SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ પન્નવા - ૧/-/૧૯૦ પ્રકારના કહ્યાછે. છાસ્થ યથાખ્યાત ચારિત્રાર્યો અને કેવલી યથાખ્યાત ચારિત્રાર્યો. એમ ચારિત્રાર્યો, અનુદ્ધિપ્રાપ્ત-આર્યો, કર્મભૂમિના મનુષ્યો, ગર્ભજ મનુષ્યો કહ્યા. [૧૯૧] દેવો કેટલા પ્રકારના છે ? દેવો ચાર પ્રકારના છે.- ભવન વાસી, વાન મંતર, જ્યોતિષિક અને વૈમાનિક. ભવનવાસી દેવો કેટલા પ્રકારના છે ? દશ પ્રકારના અસુરકુમા૨, નાગકુમાર, સુવર્ણ કુમાર, વિદ્યુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિ કુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્તનિતકુમાર. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે.પર્યાપ્તા અને અપર્યાપ્ત.વાનમંતર દેવો કેટલા પ્રકારના છે ? આઠ પ્રકારના - કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, અને પિશાચ. તે સંક્ષેપથી બે પ્રકારના કહ્યા છે. - પર્યાપ્ત અને અપર્યાપ્તા. જ્યોતિષિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના - ચન્દ્ર, સૂર્ય. ગ્રહ, નક્ષત્ર અને તારા. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ જ્યોતિષિક દેવો કહ્યા. વૈમાનિક દેવો કેટલા પ્રકારના છે ? વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા. અને કલ્પાતીત.કલ્પોપગ દેવો કેટલા પ્રકારના છે ? બારપ્રકારના સૌધર્મ, ઇશાન, સનત્કુમાર માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ અને અચ્યુત. તે સંક્ષેપથી બે પ્રકારના છે. -પર્યાપ્તા અને અપર્યાપ્તા. એમ કલ્પોપગ દેવો કહ્યા. કલ્પાતીત દેવો કેટલા પ્રકારના છે ? બે પ્રકારના- ત્રૈવેયક અને અનુત્તરૌપપાતિક, શૈવેયક દેવો કેટલા પ્રકારના છે ? તે નવ પ્રકારના કહ્યા છે. - નીચેની ત્રિકના નીચેના ત્રૈવેયકો, નીચેની ત્રિકના મધ્યમ શૈવેયકો, નીચેની ત્રિકના ઉપરના ગ્રેવેયકો, મધ્યમ ત્રિકના નીચેના ત્રૈવેયકો, મધ્યમ ત્રિકના મધ્યમ ગ્રેવેયકો, મધ્યમ કિના ઉપરના ત્રૈવેયકો, ઉપરની ત્રિકના નીચેના ત્રૈવેયકો, ઉપરની ત્રિકના મધ્યમ ગ્રેવૈયકો, ઉપરની ત્રિકના ઉપરના ગ્રેવૈયકો. તે સંક્ષેપથી બે પ્રકારના છે.- પર્યાપ્તા અને અપયાિ,અનુત્તરી પપાતિક દેવો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના- ૧ વિજય, ૨ વૈજયન્ત, ૩ જયન્ત, ૪ અપરાજિત અને ૫ સિિર્થદ્ધ. તે સંક્ષેપથી બે પ્રકારના છે. પર્યામા અને અપર્યાપ્તા. એ પ્રમાણે વૈમાનિક દેવો, અને પંચેન્દ્રિયો કહ્યા. અને એમ સંસારી જીવપ્રજ્ઞાપના, જીવપ્રજ્ઞાપના અને પ્રજ્ઞાપના કહી. પદઃ ૧ની મુનિ દીપરત્નસાગરો કરેલ ગુર્જરછાયા પૂર્ણ - પદ-૨-સ્થાન [૧૯૨-૧૯૩]હે ભગવન્! પર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોના સ્થાનો ક્યાં કહ્યાંછે ? હે ગૌતમ ! સ્વસ્થાનને- આશ્રયી આઠે પૃથીવીઓમાં હોય છે. - રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તમઃ તમઃપ્રભા-સિદ્ધશિલામાં છે, અધોલો કમાં પાતાલકલશો, ભવનો, ભવનપ્રસ્તટો, નરકો, નરકાવલિકાઓ અને નરકપ્રસ્ત ટોમાં હોય છે. ઉર્ધ્વલોકમાં કલ્પો, વિમાનો, વિમાના વલિકાઓ અને વિમાનપ્રસ્તટોમાં હોય છે. તિર્યંગ્લોકમાં ટુંકો, કૂટો, શૈલો,- શિખરી- પર્વતો, પ્રાક્ભારો- વિજયો, વક્ષસ્કારો, વર્ષ ક્ષેત્રો, વર્ષધર પર્વતો, વેલાઓ, વેદિકાઓ, દ્વારે, તોરણો, દ્વીપો અને સમુદ્રોમાં, અહીં પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકોના સ્થાનો કહેલાં છે. તેઓ -ઉત્પત્તિને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સમુદ્દાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમા અને સ્વસ્થાનને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. હે ભગવન્ ! For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy