SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ પન્નવણા-૫-૧૩૧૦ મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અચક્ષુદર્શન પયયિની અપેક્ષાએ છસ્થાનપતિત હોય છે. તેજસ્કાયિકોને કેટલા પયિો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક તેજસ્કાયિક બીજા કોઈ એક તેજસ્કાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત હોય છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત હોય છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, મતિ અજ્ઞાન અને અચક્ષુદર્શન પયયવડે છ સ્થાનપતિત હોય છે. વાયુકાયિકોને કેટલા પયયો કહ્યા છે? હે ગૌતમ! વાયુકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! કોઇ એક વાયુકાયિકો બીજા કોઈ એક વાયુકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ રૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત છે, વર્ણ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન પયય વડે છસ્થાનપતિત છે. વનસ્પતિકાયિકોને કેટલા પયયો છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો છે. કોઈ એક વનસ્પતિકાયિક કોઈ બીજા વનસ્પતિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત અને સ્થિતિરૂપે ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનપતિત હોય છે. તેથી એમ કહું છું કે વનસ્પતિકાયિકોને અનન્ત પયયો છે. [૩૧૧-૩૧૨ી બે ઇન્દ્રિયોને કેટલા પયયો કહ્યા છે. હે ગૌતમ ! બેઈન્દ્રિયોને અનન્ત પયયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! કોઈ એક બેઈન્દ્રિય કોઈ બીજા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે કદાચિત ન્યૂન હોય, કદાચિત તુલ્ય હોય, કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યાતમો ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન કે અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, યાવતુ અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિને આશ્રીને ત્રિસ્થાનપતિત હોય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આભિનિ બોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુ દર્શન પયય વડે છસ્થાન પતિત હોય. એમ તેઈદ્રિય અને ચઉરિન્દ્રિય જીવો જાણવા. પરંતુ ચઉરિન્દ્રિયોને ચક્ષુ અને અચક્ષુ એ બે દર્શન હોય છે. જેમ નરયિકોને કહ્યા તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને પયયો કહેવા. [૩૧૩] હે ભગવન્! મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે ? હે ગૌતમ ! અનન્ત પર્યાયિો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો કે “મનુષ્યોને અનન્ત પર્યાયો કહ્યા છે ? હે ગૌતમ ! કોઈ પણ મનુષ્ય કોઈ બીજા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે, સ્થિતિરૂપે ચતુઃસ્થાપતિત છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આભિનિબોધિકજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પર્યવજ્ઞાન વડે છસ્થાનપતિત છે, કેવળજ્ઞાન પયય વડે તુલ્ય છે, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાપતિત છે, અને કેવળ દર્શનપયયિ વડે તુલ્ય છે. [૩૧૪] વ્યત્તરો અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુર સ્થાનપતિત છે. વણદિ વડે છ સ્થાનપતિત છે. જ્યોતિષિકો અને વૈમાનિકો પણ એ જ પ્રકારે છે. પરંતુ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. [૩૧૫ જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? ગૌતમ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy