાઓમાં એક-એક સિદ્ધાયતન છે તેથી કુલ ચાર સિદ્ધાયતનો થયાં તેમજ આ કથન મુજબ વિદિશાઓમાં ઇશાન વગેરે કોણોમાં પુષ્કરિણીઓ પ્રતિપાદિક થઈ છે. એ પુષ્કરિણીઓના વિખંભાદિના પ્રમાણ ભદ્રશાલવનની પુષ્કરિણીયોના વિખંભાદિ ના પ્રમાણ જેવું જ છે. સિદ્ધાયતનોના વિખંભાદિ પ્રમાણ પણ ભદ્રશાલના પ્રકરણમાં કથિત સિદ્ધાયતનોના પ્રમાણવત્ જ છે. પુષ્કરિણીઓના બહુમધ્ય દેશવર્તિ પ્રાસાદાવ તંસકો પણ ભદ્રશાલવનવર્તી નન્દા પુષ્કરિણિગત પ્રાસાદાવતંસકો જેવો જ છે. હે ભદંત ! નન્દનવનમાં કેટલા કૂટો કહેવામાં આવેલા છે ? હે ગૌતમ ! ત્યાં નવ ફૂટો આવેલા છે. નન્દનવન કૂટ, મંદરકૂટ, નિષધકૂટ, હિમવત્ કૂટ, રજત કૂટ, રુચક ફૂટ, સાગર ચિત્રકૂટ, વનફૂટ અને બલકૂટ. હે ગૌતમ ! મન્દર પર્વતની પૂર્વ દિશામાં આવેલા સિદ્ધાયતનની ઉત્તર દિશામાં તેમજ ઇશાન કોણવર્તી પ્રાસાદાવંતસની દક્ષિણ દિશામાં નન્દન વનમાં નન્દનવન નામે લૂંટ આવેલ છે. અહીં પણ મેરુને પચાસ યોજન પાર કરીને જ ક્ષેત્રનો નિયમ કહેવાએલો જાણવો જોઇએ. જે પ્રમાણે વિદિશ્ હસ્તિકૂટના પ્રકરણમાં ઉચ્ચતા, વ્યાસ, વિખંભ પરિધિ-પરિક્ષેપ વર્ણ, સંસ્થાન દેવ રાજધાની દિશા વિગેરેના દ્વારોથી માંડીને કૂટો વિષે વર્ણન કરવામાં આવેલું છે, તે પ્રમાણે જ અહીં પણ એ ફૂટોનું વર્ણન સમજી લેવું. પૂર્વ દિશ્વર્તી ભવનની દક્ષિણ દિશામાં તેમજ આગ્નેય કોણવર્તી પ્રાસાદાવતંસકની ઉત્તર દિશામાં વર્તમાન મંદર નામક ફૂટ ઉપર મેઘવતી નામક રાજધાની છે. આ રાજધાની કૂટની પૂર્વ દિશામાં આવેલી છે. દક્ષિણ દિગ્દર્તી ભવનની પૂર્વ દિશામાં તેમજ આગ્નેય કોણવર્તી પ્રાસાદાવતંસકની પશ્ચિમ દિશામાં નિષધ નામક કૂટ આવેલ છે. એની અધિષ્ઠાત્રી સુમેધા નામક દેવી છે. એની રાજધાની કૂટની દક્ષિણ દિશામાં આવેલી છે. દક્ષિણ દિગ્દર્તી ભવનની પશ્ચિમ દિશામાં તેમજ નૈઋત્ય કોણવર્તી પ્રાસાદાવતંસકની પૂર્વદિશામાં હૈમવત નામક કૂટ આવેલ છે. એ કૂટની અધિષ્ઠાત્રી હેમમાલિની નામક દેવી છે અને એની રાજધાની કૂટની દક્ષિણ દિશામાં આવેલી છે. પશ્ચિમ દિગ્દર્તી ભવનની દક્ષિણ દિશામાં તેમજ નૈઋત્યકોણવર્તી પ્રાસાદાવતંસની ઉત્તર દિશામાં રજત નામક કૂટ આવેલ છે. એ કૂટની અધિષ્ઠાત્રી દેવી સુવત્સા છે. એની રાજધાની કૂટની પશ્ચિમ દિશામાં છે. પશ્ચિમ દિગવર્તી ભવનની ઉત્તર દિશામાં તેમજ ઉત્તર પશ્ચિમ દિગ્દર્તી વાયવ્ય કોણવર્તી પ્રાસાદાવતંસકની દક્ષિણ દિશામાં રુચક નામક કૂટ આવેલ છે. અહીંની અધિષ્ઠાત્રી દેવી વત્સમિત્રા નામે છે. એની રાજધાની એ કૂટની પશ્ચિમ દિશામાં આવેલી છે. ઉત્તર દિગ્દર્તી ભવનની પશ્ચિમ દિશામાં તેમજ વાયવ્ય કોણવર્તી પ્રાસાદા વતંસકની પૂર્વ દિશામાં સાગરચિત્ર નામક કૂટ આવેલ છે. વજ્રસેના નામે ત્યાં અધિષ્ઠા ત્રી દેવી છે. એની રાજધાની એ કૂટની ઉત્તર દિશામાં આવેલી છે. ઉત્તરદિગ્વી ભવનની પૂર્વ દિશામાં તેમજ ઈશાન કોણવર્તી પ્રાસાદાવતંસકની પશ્ચિમ દિશામાં વજ કૂટ નામક ફૂટ આવેલ છે. એ કૂટની અધિષ્ઠાત્રી દેવી બલાહિક છે. એની રાજધાની કૂટની ઉત્તર દિશામાં આવેલી છે. મન્દર પર્વતની ઈશાન વિદિશામાં નન્દનવનમાં બલ ફૂટ નામક ફૂટ આવેલ છે. એ કૂટ સહસ્રાંક કૂટ નામથી પણ સુપ્રસિદ્ધ છે. તેના પણ ઈશાન કોણમાં આ બલકૂટ નામક ફૂટ છે. અહીં એ કૂટની જે આધારભૂત વિદિશા છે તે 14 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy