SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ પદ્મવણા - ૫/-/૩૧૫ સ્થાનપતિત હોય છે, એ હેતુથી હે ગૌતમ ! એમ કહું છું કે જઘન્યકાળાવર્ણવાળા નૈયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે.' એમ ઉત્કૃષ્ટ કાળાવર્ણવાળા નૈરિયકોને જાણવું. અજઘન્યઅનુત્કૃષ્ટકાળાવર્ણવાળા નૈરિયકોને પણ એમજ જાણવું, પરન્તુ કાળાવર્ણ પર્યાય વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે બાકીના વર્ગો, બે ગંધો, પાંચ રસો અને આઠ સ્પર્શોને આશ્રીય જાણવું. જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરિયોને કેટલા પર્યાયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્ ! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્યઆભિનિબોધિકજ્ઞાનવાળો નૈયિક, જઘન્યઆભિનિબોધિક જ્ઞાન વાળા નૈરિયેકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનાર્થરૂપે ચતુઃસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાયોવડે છ સ્થાનપતિત છે. આિિને બોધિકજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પર્યાયો અને ત્રણ દર્શન વડે છસ્થાપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરિયકોને જાણવું. અજઘન્યઅનુત્કૃષ્ટઆભિનિબોધિકજ્ઞાનવાળા નૈરિયકોને પણ એમજ જાણવું. પરંતુ સ્વસ્થાનની અપેક્ષાએ આભિનિબોધિક જ્ઞાન પર્યાયો વડે છસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાન વૈયિકો સંબંધે જાણવું. પરન્તુ જે નૈરયિકોને જ્ઞાન હોય છે તેને અજ્ઞાન વડે હોતું નથી. જેમ જ્ઞાન સંબંધે કહ્યું તેમ અજ્ઞાન સંબંધે પણ કહેવું. પરન્તુ જેને અજ્ઞાન હોય છે તેને જ્ઞાન હોતું નથી. હે ભગવન્ ! જઘન્યચક્ષુદર્શન વાળા નૈયિકોને કેટલા પર્યાયો કહ્યા છે ? હે ગૌતમાંઅનંતા પર્યાયો કહ્યા છે. હે ભગવન્ ! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્ય ચક્ષુદર્શનવાળો નૈયિક જઘન્યચક્ષુ- દર્શન વાળા નૈયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃ સ્થાનપતિત છે. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવડે છસ્થાનપતિત છે. ચક્ષુદર્શનપર્યાય વડે તુલ્ય છે. અચક્ષુદર્શન પયિય અને અધિદર્શન પર્યાય વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ ચક્ષુદર્શનવાળા નૈરિયકો પણ જાણવા. અજઘન્યઅનુત્કૃષ્ટદર્શનવાળા પણ એમજ જાણવા. પરન્તુ સ્વસ્થાનની અપેક્ષાએ છ સ્થાનપતિત હોય છે. એમ અચક્ષુદર્શની અને અધિદર્શની પણ સમજવા. [૩૧૬] હે ભગવન્ ! જઘન્યઅવગાહનાવાળા અસુરકુમારોને કેટલા પર્યાયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્ ! એમ શા હેતુથી કહો છો અસુરકુમા૨ની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. વદ વડે છસ્થાનપતિત છે. આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાનના પર્યાયો વડે તથા ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટઅવગાહનાવાળા (અસુર કુમાર) સંબંધે જાણવું. અઘન્યઅનુત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે પણ એમજ જાણવું. પરન્તુ સ્વસ્થાનાની અપેક્ષાએ ચતુઃસ્થાનપતિત જાણવા. એ પ્રમાણે યાવત્ સ્તનિકુમાર સુધી જાણવું. [૩૧૭] જઘન્યઅવગાહનાવાળા પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે ? હે ગૌતમ ! અન્નત પર્યાયો કહ્યા છે. હે ભગવન્ ! શા હેતુથી એમ કહો છો હે ગૌતમ ! જઘન્યઅવગાહનાવાળો પૃથિવીકાયિક જઘન્યઅવગાહનાવાળા પૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે. પરન્તુ સ્થિતિ વડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy