SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૪ ૧૮૭ વિક્ષસ્કાર પર્વતનો ઉપરનો ભૂમિભાગ ભૂમિરૂપ ભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલ છે. યાવતુ અહીં અનેક દેવો અને દેવીઓ ઉઠતી-બેસતી રહે છે તેમજ આરામ-વિશ્રામ-શયન કરતી રહે છે. એ પર્વત ઉપર સાત કૂટો આવેલા છે. સિદ્ધાયતન કૂટ, ગંધમાદન કૂટ, ગંધિલાવતી કૂટ, ઉત્તરકુરુ કૂટ, સ્ફટિક કૂટ, ગંધમાદન કૂટ, લોહિતાક્ષ કૂટ, અને આનંદ કૂટ, મંદરપર્વતના વાયવ્ય કોણમાં ગંધમાદન કૂડના આગ્નેય કોણમાં સિદ્ધાયતન નામક કૂટ ઉપર કહેવામાં આવેલ છે. જે પ્રમાણ ક્ષુદ્રહિમવાનું પર્વત ઉપર સિદ્ધાયતનકૂટ-માટે કહેવામાં આવેલ છે, સિદ્ધયતન વગેરે બધા સાતે કૂટો માટે પણ આ મુજબ જ પ્રમાણ સમજવું. આ પ્રમાણે જ સિદ્ધાયતન કૂટના કથન મુજબ જ ત્રણ વિદિશાઓમાં વાયવ્ય કોણમાં ત્રણ સિદ્ધાયતન વગેરે કૂટો કહેવા જોઈએ. ૬ કૂટોની ઉપર જ પ્રાસાદવંતસક છે. તત્ તત્ કૂટના અધિષ્ઠાયક દેવોના નિવાસ માટે યોગ્ય ઉત્તમ પ્રાસાદો છે, તેમજ તત્ તત્ દેવોની રાજધાનીઓ અસંખ્યાતમા ભાગ પ્રમાણ જંબૂદ્વીપમાં વાયવ્ય કોણમાં છે. આ ગન્ધમાદન નામક વક્ષસ્કાર પર્વતનો ગબ્ધ દળતાં, કૂટતા, વિકીર્ણ થયેલાં વગેરે રૂપમાં પરિણત થયેલા કોષ્ઠ પુટોનો યાવતું તગર પુટાદિક સુગંધિત દ્રવ્યોનો ગબ્ધ હોય છે, તેવા પ્રકારનો છે. તે જેવો ઉદાર, મનોજ્ઞ વગેરે વિશેષણોવાળો હોય છે તેવોજ ગંધ આ વક્ષસ્કારમાંથી સર્વદા નીકળતો રહે છે. એથી હે ગૌતમ ! મેં આ પર્વતનું નામ ગન્ધમાદન વક્ષસ્કાર પર્વત એવું કહ્યું છે અહીં વિપુલ ભવન પરિવાર આદિ રૂપ દ્ધિથી યુક્ત હોવા બદલ મહદ્ધિક વગેરે વિશેષણોવાળો ગંધમાદન નામક એક વ્યંતર દેવ રહે છે. એથી એના સંબંધથી એનું નામ “ગન્ધમાદન’ એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. [૧૪૨મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરનામક ક્ષેત્ર કયા સ્થળે આવેલ છે?હે ગૌતમ! મંદર પર્વતની ઉત્તર દિશામાં નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં, ગન્ધમાદન વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં ઉત્તરકુર નામક ક્ષેત્ર-આવેલ છે. એ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો છે અને ઉત્તરથી દક્ષિણ સુધી વિસ્તીર્ણ છે. એનો આકાર અદ્ધ ચંદ્રાકાર જેવો છે. એનો વિખંભ ૧૧૮૪૨-૨/૧૯ યોજન પ્રમાણ છે. આ ઉત્તર કુરુક્ષેત્રની જીવા પ્રત્યંચા-ઉત્તર દિશામાં પૂર્વ પશ્ચિમમાં દીર્ઘ છે. એ પૂર્વ દિગ્દર્તી કોટિથી પૂર્વ દિશ્વર્તી વક્ષસ્કાર પર્વતને સ્પર્શે છે અને પશ્ચિમ દિશ્વર્તી કોટિથી પશ્ચિમ દિશ્વર્તી વક્ષસ્કારને પર્શી રહેલ છે. આ પ્રત્યંચાનું ધનુઃ પૃષ્ઠ આયામની અપેક્ષાએ દક્ષિણ દિશામાં મેરની પાસે ૬૦૪૧૮-૧૨/૧૯ યોજન જેટલું છે. આ પ્રમાણે પૂર્વવર્ણિત સુષમસુષમા નામક આરાની જે વક્તવ્યતા છે તેજ વક્તવ્યતા અત્રે જાણવી જોઈએ. યાવતુ ત્યાંના મનુષ્યો પા જેવી ગંધવાળા છે. કસ્તૂરી વાળા મૃગની જેવા ગંધ વાળા છે, મમતા રહિત છે, કાર્ય કરવામાં સક્ષક છે. વિશિષ્ટ પુણ્યશાલી છે. અને ધીમી ધીમી ચાલથી ચાલનારા છે. [૧૪૩-૧૪૬] હે ભગવનું ઉત્તરકુરમાં યમક નામ વાળા બે પર્વતો ક્યાં આવેલા છે? હે ગૌતમ ! નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણ દિશાના ચરમાન્તથી લઈને આઠ સો ચોત્રીસ યોજન એક યોજનાના ચાર સપ્તમાંશ અબાધા-અન્તરાલ વિના સીતા નામની મહાનદીના પૂર્વ પશ્ચિમ કિનારા પર પર એ રીતે યમક નામના બે પર્વતો કહેલા છે. એક હજાર યોજન ઉપરની તરફ ઊંચા છે. તેમજ અઢીસો યોજન જમીનની અંદર રહેલ છે. મૂલ ભાગમાં એક હજાર યોજનના મધ્યમાં સાડા સાતસો યોજનાના લંબાઈ પહોળાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy