SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૫ ૨૫૫ ત્રિસ્થાનપતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે તથા બે અજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાયોવડે છસ્થાનપતિત છે. એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પૃથિવીકાયિક જાણવા. મધ્યમ અવગાહનાવાળા પૃથિવીકાયિકો સંબંધે પણ એમજ જાણવું, પરન્તુ સ્વસ્થાન અવગાહનાને અપેક્ષી ચતુઃસ્થાન પતિત જાણવા. જઘન્યસ્થિતિવાળા પૃથિવીકાયિકોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! અનન્તપયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે- હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો પૃથિવીકાયિક જઘન્યસ્થિતિવાળા પૃથિવી કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે અને સ્થિતિરૂપે તુલ્ય છે, અને અવગા હનારૂપે ચતુઃસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપથવિડે તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુ દર્શનપયય વડે જ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પણ પૃથિવી કાયિક જાણવો. અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિવાળા સંબંધે પણ. એમજ સમજવું. પરન્તુ સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે. હે ભગવન્! જઘન્યકાળગુણવાળા પૃથિવીકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમઅનન્ત પર્યાયો કહ્યા છે.હેભગવન! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્ય કાળાગુણાવાળો પૃથિવીકાયિક જઘન્ય કાળાગુણવાળા પૃથિવીકાયિકની અપે ક્ષાએ દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, પરન્તુ અવગાહનાવડે ચાર પ્રાપ્ત થયેલ છે, અને સ્થિતિવડે ત્રિસ્થનમાં પ્રાપ્ત છે. કાળાવણ પર્યાયિવડે તુલ્ય છે. બાકીના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શપયયો વડે છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. બે અજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાયવડે છ સ્થાન પ્રાપ્ત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળા ગુણાવાળા પૃથિવીકાયિક સંબંધે જાણવું. અજઘન્ય અનુત્કૃષ્ટ કાળાગુણાવાળા માટે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થા નની અપેક્ષાએ છ સ્થાનને પ્રાપ્ત થયેલ છે. એમ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ સંબંધે જાણવું. જઘન્યમતિઅજ્ઞાનવાળા. પૃથિવીકાયિકો સંબંધી પૃચ્છા. હે ગૌતમ ! તેઓને અનન્ત પયિો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે - હે ગૌતમ ! જઘન્યમતિ અજ્ઞાની પૃથિવીકાયિક જઘન્યમતિ અજ્ઞાનીપૃથિવીકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહના રૂપે ચાર સ્થાનકને પ્રાપ્ત થયેલ છે અને સ્થિતિવડે ત્રિસ્થાનને પ્રાપ્ત થાય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાય વડે છ સ્થાનને પ્રાપ્ત થાય છે. મતિઅજ્ઞાનપર્યાય વડે તુલ્ય છે. શ્રત અજ્ઞાનપયય અને અચક્ષુદર્શનપયિ વડે જ સ્થાનને પ્રાપ્ત થાય છે. એમ શ્રુતઅજ્ઞાની અને અચક્ષુદર્શની જાણવા. એ પ્રમાણે યાવતું - વનસ્પતિકાયિકો સુધી જાણવું. [૩૧૮] જઘન્ય અવગાહના વાળા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેને અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! શા હેતુથી એમ કહો છો કે હે ગૌતમ! જઘન્ય અવગાહનાવાળો બેઇન્દ્રિય જઘન્યઅવગાહનાવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશ સ્વરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિવડે ત્રિસ્થાન પ્રાપ્ત છે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શપર્યાયવડે તથા બે જ્ઞાન બે અજ્ઞાન અચક્ષુદર્શન વડે જ સ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંબંધે જાણવું. પરંતુ અહીં જ્ઞાનો હોતા નથી. મધ્યમઅવ ગાહનાવાળાને જઘન્યઅવગાહનાવાળાની પેઠે જાણવું. પરન્તુ સ્વસ્થાન-આશ્રીને ચતુઃસ્થાન પ્રાપ્ત હોય છે. જઘન્યસ્થિતિવાળા બેઈન્દ્રિયસંબંધી પૃચ્છા. હે ગૌતમ ! તેઓને અનન્ત પયયિો છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળો બેઇન્દ્રિય જઘન્યસ્થિતિવાળા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યસ્વરૂપે, પ્રદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy