SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ -- મતિપત્તિ-૧૦, સવજીવ-૭ ૧૮૧ પ્રતિપત્તિઃ ૧૦-સવજીવ-૭ | [૩૯૩-૩૯૪] કોઈ અપેક્ષાથી સઘળા જીવો આઠ પ્રકારના કહેવામાં આવેલા છે. આભિનિબોધિકજ્ઞાની ૧, શ્રુતજ્ઞાની ૨ અવધિજ્ઞાની ૩ મન:પર્યવજ્ઞાની ૪ કેવળજ્ઞાની ૫ મત્યજ્ઞાની ૬ શ્રુતજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની,આભિનિબોધિકજ્ઞાની અભિનિબોધિકજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક વધારે ૬૬ છાસઠ સાગરો પમ એજ પ્રમાણે શ્રુતજ્ઞાની જાણવા.અવધિજ્ઞાની અવધિજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત અને વધારેમાં વધારે કંઈક વધારે છાસઠ સાગરોપકાળ પર્યન્ત રહે છે. મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે કંઈક ઓછા પૂર્વ કોટી કાળ પર્યન્ત રહે કેવલજ્ઞાની કેવલજ્ઞાનીપણાથી સાદિ અપર્યવસિતકાળ પર્યન્ત રહે છે. મત્યજ્ઞાની મત્યજ્ઞાનીપણાથી રહેવા માટે ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. એક અનાદિ અપર્યવસિત મત્યજ્ઞાની હોય છે. તેમનું મત્યજ્ઞાન કયારેય પણ દૂર થઈ શકતું નથી. તે અભવ્ય અનાદિ સપર્યવસિત મત્યજ્ઞાની જીવ હોય છે. તેને અનાદિકાળથી લાગેલ મત્યજ્ઞાન દૂર થઈ જાય છે. અને ફરી તે મત્યજ્ઞાની થતા નથી. ત્રીજા મત્યજ્ઞાની સાદિ સપર્યવસિત હોય ઓછામાં ઓછા અંતર્મુહુર્ત પર્યન્ત મત્યજ્ઞાની બનેલા રહે છે. અને વધારેમાં વધારે યાવતુ કંઈક ઓછા અપાઈ પદુગલ પરાવર્ત કાળ પર્યન્ત મત્યજ્ઞાનીપણાથી રહે છે. શ્રત અજ્ઞાની પણ એટલા કાળ પર્યન્ત જ શ્રુતઅજ્ઞાનપણામાં રહે. વિલંગજ્ઞાની વિર્ભાગજ્ઞાની પણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત રહે છે ઉત્કૃષ્ટથી તે દેશોના પૂર્વ કોટિ અધિક તેત્રીસ સાગરોપમ કાળ પર્યન્ત જ્ઞાની પણાથી રહે છે. સૌથી ઓછા મન:પર્યવજ્ઞાની જીવો છે. તેના કરતાં અવધિ જ્ઞાનવાળા જીવો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની એ બને વિશેષાધિક છે. તેના કરતા વિભંગ જ્ઞાની જે જીવ છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં- કેવળજ્ઞાની જીવ અનંત ગણા વધારે છે. સિદ્ધોના કરતાં મતિજ્ઞાની, અને શ્રુતજ્ઞાની, બે બને અનંતગણા વધારે છે. અથવા સઘળાજીવો આઠ પ્રકારના આ રીતે પણ છે. નૈરયિક ૧ તિર્યંગ્યાનિક પુરૂષ ર તિર્યગ્લોનિક સ્ત્રી ૩ મનુષ્ય પુરૂષ ૪ મનુષ્ય સ્ત્રી પદેવ પુરૂષ દેવશ્રી ૭ અને સિદ્ધ ૮ આ સઘળા જીવોમાં સૌથી ઓછા મનુષ્ય સ્ત્રિયો છે. સંમૂર્છાિમ મનુષ્યોના કરતાં મનુષ્યો અસંગતગણા વધારે છે. તેના કરતાં તિર્યંગ્યો નિક સ્ત્રિયો અસંખ્યાત ગણી વધારે છે. તેના કરતાં દેવો સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં દેવિયો અસંખ્યાત ગણી વધારે છે. તેના કરતાં સિદ્ધજીવો અનંતગણા વધારે છે. તેના કરતાં તિર્યંગ્યાનિક જીવો અનંતગણા વધારે છે. આ પ્રમાણે આ વર્ણન આઠ પ્રકારના સઘળાજીવોના સંબંધમાં કરવામાં આવેલ છે. પ્રતિપત્તિ ૧૦-સવજીવ-૮| [૩૯પ-૩૯૬]કોઈ અપેક્ષાથી સઘળાજીવો નવ પ્રકારના છે. એક ઈન્દ્રિયવાળા જીવો બેઈન્દ્રિયવાળા જીવો ત્રણ ઈન્દ્રિયવાળા જીવો ચાર ઈન્દ્રિયવાળા જીવો, નૈરયિક જીવો, પંચેન્દ્રિયંગ્યાનિકજીવ, મનુષ્ય, દેવ અને સિદ્ધ આ પ્રકારના આ જીવોમાં સંસારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy