SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જંબુદ્ધીવપન્નત્તિ -૪/૧૪૧ ઉપશોભિત છે. સંસ્થાન પણ ત્યાં જ પ્રકારનું હોય છે.-પરિમંડલ સંસ્થાન, વૃત્ત સંસ્થાન, ત્રસ સંસ્થાન, ચતુરંસ સંસ્થાન, આયત સંસ્થાન, અને ઈન્થસ્થ સંસ્થાન.. આ મહાવિદેહ ક્ષેત્રોના મનુષ્યોના શરીર ઊંચાઈમાં ૫૦૦ ધનુષ જેટલા કહેવામા આવેલ છે. એમનું આયુ જઘન્યથી એક અન્તર્મુહૂર્ત જેટલું હોય છે. ૮૪ અને લાખ પૂવગોનો એક પૂર્વ હોય છે. એવા ૧ પૂર્વ કોટિ જેટલું ત્યાં ઉત્કૃષ્ટ આવું કહેવામાં આવેલ છે. આટલું આયુ પસાર કરીને ત્યાંના કેટલાંક જીવો તો નરક ગામી હોય છે થાવત્ કેટલાંક જીવો મનુષ્ય-સિદ્ધ ગતિ ગામી પણ હોય છે. તેઓ બુદ્ધ થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. પરિનિવતિ થઈ જાય છે. તેમજ તેઓ સમસ્ત દુઃખોનો અંત કરે છે. મહાવિદેહ ક્ષેત્ર, ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, હેમવતક્ષેત્ર અને રમ્યક ક્ષેત્રોની અપેક્ષા આયામ વિખંભ, સંસ્થાન પરિક્ષેપકોને લઈને જોઇએ તો વિસ્તીર્ણ તર છે, વિપુલતર છે, મહત્તર છે તથા સુપ્રમાણતરક છે એટલે કે એક લક્ષ પ્રમાણ જીવાવાળું હોવાથી આયામની અપેક્ષાએ મહત્તર છે. કંઈક આધિક ૮૪૬૩૩ યોજન પ્રમાણ યુક્ત હોવાથી એ વિસ્તીર્ણ તરક જ છે. પત્યેક રૂપ સંસ્થાનથી યુક્ત હોવા બદલ એ વિપુલ તરક વિજ્યોમાં સર્વદા પ00 ધનુષની ઊંચાઈવાળું શરીર હોય છે, તેમજ દેવકુર અને ઉત્તર કુરુમાં ત્રણ ગાઉ જેટલું ઉંચું શરીર હોય છે. આ મહાવિદેહતાને લઈને અકર્મ ભૂમિ રૂપ પણ દેવકુર અને ઉત્તરકુરુ એ ક્ષેત્રોને મહાવિદેહના ભેદ રૂપથી પરિગણિત કરવામાં આવેલ છે. આ મહેવિદેહતાથી યુક્ત મનુષ્યો અહીં રહે છે અને એ મનુષ્યોના સંબંધથી આ ક્ષેત્રને મહાવિદેહ કહેવામાં આવેલ છે. તેમજ મહાવિદેહ નામક દેવ અહીં રહે છે. આ દેવ મહર્દિક યાવતું એક પલ્યોપમ જેટલું એથી ઉપર્યુક્ત સર્વ કારણોને લઈને આ ક્ષેત્રનું નામ “મહાવિદેહ એવું રાખવામાં આવ્યું છે. અથવા “મહા વિદેહ' એવું આ ક્ષેત્રનું નામ અનાદિકાલિક છે. હે ભદત !મહાવિદેહ ક્ષેત્રમાં ગંધ. માદન નામક વક્ષસ્કાર પર્વત ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ દિશામા, મન્દર પર્વતના વાયવ્ય કોણમાં, શીતોદા મહાનદીની દિશા માં આવેલ અષ્ટમ વિજય રૂપ ગંધિલાવતી વિજયની પૂર્વ દિશામાં તેમજ ઉત્તર કર રૂપ સર્વોત્કૃષ્ટ ભૂમિક્ષેત્રની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રમાં ગન્ધમાદન નામક વક્ષસ્કાર પર્વત આવેલ છે-કે જે બે પર્વતો મળીને પોતાના વક્ષસ-મધ્યમાં ક્ષેત્રને છુપાવી લે છે, તેનું નામ વક્ષસ્કાર પર્વત છે. ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઉત્તરથી દક્ષિણ સુધી લાંબો છે તેમજ પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તીર્ણ છે. એનો આયામ ૩૦૨૯૦-૬ ૧૯ યોજન જેટલો છે. એ વક્ષસ્કાર નીલવાન વર્ષધર પર્વતની પાસે ૪૮૦ યોજન જેટલી ઊંચાઈવાળો છે. આનો ઉદ્ધધ ૪૦૦ ગાઉ જેટલો છે તેમજ વિખંભમાં એ પ00 યોજન જેટલો છે. ત્યાર બાદ એ અનુક્રમે ઊંચાઈમાં અને ઉદ્ધધમાં વધતો જાય છે અને વિખંભમાં ઓછો થતો જાય છે. આ પ્રમાણે મંદર પર્વતની પાસે પાંચસો યોજન જેટલી એની ઊંચાઈ થઈ જાય છે. અને પ00 ગાઉ જેટલો એનો ઉધ થઇ જાય છે. તેમજ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એનો વિષ્ફભ રહી જાય છે. એ પર્વત ગજદંતનું જેવું સંસ્થાન હોય છે તેવાજ સંસ્થાનવાળો છે. તેમજ સવત્મિક રત્નમય છે અને આકાશ તેમજ સ્ફટિકની જેમ નિર્મળ છે. એ બન્ને પાર્શ્વ ભાગોમાં બે પાવર વેદિકાઓથી અને બે વનખંડોથી સારી રીતે ચોમેરથી પરિવૃત છે.આ ગંધમાદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy