SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૫ ૨૫૩ અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો નૈરયિક જઘન્ય અવગાહનાવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ચતુઃસ્થાનપતિત છે. વર્ણ, ગધ, રસ, અને સ્પર્શપયય તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનવડે છસ્થાનપતિત છે. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! ઉત્કૃષ્ટ અવગાહના વાળો નૈરયિક ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતનો ભાગ ન્યૂન હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય અને સંખ્યાતમો ભાગ અધિક હોય. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પયય વડે, તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન વડે છસ્થાનપતિત હોય. અજઘન્ય અનુત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! અજઘન્ય અનુભ્રષ્ટઅવગાહનાવાળા નૈરયિક તેવાજ પ્રકારની અવગા. હનાવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે અને અવગાહ નારૂપે કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય, અને કદાચ અધિક હોય. જો હીન હોય તો કદાચ અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય કે અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, યાવતું અસંખ્યાગણ અધિક હોય. સ્થિતિ વડે કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક હોય. જો હીન હોય તો અસંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતમો ભાગ હીન હોય, સંખ્યાતગુણ હીન હોય અને અસંખ્યાતગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, યાવતુ અસંખ્યાતગુણ અધિક હોય. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શપર્યાય વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છસ્થાન પતિત હોય. હે ગૌતમ ! એ કારણથી એમ કહું છું કે અજઘન્યઅનુકષ્ટ અવગાહનાવાળા નરયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. જઘન્યસ્થિતિવાળા નરયિકોને કેટલા પયયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો નૈરયિક જઘન્ય સ્થિતિવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે. અવગાહનારૂપે ચતું સ્થાન પતિત હોય છે અને સ્થિતિ વડે તુલ્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપથયિ વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શનો વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળાને જાણવું અને અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકોને તેમજ જાણવું. પરન્તુ તેઓ સ્વસ્થાનની અપેક્ષાએ ચતુસ્થાન પતિત હોય છે. જઘન્ય કાળા વર્ણવાળા નૈરયિકોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે હે ગૌતમ ! જઘન્યકાળાવર્ણવાળો નૈરયિક જઘન્ય કાળાવર્ણવાળા નૈરયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહના અને સ્થિતવડે ચતુઃસ્થાનપતિત છે. કાળા વર્ણપર્યાય વડે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પયિ વડે તથા ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy