SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ નાયાધમ્મકાઓ- ૧-/૧૬/૧૭૫ [૧૭૫] ત્યાર પછી તે કચ્છલ્લ નારદે પાણી છાંટીને અને દર્ભ પાથરીને તેના પર પોતાનું આસન બિછાવ્યું અને તે તેના પર બેઠા. બેસીને પાંડુ રાજા, રાજ્ય, યાવતુ અંતઃ પુરના સમાચાર પૂછયા. તે સમયે કુંતી દેવીએ અને પાંચ પાંડવોએ કચ્છલ નારદનો આદર સત્કાર કર્યો. યાવતુ તે તેની પર્યાપાસના સેવા કરવા લાગ્યા. તે સમયે દ્રૌપદી દેવીએ કચ્છલ્લ નારદને અસંયમી, અવિરત તથા પૂર્વકૃત પાપ કર્મના નિન્દાદિ દ્વારા નાશ ન કરનાર તથા આગળના પાપોનું પ્રત્યાખ્યાન ન કરનાર જાણીને તેનો આદર ન કર્યો. તેને આવ્યો પણ ન જાણ્યો. તેના આવવા પર તે ઉભી ન થઈ અને તેમની ઉપાસના પણ ન કરી. ત્યાર પછી કચ્છલ નારદને આ પ્રકારનો અધ્યવસાય ચિત્તિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે અહો ! આ દ્રૌપદી દેવી પોતાના રૂપ, લાવણ્ય અને આ પાંચ પાંડવોના કારણે અભિમાનિની થઈ ગઈ છે. તેથી તે મારો આદર નથી કરતી, મારી ઉપાસના નથી કરતી તેથી દ્રોપદી દેવીનું અનિષ્ટ કરવું મારા માટે શ્રેયસ્કર છે. પાંડુ રાજા પાસેથી જવાની આજ્ઞા લીધી. પછી ઉત્પતની વિદ્યાનું આહવાન કર્યું. આહવાન કરીને તે ઉત્કૃષ્ટ યાવત્ વિદ્યાધર ગતિથી લવણ સમુદ્રની મધ્યમાં થઇને, પૂર્વ ર્દિશાની સન્મુખ, ચાલવાને માટે પ્રયત્નશીલ થયા. તે કાળે અને તે સમયે ધાતકીખંડ નામક દ્વીપમાં પૂર્વ દિશાની તરફના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં અમરકંકા નામની રાજધાની હતી. તે અમરકંકા નગરીમાં પદ્મનાભ નામનો રાજા હતો. તે મહાન હિમવંત પર્વતની સમાન સારવાળો હતો, ઈત્યાદિ પૂર્વવતું વર્ણન સમજી લેવું જોઇએ. તે પદ્મનાભ રાજાના અંતઃપુરમાં સાતસો રાણીઓ હતી. તેના પુત્રનું નામ સુનાભ હતું. તે યુવરાજ પણ હતો. તે સમયે રાજા પદ્મનાભ પોતાની રાણી ઓની સાથે ઉત્તમ સિંહાસન ઉપર બેઠો હતો. ત્યાર પછી કચ્છલ્લ નારદ જ્યાં અમર કંકા રાજધાની હતી અને જ્યાં પદ્મનાભનું ભવન હતું, ત્યાં આવ્યા. આવીને પદ્મનાભ રાજાના ભવનમાં વેગ પૂર્વક શીઘ્રતાની સાથે ઉતર્યા. તે સમયે પદ્મનાભ રાજાએ કચ્છ લ નારદને આવતા જોયા. જોઇને તે આસન ઉપરથી ઉઠ્યા ઉઠીને અધ્યથી તેની પૂજા કરી યાવતુ આસન પર બેસવાને માટે આમંત્રણ કર્યું. ત્યાર પછી કચ્છલ્લ નારદે પાણી છાંટીને પછી દર્ભ બિછાવી તેના પર આસન બિછાવ્યું. યાવતુ કુશલ-સમાચાર પૂછ્યા. ત્યાર પછી પનાભ રાજાએ પોતાની રાણીઓમાં વિસ્મિત થઈને કઠ્ઠલ્લા નારદને પ્રશ્ન કર્યો. હે દેવાનુપ્રિય ! આપ ઘણા ગ્રામો અને ગૃહોમાં પ્રવેશ કરો છો, તો દેવાનુપ્રિય ! મારું જેવું અંતઃપુર છે તેવું આપે ક્યારેય પહેલાં જોયું છે ?' કક્કુલ નારદ જરા હસ્યા હસીને બોલ્યા - હે પદ્મનાભ તમે કૂવાના તે દેડકા સમાન છો? જમ્બુદ્વીપમાં ભારતવર્ષમાં, હસ્તિનાપુર નગરમાં દ્રુપદ રાજાની પુત્રી, ચલણી દેવીની આત્મજા, પાંડુ રાજાની પુત્રવધૂ અને પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવી રૂપથી યાવતુ લાવણ્યથી ઉત્કૃષ્ટ શરીરવાળી છે. તમારું આ આખું અંતઃપુર દ્રૌપદી દેવીના કાપેલા પગના અંગૂઠાના. સોમી કળા-બરાબર પણ નથી. આ પ્રમાણે કહીને નારદે પદ્મનાભ પાસેથી જવાની અનુ મતિ લીધી. અનુમતિ લઈને તે ચાલ્યા ગયા. ત્યાર પછી પદ્મનાભ રાજા કર્ફીલ્લ નારદ પાસેથી આ અર્થને સાંભળીને અને સમજીને દ્રૌપદી દેવીના રૂપ, લાવણ્ય અને યૌવનમાં મુગ્ધ બની ગયો, વૃદ્ધ થઈ ગયો, લુબ્ધ થઈ ગયો અને આગ્રાહવાન થઈ ગયો. તે પૌષધશાળામાં પહોંચ્યો. પૌષધશાળાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy