SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૬ ૨૭૭ નિવણિ પામે છે અને સર્વ દુઃખોનો અન્ત કરે છે. [૩૫] વ્યત્તર, જ્યોતિષ્ક, વૈમાનિક સૌધર્મ અને ઈશાન દેવો જેમ અસુર કુમારો કહ્યા તેમ કહેવા. પરંતુ જ્યોતિષ્ક અને વૈમાનિકો “àવે છે' એવો પાઠ કહેવો. સનત્કુમાર દેવો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ અસુરકુમારો કહ્યા તેમ કહેવા, પરંતુ એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સહસ્ત્રાર દેવો સુધી જાણવા. આનત, થાવતુ અનુત્તરૌપપાતિક દેવો સંબંધે એમજ જાણવું, પરંતુ તેઓ તિર્યંચોમાં ઉત્પન્ન થતા નથી. મનુષ્યોમાં પણ પર્યાપ્તાસંખ્યાતાવરસનાઆયુષવાળાકર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. [૩પ૧] હે ભગવન! નૈરયિકો આયુષનો કેટલો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે ? હે ગૌતમ ! છ માસ આયુષ બાકી હોય ત્યારે. એ પ્રમાણે અસુર કુમારો, યાવતું સ્વનિતકુમારો જાણવા. હે ભગવન્! પૃથિવીકાયિકો આયુષનો કેટલો. ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે ? હે ગૌતમ ! પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સોપક્રમણ આયુષવાળા અને નિરુપક્રમઆયુષવાળા. તેમાં જે નિરુપક્રમઆયુષવાળા છે તેઓ અવશ્ય વર્તમાન આયુષનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે. તેમાં જે સોપક્રમ આયુષવાળા છે તેઓ કદાચ આયુષનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે. કદાચ આયુષના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે. કદાચ આયુષના ત્રીજા ભાગના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે. અપૂ તેજસ્, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયોને પણ એમજ જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સંખ્યાત વરસના આયુષવાળા અને અસંખ્યાતાવરણના આયુષવાળા, તેમાં જે અસંખ્યાતવરસના આયુ- ષવાળા છે તે પોતાનું છમાસનું આયુષ બાકી હોય ત્યારે અવશ્ય પરભવનું આયુષ બાંધે છે. અને જે સંખ્યાત વરસના આયુષવાળા છે તે બે પ્રકારના છે, સોપક્રમઆયુષવાળા અને નિરુપક્રમઆયુષવાળા. તેમાં જે નિરુપક્રમ આયુષવાળા છે તે પોતાના આયુષનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે અવશ્ય પરભવનું આયુષ બાંધે છે. અને જે સોપક્રમઆયુષ વાળા છે, તેઓ કદાચ ત્રીજો ભાગ બાકી હોય ત્યારે છે, કદાચ ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે અને કદાચ ત્રીજા ભાગના ત્રીજા ભાગનો ત્રીજો ભાગ બાકી હોય ત્યારે પરભવનું આયુષ બાંધે છે. એ પ્રમાણે મનુષ્યો પણ જાણ વા.વ્યત્તરો,જ્યોતિષ્ઠો અને વૈમાનિકો નૈરયિકો પ્રમાણેજાણવા. [૩પ૨] હે ભગવન્ ! આયુષનો બંધ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ ! છ પ્રકારનો.-જાતિનામનિધત્તાયુષ, ગતિનામનિ ધત્તાયુષ, સ્થિતિનામનિધત્તાયુષ, અવગાહનાનામનિધત્તાયુષ. પ્રદેશનામનિધત્તા યુષ અને અનુભવનામનિધત્તાયુષ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો આયુષ બંધ કહ્યો છે ? હે ગૌતમ ! છ પ્રકારનો. પૂર્વવતું. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો જાતિનામનિ પત્તાયુષ કેટલા આકર્ષ વડે બાંધે? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કર્ષથી આઠ આકર્ષવડે બાંધે. એ પ્રમાણે યાવતુ- વૈમાનિક સુધી જાણવું.એ પ્રમાણે ગતિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy