SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ પ-નવસા- ૬-૩૪૬ પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, પરન્તુ બેઇન્દ્રિયો, યાવતુ-ચઉરિન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી, અને પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. જો એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તો શું પૃથિવી- કાયિક એકેન્દ્રિયોમાં કેયાવતુ વનસ્પતિકાયિકએકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પૃથિવીકાયિક એકેન્દ્રિયોમાં અને અપ્લાયિક એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે, પણ તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. અને વનસ્પતિ કાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. જો પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ માં કે બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, પણ સૂક્ષ્મ પૃથિવીકાયિકમાં ન ઉત્પન્ન થાય. જે બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા કે અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્તામાં ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તામાં ન ઉત્પન્ન થાય. એ પ્રમાણે અપ્લાયિક અને વનસ્પતિ કાયિકને પણ કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને વિશે જેમ નરયિકોની સંમૂર્ણિમ સિવાય અન્યમાં ઉદ્વર્તના કહી તેમ અસુરકુમારોની પણ કહેવી. એ પ્રમાણે સ્વનિત કુમાર સુધી જાણવું. [૩૪૭] હે ભગવન્! પૃથિવીકાયિકો ઉદ્વર્તન કરી-ક્યાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! નૈરયિકોમાં ન ઉત્પન્ન થાય, તિર્યંચયોનિક અને મનુષ્યોમાં ઉત્પન થાય, અને દેવોમાં ન ઉત્પન થાય. જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ દેવસિવાય કહેવી. એ પ્રમાણે અપ્લાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ. કહેવા. તેજસ્કાય અને વાયુકાય માટે એમજ જાણવું. પરન્તુ મનુષ્ય સિવાય બીજાને વિશે ઉત્પન્ન થાય. [૩૪૮] હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો મરીને તુરત ક્યાં જાય-ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોમાં, યાવતુ દેવોમાં ઉત્પન્ન થાય. જો નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો રત્નપ્રભામાં ઉત્પન્ન થાય કે યાવતું સાતમી નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ સાતે નરકમાં. ઉત્પન્ન થાય. જે તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયમાં કે યાવતુ-પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! પાંચમાં.-ઇત્યાદિ જેમ એઓનો ઉપપાત કહ્યો છે તેમ ઉદ્ધતના પણ કહેવી. પરન્તુ એઓ અસંખ્યાત વરસના આયુષવાળા. તિર્યચોમાં પણ ઉત્પન્ન થાય છે. જો મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો શું સંમૂછિમ કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બન્નેમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે જેમ ઉપપાત, કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ કહેવી. પરન્તુ અકર્મભૂમિના અને અન્તર દ્વીપના અસંખ્યાત. વરસના આયુવાળા મનુષ્યોમાં પણ ઉત્પન્ન થાય છે એમ કહેવું. જો દેવોમાં ઉત્પન્ન થાય તો શું ભવનપતિમાં ઉત્પન્ન થાય કે યાવતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બધામાં. જો ભવનપતિમાં ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોમાં કે યાવતુ સ્વનિતકુમાં રોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! બધામાં. એ પ્રમાણે વ્યત્તર, જ્યોતિષ્ક અને વૈમાનિ કોમાં સહસ્ત્રારકલ્પ સુધી નિરંતર ઉત્પન્ન થાય છે. [૩૪૯] હે ભગવન્! મનુષ્યો મરણ પામી તુરત ક્યાં જાય, ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ચારે ગતિમાં, એમ નિરંતર બધા સ્થાનકો સંબધે પૃચ્છા કરવી. હે ગૌતમ ! બધા સ્થાનકોમાં ઉત્પન્ન થાય છે. કોઈ પણ સ્થાનનો પ્રતિષેધ ન કરવો. યાવતુસર્વાર્થસિદ્ધ દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. કોઇક તો સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy