SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ વકબારો-૪ ૧૮૫ દ્વિગુણિત છે તેથી પચાસ યોજન જેટલા વિસ્તારવાળી છે. એક યોજન જેટલો એનો ઉદ્વેધ છે. ત્યાર બાદ એ ક્રમશ અભિવર્ધિત થથી પ્રતિયોજન બન્ને પાર્થભાગમાં ૮૦ ધનુષ્ય જેટલી વૃદ્ધિ પામતી એટલે કે એક પાર્શ્વમાં ૪૦ ધનુષ જેટલી વર્ધિત થતી મુખમૂલમાં -સાગરમાં પ્રવિષ્ટ થાય તે સ્થાનમાં એ પાંચસો યોજન સુધીના મુખમૂલ વિધ્વંભવાળી થઈ જાય છે કેમકે પ્રવાહ વિખંભની અપેક્ષા મુખમૂળનો વિખંભ દ્વિગુણિત થઈ જાય છે. એ બન્ને પાર્થભાગ બે પદ્વવરવેદિકાઓથી અને બે વનખંડોથી સંપરિક્ષિપ્ત છે. નિષધ નામક વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટો છે ? નવ ફૂટો છે. સિદ્ધાયતન કૂટ, નિષધ કૂટ, હરિવર્ષ કૂટ, પૂર્વ વિદેહ કૂટ, હરિ કૂટ, ધૃતિ કૂટ, સીતાદા કૂટ, અપર વિદેહ કૂટ અને રુચક કૂટ એમાં જે અરિહંતના ગૃહ રૂપ કૂટ છે, તે સિદ્ધયતન ફૂટ છે. નિષધ વર્ષધર પર્વતના અધિપતિનો જે કુટ છે તે હરિવર્ષ કૂટ છે. પૂર્વવિદેહના અધિપતિનો જે કટ છે તે પૂર્વવિદેહ કૂટ છે. હરિ-સલિલા નદીની દેવીનો જે કૂટ છે તે હરિકૂટ છે. તિબિંછ દૂહની અધિષ્ઠાત્રી દેવીનો જે કૂટ છે તે ધૃતિ કૂટ છે શીતોદા નદીની દેવીનો જે કૂટ છે તે સીતોદા કૂટ છે અપર વિદેહાધિપતિનો જે કૂટ છે તે અપરવિદેહ કૂટ છે. ચક્રવાલ પર્વત વિશેષના અધિપતિનો જે કૂટ છે તે રૂચક ફૂટ છે. પહેલા જે મુદ્રહિમવતુ પર્વતના નવ ફૂટની ઉચ્ચતા, વિખંભ અને પરિક્ષેપનું પ્રમાણ કહેવામાં આવેલ છે તેજ પ્રમાણ આ કૂટોની ઉચ્ચતા, વિખંભ અને પરિક્ષેપનું સમજવું. હે ભદન્ત! નિષધ’ એવું નામ શા કારણથી કહ્યું છે? હે ગૌતમ! એ નિષધ વર્ષધર પર્વતની ઉપર અનેક કૂટો નિષધના સંસ્થાન જેવા-વૃષભ આકારના જેવા છે તેમજ એ વર્ષધર પર્વત ઉપર નિષધ નામક મહર્દિક યાવતું એક પલ્યોમપ જેટલા આયુષ્યવાળો દેવ રહે છે. એ કારણે મેં એ વર્ષધર પર્વતનું નામ નિષધ” કહ્યું છે. [૧૪૦-૧૪૧] હે ભદત ! આ જંબૂદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક દ્વીપ ક્યા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવાનું વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં તથા નિષધ વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં તેમજ પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રની પૂર્વ દિશામાં એ જેબૂદ્વીપ નામક દ્વીપમાં મહાવિદેહ નામક ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબું છે. અને ઉત્તરથી દક્ષિણમાં વિસ્તાર સંસ્થાને છે. પલ્યુક એ પોતાની પૂર્વ પશ્ચિમની કોટિથી-ક્રમશઃ પૂર્વ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શે છે. આ ક્ષેત્રનો વિસ્તાર ૩૩૬૮૪-૪/૧૯ મધ્ય ભાગમાં એની જીવા પૂર્વ પશ્ચિમ તરફ દીર્ઘ છે. એ પોતાની પૂર્વકોટિથી પૂર્વદિશ્વર્તી લવણ સમુદ્રને અને પશ્ચિમ કોટિથી પશ્ચિમ દિશ્વર્તી લવણ સમુદ્રને સ્પર્શી રહી છે. એની દીર્ઘતાનું પ્રમાણ ૧ એક લાખ યોજન જેટલું છે. આ મહાવિદેહ ક્ષેત્રનું ધનુપૃષ્ઠ પરિક્ષે પની અપેક્ષાએ બન્ને પાર્શ્વભાગોમાં ઉત્તર દક્ષિણમાં ૧૫૮૧૧૩ યોજન અને એક યોજનના ૧૯ ભાગોમાંથી કંઈક વધારે ૧૬ ભાગ પ્રમાણ છે આ મહા વિદેહ ક્ષેત્ર ચાર ભેદ યુક્ત છે. જેમકે પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ, દેવકુર અને ઉત્તર કુર. મેરુની પૂર્વ દિશા નો જે વિદેહ છે તે પૂર્વ વિદેહ છે અને મેરૂની પશ્ચિમ દિશાનો જે વિદેહ છે તે અપર વિદેહ છે. મેરુની દક્ષિણ દિશાનો જે વિદેહ છે તે દેવ કુરુ છે અને મેરુની ઉત્તર દિશાનો જે વિદેહ છે તે ઉત્તર ગુરુ છે. હે ભદત! મહાવિદેહ ક્ષેત્રનો આકાર, ભાવ, પ્રત્યવતાર એટલે કે સ્વરૂપ કેવું કહેવામાં આવેલ છે? હે ગૌતમ! ત્યાંનો ભૂમિભાગ બહુ સમરમણીય કહેવામાં આવેલ છે. યાવત્ કૃત્રિમ તેમજ અકૃત્રિમ નાનાવિધ પંચવણવાળા મણિઓથી અને તૃણોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy