SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૬ ૨૭૫ છે. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્છાિમ મનુષ્યોથી કે ગર્ભજમનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! સંમૂથર્છાિમ મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી, પણ ગર્ભજ મનુષ્યથી આવી ઉત્પન્ન થાય છે. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના,અકર્મભૂમિના કે અંતરદ્વિપના ગર્ભજ મનુષ્યોથીઆવીઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ફકત કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. જે કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા કે અસંખ્યાતા વરસના આયુષ વાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! સંખ્યાતા વરસના આયુષવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે, પણ અસંખ્યાતા વરસના આયુષ વાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થતા નથી. જો સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પયપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પતિ થી આવી ઉત્પન્ન થાય, પણ અપયતાથી આવી ઉત્પન્ન ન થાય. જો પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સમ્યવૃષ્ટિથી સમ્યુશ્કિયાદ્રષ્ટિથી કે મિથ્યાદ્રષ્ટિથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સમ્યવૃષ્ટિથી કે મિથ્યાવૃષ્ટિથી આવી ઉત્પન્ન થાય, પણ સમ્યુગ્મિધ્યાવૃષ્ટિથી આવી ઉત્પન્ન ન થાય. જો સમ્યગૃષ્ટિ પપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંયત સમ્યગ્દષ્ટિથી, અસંયત સમ્યવ્રુષ્ટિ થી કે સંયતાસંયત સમ્યવૃષ્ટિથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ત્રણેથી. એ પ્રમાણે અશ્રુત કલ્પ સુધી જાણવું. રૈવેયક દેવો પણ એમજ જાણવા. પરંતુ સમ્યગ્નેષ્ટિ અસંયત અને સંયતાસંયતનો પ્રતિષેધ કરવો. જેમ ગ્રેવેયક દેવો કહ્યા તેમ અનુત્તરૌપપાતિક દેવો પણ સમજવા. પરંતુ એટલો વિશેષ છે કે અહીં સંયતો જ આવી ઉપજે છે. જો સમ્યગૃષ્ટિ સંયત પયપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો થી આવી ઉત્પન્ન થાય તો શું પ્રમત્ત સંયતથી કે અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય, પરંતુ પ્રમત્ત સંયમતથી આવી ઉત્પન્ન ન થાય. જે અપ્રમત્ત સંયતથી આવી ઉત્પન્ન થાય તો શું દ્ધિપ્રાપ્ત સંયતથી કે ઋદ્ધિ અપ્રાપ્ત સંયતથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બન્નેથી આવી ઉત્પન્ન થાય. [૩૪૫] હે ભગવન્! નૈરયિકો ઉદ્ધના કરી-મરણ પામી તુરત ક્યાં જાય-ક્યાં ઉત્પન્ન થાય ?શું નૈરયિકોમાં,તિર્યંચોમાં મનુષ્યોમાં કે દેવોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોમાં ન ઉત્પન્ન થાય, તિર્યંચોમાં અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય અને દેવોમાં ન ઉત્પન્ન થાય. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય કે યાવતુ પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એકેન્દ્રિયોમાં ન ઉત્પન્ન થાય, યાવતુચઉરિદ્રિયોમાં ન ઉત્પન્ન થાય-ઈત્યાદિ જ્યાંથી આવી નારકોનો ઉપપાત કહ્યો છે તેને વિશે ઉદ્વર્તના પણ કહેવી. પરન્તુ સંમૂર્ણિમોમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સર્વ નરક પૃથિવીઓમાં કહેવું. પણ સાતમી નરકમૃથિવીથી નીકળી મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. [૩૪] હે ભગવન્! અસુરકુમારો ઉદ્વર્તન કરી ક્યાં જાય ક્યાં ઉત્પન્ન થાય છે ગૌતમ ! નૈરયિકોમાં ઉપજતા નથી, તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અને દેવોમાં ઉત્પન્ન થતા નથી. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય કે યાવતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy