SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ જીવાજીવાભિગમ - ૧૦/૮/૩૯૬ અને અસંસારી સઘળાજીવોનો સમાવેશ થઈ જાય છે. હે ગૌતમ ! સૌથી ઓછા મનુષ્યો છે. તેના કરતાં નૈરયિક જીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં દેવો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પંચેન્દ્રિય તિર્યંગ્યોનિક જીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ચાર ઈંદ્રિયવાળા જીવો વિશેષાધિક છે તેના કરતાં બે ઈંદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં સિદ્ધ જીવો અનંતગણા વધારે છે. અને સિદ્ધોના કરતાં પણ એક ઈંદ્રિયવાળા જીવો અનંતગણા વધારે છે. કેમકે-વનસ્પતિકાયિક જીવ અનંત હોય અથવા સઘળા જીવો આ રીતે પણ દશ પ્રકારના છે. પ્રથમ સમય નૈરયિક અપ્રથમસમય નૈરયિક, પ્રથમ સમય તિર્યંચ્યોનિક, અપ્રથમ સમય તિર્યંગ્યો નિક, પ્રથમ સમય મનુષ્ય, અપ્રથમ સમય મનુષ્ય પ્રથમ સમય દેવ અપ્રથમ સમય દેવ હે ગૌતમ પ્રથમ સમયવર્તિ જે મનુષ્ય છે તેઓ સૌથી ઓછા છે. તેમના કરતાં જે અસંખ્યાતગણા વધારેછે. તેના કરતાં પ્રથમસમયવર્તિ જે દેવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે અપ્રથમ સમયવર્તિ તિર્યંગ્યોનિક જીવ છે. તે અસંખ્યાતગણા વધારે છે. સૌથી ઓછા અપ્રથમ સમયવર્તી મનુષ્ય છે. તેના કરતાં જે અપ્રથમસમયવર્તી નૈરિયક છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તી દેવો છે તે અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે અપ્રથમ સમયવર્તી તિર્યંગ્યોનિક જીવ છે, તેઓ અનંત ગણા વધારે છે. ત્રીજા પ્રકારનું અલ્પ બહુત્વ પ્રથમસમયવર્તી નૈરયિકો અને અપ્રથમ સમયવર્તી નૈયિકોમાં સૌથી ઓછા પ્રથમસમયવર્તી નૈરયિકો છે. અને તેના કરતાં અપ્રથમ સમય વર્તી નૈરયિકો છે, તેઓ અસંખ્યાત ગણા વધારે છે. એજ પ્રમાણે પ્રથમ સમયવર્તી જે તિર્યંચ્યોનિક જીવ છે તેઓ અનંતગણા વધારે છે. પ્રથમ સમયવર્તી મનુષ્ય સૌથી ઓછા છે. અને તેના કરતાં અપ્રથમસમયવર્તી જે મનુષ્ય છે તેઓ અસંખ્યાત ગણા વધારે છે. એજ પ્રમાણે પ્રથમ સમયવર્તી જે દેવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પણ અપ્રથમ સમયવર્તી જે દેવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. ચોથા પ્રકારનું અલ્પ બહુત્વ સૌથી ઓછા પ્રથમ સમયવર્તી મનુષ્ય છે, તેના કરતાં અપ્રથમ સમયવર્તી મનુષ્ય અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી નૈયિકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી દેવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી તિર્યંગ્યોનિક જીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી નૈયિકો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી દેવો અસંખ્યાતગણા વધારે છે. સિદ્ધો અનંતગણા છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી તિર્યંચ્યોનિક જીવો અનંતગણા આ પ્રમાણે સમયવર્તી તિર્યંગ્યોનિક જીવો અનંતગણા આ પ્રમાણે આ નવ પ્રકારના સર્વ જીવો કહેવામાંઆવેલ છે. પ્રતિપત્તિ-૧૦સજીવ-૯ [૩૯૭-૩૯૮] કોઈ અપેક્ષાથી સઘળા જીવો દસ પ્રકારના કહેવામાં આવેલ છે પૃથ્વીકાયિક ૧ અપ્લાયિક ૨, તેજસ્કાયિક ૩ વાયુકાયિક ૪ વનઃસ્પતિકાયિક ૫ બે ઇંદ્રિય ૬ તે ઈંદ્રિય ૭ ચૌ ઈંદ્રિય ૮ પંચેંદ્રિય ૯ અને અનીદ્રિય ૧૦ પૃથ્વીકાયિક પૃથ્વીકાયિક પણાથી ઓછામાંઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે અસંખ્યાતકાળ પર્યન્ત રહે છે. આ રીતે અપ્લાયિક જીવ યાવત્ વાયુકાયિક જીવ વિશે સમજવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy